________________
શ્રી ઉપદેશ છાયા
૨૮ ૩
ઉ. છા. - ૯ પ્ર. મોક્ષ એટલે શું?
ઉ. આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે “મોક્ષ.” યથાતથ્ય જ્ઞાન પ્રગટ્ય મોક્ષ. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેનો સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું? જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દઢ કરે તો ન્યૂનતા મટે. જ્ઞાનીપુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સપુરુષની દષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. પુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભયોગ વિગેરે બધા દોષો અનુક્રમે મોળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ થાય છે. પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લોકમાર્ગમાં પડી રહેવું છે; અને લોકોત્તર કહેવરાવવું છે; ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લોકનો ભય મૂકી પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યકત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે.
1 x x x અંતરાત્મા નિરંતર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે. ચોદમા ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે.
કર વિચાર તો પામ.” આપણને મન મળ્યું છે. આત્માએ બળિયા થઈને એ મન મેળવ્યું છે. તે શા માટે ? એ મનનો જો સાચો ઉપયોગ કરવામાં આવે તો આત્માને જેલમાંથી છોડાવે. જન્મ મરણનાં દુઃખમાંથી છોડાવે.
જેને વૈરાગ્ય ઉપશમ વર્તતો હોય તેને જ વિચારવાનું કહીએ.
એકલી વિદ્વત્તા હોય તેને વિચારવાન ગણ્યા નથી, જેનામાં વૈરાગ્ય ઉપશમ વર્તતા હોય તેને જ વિચારવાન કહીએ. વિચારવાનમાં વૈરાગ્ય અને ઉપશમ હોવા જોઈએ.
આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વાનુભવગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી. પરમાત્મા આ ચક્ષુથી દેખાય ?
ઇન્દ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે. આત્માના ઉપયોગ સાથે ભળી જાય છે અને મનન કરે તે મન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org