________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એકતાનુપ્રેક્ષા]
[૪૫ जीवस्स णिच्छयादो धम्मो दहलक्खणो हवे सुयणो। सो णेइ देवलोए सो चिय दुक्खक्खयं कुणइ।। ७८।। जीवस्य निश्चयतः धर्म: दशलक्षण: भवेत् स्वजनः। सः नयति देवलोके सः एव दुःखक्षयं करोति।।७८।।
અર્થ:- આ જીવને પોતાનો ખરો હિતસ્વી નિશ્ચયથી એક ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણધર્મ જ છે, કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે છે તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશ (મોક્ષને) કરે છે.
ભાવાર્થ- ધર્મ સિવાય અન્ય કોઈ હિતસ્વી નથી.
હવે કહે છે કે શરીરથી ભિન્ન એવા એકલા જીવને તું જાણ.सव्वायरेण जाणह इक्कं जीवं सरीरदो भिण्णं। जम्हि दु मुणिदे जीवे होदि असेसं खणे हेयं ।। ७९।। सर्वादरेण जानीहि एकं जीवं शरीरतः भिन्नम्। यस्मिन् तु ज्ञाते जीवे भवति अशेष क्षणे हेयम्।। ७९ ।।
અર્થ:- હે ભવ્યાત્મા! તું સર્વ પ્રકારે ઉદ્યમ કરીને શરીરથી ભિન્ન એકલા જીવને જાણ! જેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો ક્ષણમાત્રમાં તજવા યોગ્ય લાગે છે.
ભાવાર્થ- જ્યારે પોતાના સ્વરૂપને જાણે ત્યારે સર્વ પરદ્રવ્યો હેયરૂપ જ ભાસે છે. તેથી અહીં પોતાનું સ્વરૂપ જ જાણવાનો મહાન ઉપદેશ છે.
(દોહરા) એક જીવ પર્યાય બહુ, ધારે સ્વ-પર નિદાન; પર તજી આપા જાણકે, કરો ભવ્ય કલ્યાણ. ઇતિ એકત્વાનુપ્રેક્ષા સમાસ.
* * *
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com