________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અશરણાનુપ્રેક્ષા ]
[૧૭
અર્થ:- એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી અશરણતા પ્રત્યક્ષ દેખવા છતાં પણ મૂઢ મનુષ્ય, તીવ્ર મિથ્યાત્વભાવથી સૂર્યાદિ ગ્રહ, ભૂત, વ્યંતર, પિશાચ, જોગણી, ચંડિકાદિક અને મણિભદ્રાદિક યક્ષોનું શરણ માને છે.
ભાવાર્થ:- આ પ્રાણી પ્રત્યક્ષ જાણે છે કે મરણથી કોઈ પણ રક્ષણ કરવાવાળું નથી છતાં એ, ગ્રહાદિકમાં શરણપણું કલ્પે છે; એ બધું તીવ્ર મિથ્યાત્વના ઉદયનું માહાત્મ્ય છે.
હવે, મરણ થાય છે તે આયુના ક્ષયથી જ થાય છે એમ કહે
છેઃ
आउक्खएण मरणं आउं दाउं ण सक्कदे को वि। तम्हा देविंदो वि य मरणाउ ण रक्खदे को वि ।। २८ ।। आयु: क्षयेण मरणं आयुः दातुं न शक्नोति कः अपि । तस्मात् देवेन्द्रः अपि च मरणात् न रक्षति कः अपि ।। २८ ।।
અર્થ:- આયુકર્મના ક્ષયથી મરણ થાય છે. વળી એ આયુકર્મ કોઈને કોઈ પણ આપવા સમર્થ નથી, માટે દેવોનો ઇંદ્ર પણ મરણથી બચાવી શકતો નથી.
ભાવાર્થ:- આયુ પૂર્ણ થવાથી મરણ થાય છે અને એ આયુ કોઈ પણ કોઈને આપવા સમર્થ નથી; તો પછી રક્ષણ કરવાવાળો કોણ છે? તે વિચારો.
હવે એ જ અર્થને દઢ કરે છેઃ
अप्पाणं पि चवंतं जइ सक्कदि रक्खिदुं सुरिंदो वि । तो किं छंडदि सग्गं सव्वुत्तमभोयसंजुत्तं ।। २९ ।। आत्मानं अपि च्यवन्तं यदि शक्नोति रक्षितुं सुरेन्द्रः अपि । तत् किं त्यजति
स्वर्गं
सर्वोत्तमभोगसंयुक्तम्।। २९।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com