Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
જ વાચનાઓના પવિત્ર કાર્ય ભલે શ્રમણસંસ્થામાં મંદ પડી ગયેલ શ્રુતજ્ઞાનના અભ્યાસની
અને તેને અનુકુળ યોગ્ય સામગ્રીની વ્યવસ્થામાં પુરતો સુધારો થયો છે તે જગજાહેર સ્કૂલ જ છે. એટલે પછી પૂઆગમોદ્ધારકશ્રીના ભગીરથ આગમાભ્યાસપ્રચારક સામુદાયિક સાત ફૂંક
વાચનાઓનો કાર્યક્રમ શા સારૂ મહત્ત્વનો ન ગણાય! વ્યક્તિગત રાગ ને વૈષના ચશ્મા જ ઉતારી મધ્યસ્થ વૃત્તિએ વસ્તુતત્ત્વને યથાર્થ રીતે વિચારતાં આ વાત દીવા જેવી સ્પષ્ટ છે . ભાસશે! બાકી તો પૂર્વગ્રહ કે વ્યગ્રહની અસર તળે આવી જનાર વિવેકી પ્રાણીની પણ આ . વિવેક બુદ્ધિ અવરાઈ જાય છે. ખરી રીતે આપણા સંયમ જીવનને અને આરાધકભાવને આ ટકાવી રાખવા માટે જરૂરી વીતરાગની વાણીની મહત્તા સમજવા-સમજાવવાના શુભ આ સંકલ્પથી અને આગામી પ્રતિ આપણી વફાદારીના કર્તવ્ય તરફ સજાગ બની રહેવાના આ શુભ ઉદેશ્યથી આગમવાચના સંબંધી આ લખાણ લખ્યું છે. . આગમવાચનાનું આ લખાણ મળતા બધા પ્રમાણોની પૂર્ણ સમીક્ષા કરીને લખ્યું છે. આ છતાં મતિમંદતા કે ક્ષયોપશમની વિચિત્રતાથી શાસ્ત્ર કે પરંપરાથી વિરૂદ્ધ કંઈ પણ લખાયું છે, હોય તેનું ત્રિવિધ ૨ શ્રમણસંઘની સેવામાં સકલસંઘ સમક્ષ મિથ્યાદુષ્કત દઉં છું.
લી. શ્રમણસંઘ સેવક તપસ્વી ગુરૂદેવ
પૂ. શ્રી ધર્મસાગરગણિવરશિષ્યાણુ મુનિ અભયસાગર તા.ક.
પૂ. આગમોદ્ધારકદેવશ્રીની સાત વાચના સંબંધી લખાણ કોઈ પણ જાતના પક્ષપાત છેપૂર્વગ્રહ કે અંધશ્રદ્ધાથી દોરવાઈને લખેલ નથી. પણ ગુણાનુરાગપૂર્ણ સમીક્ષક દૃષ્ટિથી જ
બનતો પૂર્ણ વિચાર કરી વિવેકબુદ્ધિની સમતુલા જાળવી લખેલ છે, કોઈના ઉપર આક્ષેપ . છે કે પ્રતિક્ષેપ કરવાના આશયથી આ લખાણ નથી. તેથી કોઈને તેજોદ્વેષ કે વ્યક્તિગત , આ રાગદ્વેષની ખોટી દોરવણી હેઠળ દોરવાઈ જઈને કોઈ પણ જાતના અસંગત વિચારો આ ન કરવા નમ્ર વિનંતિ છે.