________________
અન્ય પદો અને સ્તવનો :
૩૫૯ ૮. શ્રી ધર્મનાથ જિનસ્તવન - શ્રી આનંદઘનજી ધર્મ જિનેસર ગાઉં રંગ, ભંગ મ પડશો હો પ્રીત; જિનેસર
બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુળવટ રીત, જિનેસર ધર્મ૧ હે ભગવાન ! શ્રી ધર્મનાથ જિનેશ્વર ! હું તારી ભક્તિ રંગથી કરું છું. તેમાં મારી પ્રીતિઅનુરાગ રહેલો છે તેમાં ભંગ ન પડે તેવું માગું છું. હું હવે મારા મનરૂપી મંદિરમાં બીજા કોઈ દેવને ધારણ કરીશ નહીં, એ અમારા ભક્તોના કુળની રીત છે. બીજા કોઈ હવે અમારા મનમાં વસી શકે તેમ નથી. - ૧
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ, જિનેસર.
ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ, જિનેસર. ધર્મ૨ આ દુનિયાના બધા લોકો અમે ધર્મ કરીએ છીએ એમ માનીને ફર્યા કરે છે, પણ ધર્મનો મર્મ રહસ્ય શું છે તેની તેમને જાણ નથી. સાચી વાત તો એ છે કે હે ભગવાન ! જો તારા ચરણમાં રહ્યા હોય અને મર્મ જાણતા હોય તો નવા કર્મનું બંધન થાય નહીં અને એ જ સાચો ધર્મ છે. - ૨
પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; જિનેસર.
હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, જિનેસર. ધર્મ, ૩ જો સદ્ગુરુ અનુગ્રહ કરીને પ્રવચનરૂપી અંજનશલાકા વડે અંજન કરે તો જીવો પોતાના આત્મ સંપત્તિરૂપ ઉત્કૃષ્ટ ભંડારને પ્રાપ્ત થાય અને પોતાના હૃદયમાં ભગવાન આત્માને - પરમાત્માને નિહાળે, અનુભવે, જેનો મહિમા મેરૂ પર્વત કરતાં પણ અનેક ઘણો વધારે છે. - ૩
દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ; જિનેસર . પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ, જિનેસર ધર્મ ૪ હે ભગવાન ! મનની દોડવાની જેટલી શક્તિ છે તે બધી જ શક્તિ લગાડીને ધર્મ પામવા માટે આખા જગતમાં ફરી વળ્યો, પણ કાંઈ હાથમાં આવ્યું નહીં. પણ હે ભાઈ ! એ તો તારી પાસે જ છે. તું શા માટે બહાર દોડ્યા કરે છે. તેને શોધવા માટે ગુરુગમ-ગુરુની કૃપા પ્રાપ્ત કરે તો તે તને તારી અંદર જ બેઠેલા દેખાશે. આત્મા-ભગવાનનાં દર્શન થશે. ૪
એક પછી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હવે સંધિ, જિનેસર
હું રાગી, હું મોહે હૃદયો, તું નિરાગી નિરબંધ, જિનેસર ધર્મ૫ એક પક્ષીય પ્રીતિ-અનુરાગ કે પ્રેમ કેમ ઠેકાણે પડે ! જેમ એક પૈડાથી ગાડી ચાલે નહીં તેમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org