Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 52
________________ આત્મ-કાંતિના ઓજસ પ્રેરણાની પાવનમૂર્તિ શ્રવણ, મનન, સેવા માટે થોડોક સમય ફાળવવો જ જોઈએ તેવી અપીલ કરી. મૂકસેવક શ્રી ગુલાબચંદભાઈ શેઠ તથા સંસ્થાના સંચાલિકા શ્રી હીરાબેન શેઠ વગેરેનો ફાળો નોંધપાત્ર છે, તે અનુભવ્યું. ૧૯૯પની સોળમી જૂને પોતાના સત્યાવીસમા ચાતુર્માસ અર્થે સાધ્વીજીએ પોતાના વતન સરધારમાં પ્રવેશ કર્યો. જૈન-જૈનેતર સહુ કોઈ સાધ્વીજીનાં વ્યાખ્યાન અને દર્શનને માટે ઊમટી પડ્યા. મુંબઈ, પુણે જેવાં નગરોમાં વસતા સરધારના વતનીઓએ ગામમાં આવેલાં પોતાનાં ઘર ખોલ્યાં અને સાધ્વીજીની નિશ્રામાં ચાતુર્માસમાં ધર્મઆરાધના કરવા લાગ્યા, સરધાર પાસે આવેલ વીરનગરની આંખની હૉસ્પિટલના ડૉ. શિવાનંદ અધ્વર્યુ પોતાની ટીમ સાથે રવિવારના વ્યાખ્યાનો સાંભળવા આવતા. તેઓ વ્યાખ્યાનના વિષયો આપીને જતા, જેના ઉપર પૂ. સાધ્વીશ્રી વ્યાખ્યાન આપતા. પૂ. શીલવતીજીનું મોતિયાનું ઑપરેશન એમણે સરધારના ઉપાશ્રયમાં જ કર્યું હતું. અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિઓથી સરધાર શોભાયમાન બની રહ્યું. આ સમયે ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીએ અનાજની ઊભી થયેલી અછતના ઉપાય તરીકે સોમવારે એક ટંક છોડવાની હાકલ કરતાં અન્ય દેશવાસીઓની સાથે પૂ. સાધ્વીજીએ સોમવારે સાંજની ગોચરી છોડી દીધી અને સાથે સાથે સરધારના શ્રીસંઘના કેટલાય ભાઈ-બહેનોએ પણ સાંજનું જમવાનું છોડી દીધું. આ ચાતુર્માસની સઘળી સાધર્મિક ભક્તિનો લાભ શ્રીમતી શાંતાબેન પ્રભુદાસ શામળજી પરિવારે ભક્તિભાવપૂર્વક લીધો હતો. અહીં શ્રી આત્મવલ્લભ અતિથિ-ગૃહનું નિર્માણ થયું. ઉપાશ્રયમાં ગુરુ વલ્લભની વિશાળ તસવીરનું અનાવરણ થયું. ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કર્યો, તો હાઈસ્કૂલના બે વર્ગખંડ પર પૂ. શ્રી શીલવતીજી મહારાજનું નામાભિધાન થયું. ગુજરાતની આ ભૂમિ પર ઉત્સવ-મહોત્સવમાં પધારેલા પંજાબી ભાઈઓએ ભક્તિના આનંદનો અબીલગુલાલ ઉડાડ્યો. હવે સરધારથી મુંબઈ જતાં દહાણુ પાસે બોરડી ગામમાં મહાવીર જયંતીના દિવસે જૈન છાત્રાલયના ચોગાનમાં બપોરે બે વાગે પૂ. સાધ્વીશ્રીની વ્યાખ્યાનસભાનું આયોજન થયું હતું. ત્યાં દહાણું શ્રીસંઘના પ્રમુખ અને રોટરી ક્લબના પ્રેસિડેન્ટ એવા ક્રાંતિકારી વિચારક શ્રી પૂનમચંદજી બાફના પોતાના સાથીઓ અને પ્રાંત ઑફિસર શ્રી એલ. સી. કોઠારીની સાથે આવ્યા હતા. મુંબઈમાં ભાયખલામાં ચોમાસુ નક્કી થઈ ગયું હોવાથી શ્રી આત્માનંદ જૈન સભાના હોદ્દેદારો, ૨૫૦ જેટલાં ગુરુભક્તો, અન્ય કાર્યકર્તાઓ આ પ્રસંગ ઉપર પહોંચ્યા હતા. સભા ખીચોખીચ ભરેલી હતી. ચાલુ વ્યાખ્યાન સભામાં શ્રી કોઠારીજીએ પૂ. મૃગાવતીશ્રીજીને પૂછવું કે પ્રભુ મહાવીરની અહિંસા કેવી છે ? આ બાબુજી કે જેમની પાસે ખેતીવાડીની સેંકડો એકર જમીન છે તેમણે અહિંસા કેવી રીતે પાળવી ? ખેતી કરવી કે નહીં? આ પ્રશ્ન સાંભળીને પૂ. સાધ્વીજી મહારાજે જવાબ આપતાં જણાવ્યું કે ઉપાસકદશાંગસૂત્રમાં બાર વ્રતધારી દસ શ્રાવકોમાં જેની ગણના થાય છે તેવા આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક વગેરના દૃષ્ટાંતો છે, તેમની પાસે ૪૦ હજાર ગાયો હતી. તેઓ કુંભાર હતા અને તેમની પ00 દુકાનો માટીના વાસણોની હતી. ભગવાને ક્યારેય એવું નહોતું કહ્યું કે પહેલાં તમે આ બધું છોડીને આવો અને પછી તમે અમારા શ્રાવક બની શકો. મહાવીરની અહિંસાને હજી આપણે સમજ્યા નથી. જો પ્રભુજીની અહિંસા કદાચ આ પ્રકારની હોત તો બાર વ્રતના ઉચ્ચારણ પહેલાં તે બાબતે જરૂર કહ્યું હોત. ભગવાને પાંચ મહાવ્રતોની જે સુંદર વ્યાખ્યાઓ કરી છે તેમાં તેમણે જયણાને, ઉપયોગને, વિવેકને મહત્ત્વ આપ્યું છે. પૂ. સાધ્વીજીએ જણાવ્યું કે પુસ્તકમાં જે અહિંસા લખી છે તે મગજ માં આવી જાય તો બેડો પાર થઈ જાય. અહિંસાનો સંબંધ મન સાથે છે ‘મન: pg મનુOTri શ્રીરનું વંધ-મો:' અર્થાતુ મન જ મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ છે. પ્રભુએ તે ‘મુઠ્ઠા રિસTદો ગુનો' અર્થાત્ મૂર્છા કે આસક્તિ જ વસ્તુતઃ પરિગ્રહ છે, પાપકારી છે તેમ જણાવ્યું છે. અહિંસાનો વિષય ખૂબ વિશાળ છે. તેમાં પણ ‘પ્રમત્ત પ્રાથપરોપvi fહંસા' અર્થાત્ પ્રમત્તતાપૂર્વક કોઈના પ્રાણની હાની કરવી તેનું નામ હિંસા છે એમ કહ્યું છે. આ રીતે આ સૂત્રોની સરળ, સુબોધ, સુંદર શૈલીથી વ્યાખ્યા કરી. પ્રભુ મહાવીરની આરંભી, ઉધોગી, વિરોધી અને સંકલ્પી ચાર પ્રકારની હિંસાના ઐતિહાસિક ઉદ્ધરણો, દૃષ્ટાંતો, દલીલોથી

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161