________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૨૩ અર્થ:- પૂર્વભવમાં જે સ્વજન-કુટુંબી હતો તે પણ આ નરકમાં કોધી બનીને ઘાત કરે છે. એ પ્રમાણે તીવ્ર છે વિપાક જેમનો એવાં દુઃખો ઘણા કાળ સુધી નારકીજીવો સહન કરે છે.
ભાવાર્થ-એવાં દુઃખો સાગરોપમ (કાળ) સુધી સહન કરે છે તોપણ આયુષ્ય પૂર્ણ કર્યા વિના ત્યાંથી નીકળવું બનતું નથી.
હવે તિર્યંચગતિનાં દુઃખોને સાડાચાર ગાથાઓ દ્વારા કહે છે.
તિર્યંચગતિનાં દુઃખો तत्तो णीसरिदूणं जायदि तिरिएसु बहुवियप्पेसु। तत्थ वि पावदि दुखं गब्भे वि य छेयणादीयं ।। ४०।। ततः निःसृत्य जायते तिर्यक्षु बहुविकल्पेषु। तत्र अपि प्राप्नोति दुःखं गर्भे अपि च छेदनादिकम्।। ४०।।
અર્થ - એ નરકમાંથી નીકળીને અનેક પ્રકારના ભેદોવાળી જે તિર્યંચગતિ તેમાં (જીવ) ઉત્પન્ન થાય છે, ત્યાં પણ ગર્ભમાં તે દુઃખ પામે છે. “પિ' શબ્દથી સમૂઈન થઈ છેદનાદિકનાં દુ:ખ પામે છે. तिरिएहिं खज्जमाणो दुट्ठमणुस्सेहिं हण्णमाणो वि। सव्वत्थ वि संतट्ठो भयदुक्खं विसहदे भीम।। ४१।। तिर्यग्भि: खाद्यमान: दुष्टमनुष्यैः हन्यमान: अपि। सर्वत्र अपि संत्रस्त: भयदुःखं विषहते भीमम्।। ४१।।
અર્થ- એ તિર્યંચગતિમાં જીવ, સિંહ-વાઘ આદિ વડે ભક્ષણ થતો તથા દુષ્ટ મનુષ્ય (સ્વેચ્છ, પારધી, માછીમાર આદિ) વડે માર્યો જતો થકો સર્વ ઠેકાણે ત્રાસયુક્ત બની રૌદ્ર-ભયાનક દુઃખોને અતિશય સહન કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com