Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર; રાજા મનમાં અનેક પ્રકારના વિચાર કરતો ." દત્ત! આ કઈ દેવીની છબી છે? કઈ ચાલાક-ચતુર ચિત્રકારે આને આલેખી છે ખરૂં ?" * દેવ ! આ કાંઈ દેવીની છબી નથી પણ મનુષ્ય છે. દૂરનો જવાબ સાંભળી રાજા તાજુબ થયે.. શું આ મનુષ્ય. કન્યા છે? મનુષ્યમાં તે, આવું અથાગ રૂપે સંભવી શકે ? દેવ કે વિદ્યાધરોમાં જ એ સંભવી શકે. . . દેવ કે વિદ્યાધર તો શું પણ મનુષ્યોમાંય એ સ્વરૂપ સંભવી શકે. . - ' “એમ ! તો કહે આ બાળ કેણ છે ? : ' “આ બાળા મારી ભગિની છે. આ કે “તારી ભગિની ? વણિક કન્યા ? . . “ના, રાજકન્યા '' * “રાજકન્યા? તો પછી આ બાળા તારી ભગિની શી રીતે હોઈ શકે? શંખરાજાએ એ ભેદ જાણવા માટે દત્તકુમારને પ્રશ્ન કર્યો. રાજા આ ભરતાધના મધ્યખંડમાં આવેલા શંખપુરનગરને શંખરાજા હતો. પિતાનું રાજ્ય મેલે હજી અધિક સમય થયો નથી. એવો નવીન યૌવનવાળે, મોટા ભાગ્યવાળને સૌભાગ્યનો નિધાન શંખરાજા ન્યાયથી પ્રજાનું પાલન કરતો હતો. શઠ અને દુર્જનને શિક્ષા કરી સજનનું સન્માન કરતો હતો. પ્રજાપાલક અને ન્યાયપરાયણ હોવાથી લેકેની ભક્તિ રાજા ઉપર ખુબ હતી.. * શંખરાજાના પ્રશ્નના ઉત્તરમાં દત્તકુમાર બે દેવ! આ રાજબાળા મારી ધર્મભગિની શી રીતે તે આપ સાંભળો. પિતાની આજ્ઞા મેળવીને ધન ક્સાવા તેમજ. દેશાટન કરવા હું એક મોટા સાથેની સાથે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust