________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૯
અશુચિતાનુપ્રેક્ષા]
અર્થ - પૂર્વોક્ત પ્રકારે એવા અશુચિ દેહને પ્રત્યક્ષ દેખવા છતાં પણ આ મનુષ્ય ત્યાં અનુરાગ કરે છે, જાણે પૂર્વે (આવો દેહ) કદી પણ પામ્યો ન હોય એમ માનતો થકો તેને આદરે છે–સેવે છે, પણ તે મહાન અજ્ઞાન છે.
હવે આ દેહથી જે વિરક્ત થાય છે તેને અશુચિભાવના સફળ છે એમ કહે છે:
जो परदेहविरत्तो णियदेहे ण य करेदि अणुरायं। अप्पसरूवि सुरत्तो असुइत्ते भावणा तस्स।।८७।। यः परदेहविरक्त: निजदेहे न च करोति अनुरागम्। आत्मस्वरूपे सुरक्तः अशुचित्वे भावना तस्य।। ८७।।
અર્થ:- જે ભવ્ય, પરદેહ જે સ્ત્રી આદિના દેહુ તેનાથી વિરક્ત થતો થકો નિજ દેહમાં પણ અનુરાગ કરતો નથી અને આત્મસ્વરૂપમાં ધ્યાન વડે લીન રહે છે તેને અશુચિભાવના સાર્થક થાય છે.
ભાવાર્થ- કેવળ વિચારમાત્રથી જ ભાવના પ્રધાન (સાચી) નથી, પરંતુ દેહને અશુચિરૂપ વિચારવાથી જેને વૈરાગ્ય પ્રગટ થાય તેને ભાવના સત્યાર્થ કહેવાય છે.
(દોહરો) સ્વપર દેહકું અશુચિ લખી, તજૈ તાસ અનુરાગ; તાકે સાચી ભાવના, સો કહીએ મહાભાગ્ય.
ઇતિ અશુચિતાનુપ્રેક્ષા સમાય.
* * *
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com