Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[૧૧૮૧. તેમ એક વાર બુદ્ધ ભગવાનને ધમીતિક્રમી અને પ્રજદેવી તરીકે ઓળખાવનાર સમર્થ વૈદિક વિદ્વાનના વંશજોએ બુદ્ધના આચાર અને વિચારની લોકપ્રિયતા વધતાં જ પિતાના સર્વગ્રાહક અવતારવાદમાં તેમનું સ્થાન ગોઠવ્યું છે, અને વિષ્ણુના અવતારરૂપે તેઓની નિન્દા-સ્તુતિ પણ કરી છે. ૨૦
૩ –સાધારણ જનતાની વાત તો એક બાજુએ રહી પણ વિશિષ્ટ વિદ્વાને સુદ્ધાં ભારતીય દર્શને ઈતિહાસ લખતી વખતે જે દર્શનનું આજે
મરણ પણ કરતા નથી તે આજીવ દર્શન એક વખત હિન્દુસ્તાનમાં બહુ જાણતું અને બહુ ફેલાયેલું હતું. જોકે અત્યારે તે એ આછવક દર્શન પિતામાંથી ઉદ્દભવ પામેલા અનેક નાના સમ્પ્રદાયના નામમાં અને દેશ-કાળ, પ્રમાણે બદલાયેલ આચાર-વિચારમાં નામથી અને સ્વરૂપથી તદ્દન ભૂંસાઈ ગયું છે, છતાં ઈ. સ. ના છઠ્ઠા સૈકા સુધી તે દર્શનના સ્વતંત્ર આચાર્યો હેવાનું અનુમાન પ્રોફેસર હેલ વરાહમિહિરના હજજાતક ઉપરથી કરે, છે.૨૧ સાહિત્યના પ્રદેશમાં તે એનું પોતાનું કાંઈ પણ સાહિત્ય આજે, શેષ નથી. છતાં જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રન્થમાં આવક મત, તેનાં મન્તવ્ય અને તેના પ્રવર્તકોના મહત્તવપૂર્ણ ઉલ્લેખ મળે છે. વૈદિક ગ્રન્થ કરતાં જૈન અને બૌદ્ધ ગ્રન્થમાં એ ઉલેખો ઘણા પ્રમાણમાં છે. માત્ર પાછળના ટીકાગ્રન્થમાં જ નહિ પણ જેના મૂળ આગમ અને બૌદ્ધોના પિટકથામાં સુદ્ધાં આજીવક મત વિષે વર્ણન છે. આજીવક પંથના નંદવચ્છ, કિસસંકિચ્ચ અને મમ્મલિ એ ત્રણ નાયકને નિર્દેશ બૌદ્ધ વાલ્મમાં છે. તેમાં એ, મખલિનું નામ બુદ્ધ ભગવાનના સમકાલીન છ મહાન પ્રતિસ્પધીઓમાં. એક પ્રતિસ્પધી તરીકે બૌદ્ધપિટકર૩ માં છે. २० “ निन्दसि यज्ञविधेरहह अतिनातं
सदयहृदयदर्शितपशुधातम। .
केशव ! धृतबुद्धशरीर ! जय जगदीश! हरे ! ॥९॥ ૨૧ જુએ, તેમને “આજીવિક” ઉપર નિબંધ.
૨૨ એ બધા ગ્રંથની સવિસ્તર સૂચી છે. હેર્નલના (આજીવિક) નામના નિબંધમાં છે—જુઓ,એન્સાઈકપીડિયા ઓફ રીલીજીયન એન્ડ ઈથિકસ વેલ્યુમ ૧ પૃ. ૨૫૦
૨૩. જુઓ, રીનિઝાચ વાગ્યસુત્ત તથા તેને મરાઠી અનુવાદ (૦. રાજવાડે તો પરિશિષ્ટ પૃ. ૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org