Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૫૦૦ છે. તેથી સાંપ્રદાયિકતાના પુરાવાની અને ઈતિહાસન' એ બને દષ્ટિએ એ કથાઓ અગત્યની છે.
એકંદર જૈન સાહિત્ય જતાં તેમાં જૈન દર્શનમાંથી ચાર જૈનેતર ને નીકળ્યાની હકીકત મળે છે. સાંખ્ય, બૌદ્ધ, આજીવક અને વૈશેષિક. એ ચારમાં સાંખ્યદર્શનની જૈનદર્શનમાંથી ઉત્પત્તિનું વર્ણન શ્વેતામ્બર–દિગમ્બર બને સાહિત્યમાં છે. આજીવક અને વૈશેષિક દર્શનની ઉત્પત્તિનું વર્ણન દિગમ્બર સાહિત્યમાં નથી, ફક્ત શ્વેતાંબર સાહિત્યમાં છે, તે જ રીતે બીદર્શનની જૈનદર્શનમાંથી ઉત્પત્તિનું વર્ણન તામ્બર સાહિત્યમાં નથી, ફકત દિગમ્બર સાહિત્યમાં છે. આ ચારેય દર્શનની ઉત્પતિ વિના સાહિત્યમાંના વર્ણનને અનુક્રમે સાર આપું તે પહેલાં તે દર્શનેને લગતું કેટલુંક સ્પષ્ટીકરણ કરી દેવું ગ્ય છે.
૧–સાંખટશન એ અતિ પ્રાચીન ભારતીય દશામાંનું એક છે. એના આદિ પ્રવર્તક તરીકે કપિલ ઋષિને નિર્દોષ ઘેદિક સાહિત્યમાં સર્વત્ર થયેલ છે. મહાભારતમાં કપિલને સાંખ્યદર્શનના વકતા કહ્યો છે, ભાગવતમાં
૧. અહીં જૈનદર્શનમાંથી અન્ય દર્શની ઉત્પત્તિને ઇતિહાસ વિવક્ષિત નથી પણ ઇતિહાસને લગતી બીજી અનેક બાબતમાં એ કથાઓનું કે તેના કેટલાક ભાગનું ખાસ મહત્વ છે, એ ભાવ વિવક્ષિત છે. २ " साहयस्य वक्ता कपिलः परमषिः पुरातनः । हिरण्यगर्भो योगस्य वक्ता नान्यः पुरातनः" ॥ .
–મહાભારત-મોક્ષધર્મ ૩. “પ્રજાપતિને પુત્ર મનુ નામે સમ્રાટ બ્રહ્માવર્ત દેશમાં રહ્યો રહ્યો સપ્તપર્ણય પૃથિવીનું શાસન કરતે હતિ. શતરૂપા નામે તેની મહારાણી હતી, તેને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ બે પુત્ર અને દેવહૂતિ નામે કન્યા હતી. તે સમયે કર્દમ નામે એક ઋષિ હતું, તેને બ્રહ્માએ પ્રજા ઉત્પન્ન કરવાની પ્રેરણું કરી તેથી તે ઋષિએ સરસ્વતી તીરે જઈને દસ હજાર વર્ષ પર્યત -તપ તપ્યું. તપના પ્રભાવે ઋષિને શંખચગદાધર, ગરુડવાહન એવા ભગવાન પુષ્કરાક્ષનું સાક્ષાત્ દર્શન થયું. ઋષિએ ભગવાનને વિનંતી કરી કે, હું ગૃહમેશ માટે ધેનુમાન સમાનશીલવાળી કેાઈ કન્યાનું પાણિગ્રહણ કરવાને ઇચ્છું છું. ભગવાને કહ્યું કે, હે બ્રહ્મન ! તમારે માટે મેં બ્રભાવના રાજ મનુની પુત્રી દેવદ્ધતિની બેજના કરી રાખી છે. તેઓ તમને જોવા માટે પણ આવનારાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org