________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૯
પછી એક એક પ્રદેશ ક્રમપૂર્વક વધતી અવગાહના પામે તે અહીં ગણતરીમાં છે. એ પ્રમાણે (ક્રમપૂર્વક વધતાં વધતાં ) મહામચ્છની ઉત્કૃષ્ટ અવગાહના સુધી પૂર્ણ કરે અને એ રીતે અનુક્રમે લોકાકાશના સર્વ પ્રદેશોને સ્પર્શે ત્યારે એક ક્ષેત્રપરાવર્તન થાય.
હવે કાળપરાવર્તન કહે છે :
उवसप्पिणिअवसप्पिणिपढमसमयादिचरमसमयंतं । जीवो कमेण जम्मदि मरदि य सव्वेसु कालेसु ।। ६९ ।। उत्सर्पिणीअवसर्पिणीप्रथमसमयादिचरमसमयान्तम् । जीवः क्रमेण जायते म्रियते च सर्वेषु कालेषु ।। ६९ ।।
અર્થ:- ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના પ્રથમ સમયથી માંડીને અંતના સમય સુધી આ જીવ અનુક્રમપૂર્વક સર્વકાળમાં ઊપજે તથા મરે છે (તે કાળપરાવર્તન છે).
જે
ભાવાર્થ:- કોઈ જીવ, દસ કોડાકોડી સાગરનો ઉત્સર્પિણીકાળ તેના પ્રથમ સમયમાં જન્મ પામે, પછી બીજી ઉત્સર્પિણીના બીજા સમયમાં જન્મે, એ પ્રમાણે ત્રીજી ઉત્સર્પિણીના ત્રીજા સમયમાં જન્મે, એ પ્રમાણે અનુક્રમપૂર્વક અંતના સમય સુધી જન્મે, વચ્ચે અન્ય સમયોમાં અનુક્રમરહિત જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે અવસર્પિણીકાળના પણ દસ કોડાકોડી સાગરના સમયો ( ક્રમવા૨ ) પૂર્ણ કરે તથા એ જ પ્રમાણે મરણ કરે તેને એક કાળપરાવર્તન કહે છે. તેમાં પણ અનંત કાળ થાય છે.
હવે ભવપરાવર્તન કહે છે :
णेरइयादिगदीणं अवरट्ठिदिदो वरद्विदी जाव । सव्वट्ठिदिसु वि जम्मदि जीवो गेवेज्जपज्जंतं ।। ७० ।। नैरयिकादिगतीनां अपरस्थितितः वरस्थितिः यावत् । सर्वस्थितिषु अपि जायते जीवः ग्रैवेयकपर्यन्तम्।। ७० ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com