Book Title: Shikshamrut
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 358
________________ આપ્યંતર પરિણામ અવલોકન જતો નથી, અને લોકાલોક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યા છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે ? અત્રે જો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ અરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમ કે અરીસામાં તો વિસ્રસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબિત થાય છે. ૩૩૩ આ તો એ અરીસાનો ગુણ જ એવો છે કે એમાં એ પ્રતિબિંબિત થાય એટલે વિસસાપરિણામી પુદ્ગલરશ્મિ પુદ્ગલનું પ્રતિબિંબ પડે. આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે. તે સાચું છે. ગુણ સાથે પોતાના આ અગુરુલઘુ ગુણનો અવિર્ભાવ કરતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે. કેમ કે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ? ૬ सम्मोदया सट्ट दोसा न जस्स सो देवो; सो हु गुरु जो नाणी आरंभपरिग्गहा विरओ. એટલે કે ધર્મ એ છે કે જેના મૂળમાં દયા હોય. દેવ એ છે કે જેના અઢારે દોષ ગયા હોય. સદ્ગુરુ એ કે જે જ્ઞાની હોય અને આરંભપરિગ્રહથી વિરતિ પામેલા હોય. ૮૭ અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસદેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ ? અકિંચનપણાથી એટલે એક પાઈ પણ પાસે નહીં અને બહાર જંગલમાં વિચરતા હોય. એકાંત મૌનથી – માનસિક મૌન પણે રહીને કોઈ સાથે બોલવાનું નહીં. જિનસદશ ધ્યાનથી એટલે અરિહંત ભગવાન હોય એમના જેવા ધ્યાનથી. Jain Education International તન્મયાત્મસ્વરૂપ = આત્મામાં તન, મન બધું ડૂબેલું હોય એવો ક્યારે થઈશ ? આત્મસ્વરૂપમાં લીન સ્વરૂપે રહેલ. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406