Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
સમવયાત્મક સાધુતા
પ્રેરણાની પાવનમૂર્તિ જુવાળ જાગ્યો. અંબાલાના આ સોળમા ચાતુર્માસમાં ધર્મજ્ઞાનની અમૃતવર્ષા વહી રહી. એમનું વ્યક્તિત્વ એવું વાત્સલ્યપૂર્ણ અને આત્મીય હતું કે સહુ કોઈ એમ માનતા કે મહારાજ શ્રીનો અખૂટ પ્રેમ એમને જ પ્રાપ્ત થયો છે. એમના સંપર્કમાં આવનારી પ્રત્યેક વ્યક્તિના મનમાં એવો જ ભાવ હોય કે આ મહારાજ શ્રીની કેટલી બધી કૃપા મને પ્રાપ્ત થઈ છે. સહુને એ આત્મીય લાગતાં હતાં. એમના જીવનને ધર્મપ્રકાશથી અજવાળનારાં સાધ્વીશ્રી લાગતાં હતાં. અહીં ‘અક્ષયનિધિ તપ'ની પ્રથમવાર આરાધના કરાવી. સામાજિક કાર્યોને માટે જનસમુદાયમાં વ્યાપક જાગૃતિ આણી. ધાર્મિક અને કલ્યાણકારી પ્રવૃત્તિને પરિણામે આખું પંજાબ ઘેલું બની ગયું. સમતા, નમ્રતા અને વિદ્વત્તાને કારણે સાધ્વીશ્રીની વાણીની અદ્દભુત અસર થઈ અને આમજનતા એમના પર સ્નેહ, શ્રદ્ધા અને પ્રેમની અવિરતધારાની વર્ષા કરવા લાગી.
પર્યુષણ પછી અંબાલા મંદિરના ઉપાશ્રયના ત્રીજા માળે ઉપરના ખંડમાં માતાગુરુ, સાધ્વીશ્રી મૃગાવતીજી તથા સુયેષ્ઠાજી સૂતાં હતાં અને સવારે ચારે વાગે ઊઠવાની તૈયારી કરતાં હતાં, ત્યારે લાલા પંજુ શાહ ધર્મચંદજીએ મંદિરની ઉપરની છત પરથી બુમ પાડી અને માતાગુરુને હૃદયદ્રાવક સમાચાર આપ્યા કે આપણા પંજાબકેસરી ગુરુદેવનો વિયોગ થયો છે. કેવો પ્રચંડ વજાઘાત !
૧૯૫૪ની ૨૨મી સપ્ટેમ્બરે પૂ. ગુરુદેવનો તીવ્ર વિયોગ થયો અને એ દિવસે પ્રાતઃકાળે છે આવશ્યક પૂર્ણ કરીને સાધ્વીશ્રી હોલમાં આવ્યાં, ત્યારે આખો ઉપાશ્રય ભાવિકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. એમની આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હતી. કોઈ ડૂસકાં ભરતાં હતાં અને કોઈ પોતાના પ્રાણપ્યારા ગુરુદેવની યાદમાં આક્રંદ કરતા હતા. માતાગુરુની આંખમાં પણ આંસુ ઊમટી આવ્યાં. એ સમયે સાધ્વીશ્રી મૃગાવતીજીએ હૃદય પર પથ્થર મૂકીને લોકોને સ્વસ્થ રહેવા અને વૈર્ય ધારણ કરવા કહ્યું અને શ્રીસંઘની સાથે દેવવંદનાદિ ક્રિયાઓ કરીને એમણે અને અને સર્વને આશ્વાસન આપ્યું. ત્રણ ત્રણ દિવસ સુધી વાતાવરણમાં વિષાદનાં વાદળ છવાયેલા રહ્યાં. શ્રીસંઘના શ્રાવક-શ્રાવિકાઓને સ્વસ્થ થવા કહ્યું અને માતાગુરુએ તથા સાધ્વીશ્રી મૃગાવતીજીએ વ્યાખ્યાનમાં આ મહાન ગુરુની યાદમાં મહાન સ્મૃતિ રચવાની વાત કરી. એક ભવ્ય વિચારનું નાનકડું બીજ અહીં રોપાયું અને અંબાલાની ‘શ્રી
આત્માનંદ જૈન કૉલેજ માં તરત પૂ. શીલવતીજી તથા પૂ. મૃગાવતીજીની નિશ્રામાં મહાસભાનું અધિવેશન બોલાવવામાં આવ્યું. તેમાં સમગ્ર પંજાબમાંથી એકસો સભ્યોએ હાજરી આપી અને એમાં યોજના કરવામાં આવી કે પ્રભાવક ગુરુદેવની સ્મૃતિમાં દિલ્હીમાં એક ભવ્ય સ્મારકનું નિર્માણ કરવું. લાલા બાબુરામજી વકીલ, લાલા જ્ઞાનદાસજી (નાયબ ન્યાયમૂર્તિ), લાલા ખેતુરામજી, લાલા સુંદરલાલજી અને પ્રો. પૃથ્વીરાજ જીએ સાધ્વીશ્રી સાથે મળીને વિચારવિમર્શ કર્યો અને પૂ. આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજના સંશોધનકાર્ય જેવાં કાર્યો માટે પૂ. ગુરુદેવની યાદમાં સમાધિમંદિરની રચના કરવાનો નિર્ણય કર્યો. ધીરે ધીરે પંજાબના અગ્રગણ્ય શ્રાવકસંઘોમાં ભાવનાનું પ્રાગટ્ય થતું ગયું.
ઈ. સ. ૧૯૫૫ (વિ. સં. ૨૦૧૧)માં માલેર કોટલામાં સાધ્વીશ્રી શીલવતીજી, સાધ્વીશ્રી મૃગાવતીજી અને સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાજીનો સત્તરમ ચાતુર્માસ શરૂ થયો. ૧૯૫૫ની ૨૨મી જૂન અને બુધવારે ભવ્ય નગરપ્રવેશ યોજાયો. પંજાબની ભૂમિ આ સાધ્વીજીની પ્રેરણાથી નવા ચૈતન્ય સાથે થનગની ઊઠી. ભક્તોમાં ભક્તિનો અપૂર્વ જુવાળ પ્રગટ્યો. ગુરુભક્તિ જોવી હોય, તો પંજાબમાં જાવ, એવી ઉક્તિ સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ. સાધ્વીશ્રીની ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક ભાવનાઓ સાકાર બનવા લાગી. માલેર કોટલાની જૈન કૉલેજના મેદાનમાં શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબનું સર્વપ્રથમ અધિવેશન યોજાયું. દિલ્હીમાં ‘વલ્લભસ્મારક'ના નિર્માણનો દઢ નિર્ણય અહીં પુનઃ કરવામાં આવ્યો અને આ કામને શ્રીસંઘની મહોર લાગી ગઈ. ‘વિજયાનન્દ સામયિકનો શુભારંભ થયો, જે પત્રિકા દ્વારા સમાજને વર્ષો સુધી ગુરુવલ્લભનો નવજાગરણનો સંદેશ મળતો રહ્યો. આ બધાં કાર્યોમાં લાલા રોશનલાલજી, લાલા જ્ઞાનચંદજી (લહોટીયા), લાલા મીરીમલજી, લાલા બાબુરામજી, શ્રી હેમરાજજી શરાફ વગેરેનો ઉષ્માભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજીને કારણે આ શ્રાવકો મૂર્તિપૂજક બન્યા હતા. અને તેઓ શાસન પ્રત્યે પૂર્ણ સમર્પિત, શ્રદ્ધાવાન, સેવાભાવી અને ઉત્સાહી હતા. તે સમયે * શ્રી આત્મવલ્લભ જૈનભવન ઉપાશ્રયનો શિલાન્યાસ તથા પૂજજી (યતિ)વાળા