________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ २८
અર્થ:- ઉ૫૨ પ્રમાણે મનુષ્યગતિમાં નાના પ્રકારનાં દુ:ખોને સહવા છતાં પણ આ જીવ સદ્ધર્મમાં બુદ્ધિ કરતો નથી અને પાપારંભને છોડતો નથી.
सधणो वि होदि णिधणो धणहीणो तह य ईसरो होदि । राया वि होदि भिच्चो भिच्चो वि य होदि णरणाहो ।। ५६ ।। सधनः अपि भवति निर्धन: धनहीनः तथा च ईश्वरः भवति । राजा अपि भवति भृत्यः भृत्यः अपि च भवति नरनाथः ।। ५६ ।।
અર્થ:- ધનવાન હોય તે નિર્ધન થઈ જાય છે, એ જ પ્રમાણે નિર્ધન હોય તે ઈશ્વર થઈ જાય છે. વળી રાજા હોય તે કિંકર થઈ જાય છે અને કિંકર હોય તે રાજા થઈ જાય છે.
सत्तू वि होदि मित्तो मित्तो वि य जायदे तहा सत्तू । कम्मविवागवसादो एसो संसारसब्भावो।। ५७ ।। शत्रुः अपि भवति मित्रं मित्रं अपि च जायते तथा शत्रुः । कर्मविपाकवशात् एषः संसारस्वभावः।। ५७।।
અર્થ:- કર્મોદયવશે વૈરી હોય તે તો મિત્ર થઈ જાય છે તથા મિત્ર હોય તે વૈરી થઈ જાય છે. એવો જ સંસારનો સ્વભાવ છે.
ભાવાર્થ:- પુણ્યકર્મના ઉદયથી વૈરી પણ મિત્ર થઈ જાય છે તથા પાપકર્મના ઉદયથી મિત્ર પણ શત્રુ થઈ જાય છે.
હવે ચાર ગાથામાં દેવગતિનાં દુ:ખોનું સ્વરૂપ કહે છેઃદેવગતિનાં દુ:ખો
अह कह वि हवदि देवो तस्स वि जाएदि माणसं दुक्खं । दवण महड्ढीणं देवाणं रिद्धिसम्पत्ती ।।५८ ॥ अथ कथमपि भवति देवः तस्य अपि जायते मानसं दुःखम् । दृष्ट्वा महर्द्धनां देवानां ऋद्धिसम्प्राप्तिम्।। ५८ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com