Book Title: Sampradayikta ane Tena Puravanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧પ૧ વિષ્ણુભક્તિ–પછી, પછી ! શ્રદ્ધા–બાદ સાંખ્ય ન્યાય, કણદ, મહાભાષ્ય, પૂર્વમીમાંસા આદિ દર્શનેથી
વેષ્ટિત વેદત્રયી જાણે ત્રિનેત્ર કાત્યાયની હોય તેમ સરસ્વતી સન્મુખ
પ્રકટ થઈ. શાંતિ–એ વિધી દર્શને એકત્ર કેમ મળ્યાં? શ્રદ્ધા—હે પુત્રી શાંતિ ! એ દર્શને જે કે પરસ્પર વિરોધી છે, છતાં બધાં
વેદપ્રસૂત હોવાથી જ્યારે વેદને કઈ વિરોધ કરે ત્યારે બધાં એકસંપી
થઈ વેદવિધીની સામે થાય છે. વિષ્ણુભક્તિ–પછી, પછી! શ્રદ્ધા–હે દેવી ! ત્યારબાદ મહામહનાં એ પાખંડ દર્શન અને અમારા
આસ્તિક દર્શને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેમાં એ પાખંડીઓએ લકાયતશાસ્ત્રને આગળ કર્યું હતું. પણ તે તે અંદરોઅંદર સૌના સંધષણેથી જ નષ્ટ થયું. અને બીજા પાખંડી આગમે તે સત્ય આગમરૂપ સમુદ્રના પ્રવાહમાં બિલકુલ છિન્નભિન્ન થઈ ગયા. બૌદ્ધો સિંધ, ગાંધાર, પારસિક, આધ્ર, દૂણ, વંગ, કલિંગ, આદિ પ્લે છપ્રચુર દેશમાં દાખલ થઈ ગયા. પાખંડ, દિગમ્બર, કાપાલિક, વિગેરે તે પામર લેકેથી ભરેલા પંચાલ, માલવ, આભીર, આવતું ભૂમિમાં દરિઆ નજીક છૂપી રીતે સંચરે છે. ન્યાયયુક્ત મીમાંસાના પ્રહારથી જર્જરિત થએલા એ નાસ્તિકોના ત તે જ પાખંડી આગમોની પાછળ પાછળ પલાયન કરી ગયા. (પ્રબોધચંદ્રોદય અંક ૩ પૃષ્ઠ. ૯૯)
(દર્શનવિષયક) પરિશિષ્ટ ૩ તંત્રવાર્તિક
સાખ, ગ, પાંચરાત્ર, પાશુપત, બૌદ્ધ અને જૈનદર્શનને માનેલી ધમધર્મનાં કારણોને કેઈ ત્રણ જ્ઞાતા સ્વીકારતા નથી. એ એ દર્શનેની માન્યતાઓમાં પણ વેદની છાયા તે આવી જ ગઈ છે. તે તે દર્શનના આદ્ય પુરૂષે એ માન્યતાઓને ચલાવવામાં ખાસ ઉદ્દેશ તરીકે લોકસંગ્રહ, લાભ, પૂજા, અને ખ્યાતિને રાખેલ છે તથા એ માન્યતાઓ વેદત્રયથી વિપરીત છે, દષ્ટ શભા ઉપર નિર્ભર છે, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને અથપત્તિ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org