________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૦]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
અર્થ:- અથવા ( કદાચિત) મહાન કષ્ટથી દેવપર્યાય પણ પામે તો ત્યાં તેને પણ મહાન ઋદ્ધિધારક દેવોની ઋદ્ધિસંપદા જોઈને માનસિક દુ:ખ ઉત્પન્ન થાય છે.
इट्ठविओगे दुक्खं होदि महड्ढीण विसयतण्हादो। विसयवसादो सुक्खं जेसिं तेसिं कुदो तित्ती ।। ५९ ।। इष्टवियोगे दुःख भवति महर्द्धनां विषयतृष्णातः। विषयवशात् सुखं येषां तेषां कुतः तृप्तिः ।। ५९ ।।
અર્થ:- મહદ્ધિકદેવોને પણ ઇષ્ટ ઋદ્ધિ અને દેવાંગનાદિનો વિયોગ થતાં દુ:ખ થાય છે. જેમને વિષયાધીન સુખ છે તેમને તૃપ્તિ ક્યાંથી થાય? તૃષ્ણા વધતી જ રહે છે.
હવે શારીરિક દુઃખોથી માનસિક દુઃખ મોટું છે–એમ કહે છેઃसारीरियदुक्खादो माणसदुक्खं हवेइ अइपउरं । माणसदुक्खजुदस्स हि विसया वि दुहावहा हुंति ।। ६० ।। शारीरिकदुःखतः मानसदुःखं भवति अतिप्रचुरम् । मानसदुःखयुतस्य हि विषयाः अपि दुःखावहाः भवन्ति ।। ६० ।।
અર્થ:- કોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું છે અને માનસિક દુ:ખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુ:ખથી માનસિક દુ:ખ ઘણું તીવ્ર છે-મોટું છે; જુઓ, માનસિક દુ:ખ સહિત પુરુષને અન્ય ઘણા વિષયો હોય તોપણ તેઓ દુઃખદાયક ભાસે છે.
ભાવાર્થ:- મનમાં ચિંતા થાય ત્યારે સર્વ સામગ્રી દુઃખરૂપ જ ભાસે છે.
देवापि य सुक्खं मणहरविसएहिं कीरदे जदि ही । विसयवसं जं सुक्खं दुक्खस्स वि कारणं तं पि ।। ६१ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com