Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૨૩ ]
દર્શન અને ચિંતન
"
પ્રમાણે પહેલાં દેવ અને અસુરાનું યુદ્ધ થયેલું. તેમાં વૈદિકકરત અસુરાએ દેવાને હરાવ્યા. હારેલા દેવાએ વિષ્ણુ પાસે જઈ તેમની સ્તુતિ કરી. વિષ્ણુએ પ્રસન્ન થઈ પેાતાના શરીરમાંથી એક ભાયામે હુ પુરુષ ઉત્પન્ન કરી દેવેને. સહાયતાથે સાંપ્યા. માયામેાહ દેવા સાથે અસુરોના તપસ્યાસ્થાન નદાતટ ઉપર આવ્યેા. ત્યાં તેણે માથું મુંડાવી, નસરૂપ ધારણ કરી, હાથમાં મપિચ્છ રાખી તપસ્યા કરતા અસુરે તે આ પ્રમાણે ઉપદેશ કરવા માંડ્યો ઃ તેણે અસુ રાતે સખાધી કહ્યું : જો તમે પારલૌકિક ક્લની ઈચ્છાથી તપ કરતા હો તે હું કહું તે જ મા યાગ્ય છે. અને તમે જ તેના અધિકારી છે.’ એમ કહી. તેઓને વેદમાથી ભ્રષ્ટ કર્યો, અને સશયાત્મક સ્યાદ્વાદને ઉપદેશ આપ્યા. માયામેહે ઉપદેશેલ નવા ધર્મને પામવા અહ (મેગ્ય ) હોવાથી એ સ્વધર્મ - ભ્રષ્ટ અસુરા આહૂત કહેવાયા. એકથી ખીજા અને બીજાથી ત્રીજા એમ અનુક્રમે અનેક અસુરી સ્વધર્મ તજી નવા આહત મતમાં આવ્યા. ત્યાર બાદ માયામેાહે લાલ કપડાં પહેરી, આંખમાં અંજન આંજી બીજા અસુરને મધુર ઉપદેશ આપ્યો. તેણે કહ્યું : ' મહાનુભાવે ! તમે યાનિક પશુદ્ધિ સા છેડે. તેથી સ્વમ મળવાનું નથી, આખું જગત વિજ્ઞાનમય છે અને દુઃખના પ્રવાહમાં તણાય છે.' આ ઉપદેશથી અનુક્રમે અનેક દૈત્યે સ્વધર્મ ત્યજી નવા મા ઉપર આવ્યા. ત્યાર બાદ માયામહે નવા નવા સ્વાંગ પહેરી અનેક જાતના ઉપદેશાથી બીજા પણ દાનવાને વૈવિમુખ કર્યો. વેદભ્રષ્ટ થયેલ એ અસુરાએ વેદ, દેવ, યજ્ઞ અને બ્રાહ્મણેાની નિદા કરવી શરૂ કરી, તે કહેવા લાગ્યા કે • યજ્ઞથી સ્વ મળે નહિ, જેમાં હિંસા થાય તે કુ ધર્મ ન હેાઈ શકે, અગ્નિમાં ઘી ડામવાથી સ્વગ મળે એ કથન બાળક જેવુ છે. અનેક યા કરી ઇન્દ્રપદ મેળવ્યા બાદ જો સમિધ, કાફ વગેરે ખાવાનાં હોય તે પશુ થઈ લીલેમ ધાસચારો ચરવા એ જ વધારે શ્રેષ્ઠ છે. જો યજ્ઞમાં હામાયેલ પશુઓ સ્વર્ગમાં જતાં હોય તો સ્વર્ગ પમાડવા માબાપને શા માટે ન હૈમવાં ? શ્રાદ્ધના વિષયમાં જે એકને (બ્રાહ્મણને) જમાડવાથી ખીજા( પિતા )ને તૃપ્તિ થતી હોય તે પરદેશમાં જતી વખતે ભાતુ સાથે લેવાની શી જરૂર ? એક જષ્ણુ ધેર બેઠો જમે અને તે પ્રવાસી (મુસાફ્રીએ જનાર) ને પહેોંચી જાય.’ આવી આવી નિદાથી જ્યારે બધા અસુરી કુપથગામી થયા, ત્યારે તેઓને
સ્વધ ભ્રષ્ટ જોઈ દેવાએ તૈયારીપૂર્વક કરી યુદ્ધ કર્યું. એ યુદ્ધમાં પૂના વેદધમ રૂપ કવચ વિનાના તે અસુરે નાશ પામ્યા. પરાશર ઋષિ મૈત્રેયને કહે છે કે ત્યારથી માયામેાહના એ ઉપદેશને માનનાર નમ્ર કહેવાય છે. અને એવા પાખડીના સ્પર્શ થાય તો કપડાં સહિત સ્નાન કરવું. વૈદ, યજ્ઞ, દેવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org