Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 83
________________ પ્રેરણાની પાવનમૂર્તિ વેદનાની આંધીમાંથી કલ્યાણનું સર્જન થયું. મનને મક્કમ કરીને એમણે ઉપસ્થિત શોકગ્રસ્ત સમુદાયને કહ્યું કે જેમના જીવનની ક્ષણેક્ષણ માનવજાગૃતિમાં વ્યતીત થઈ હોય, એમનું માનવતાપ્રેરક સ્મારક રચીએ. ગુરુભક્તિનું એ સ્મારક માત્ર સ્મારક જ નહીં, કિંતુ એમનો યુગસંદેશ બની રહેશે. એમણે સમસ્ત પંજાબ શ્રીસંઘના ઉપસ્થિત સમુદાય સમક્ષ પોતાની ઉત્કૃષ્ટ ભાવના પ્રગટ કરતાં કહ્યું , એમની ગરિમાને અનુરૂપ એ ભવ્ય સ્મૃતિમંદિર ઉત્તર ભારતમાં અને તે પણ દેશની રાજધાની દિલ્હીમાં સર્જવામાં આવે અને એ સ્મૃતિમંદિર વલ્લભસ્મારકની સાથોસાથ વલ્લભ-સંદેશ બની રહે. આવનારા યુગને એ યુગદર્શી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સર્વવ્યાપી વિરાટે કાર્યની ઝાંખી આપે. એમાં ઉત્કૃષ્ટ ધર્મઆરાધનાની પાવન સુવાસ વહેતી હોય, એની સાથોસાથ સાહિત્ય, સંસ્કૃતિ, દર્શન, શિક્ષણ અને સંશોધનની સરસ્વતી પૂજાના ધૂપ-દીપ ચાલતા હોય, અને એમાંથી માનવકલ્યાણનાં ઉમદા કાર્યોનો જયઘોષ સંભળાતો હોય.” એ પછી યોજાયેલી શ્રી આત્માનંદ જૈન મહાસભાની મિટિંગમાં સાધ્વીશ્રી મૃગાવતીજીની એ ભાવનાને સહુએ ઉમળકાભેર સર્વસ્વીકૃતિ આપી. ત્યારબાદ સાધ્વીશ્રી મૃગાવતીજીએ પંજાબમાં પટ્ટી, જીરા, જંડિયાલા, નકોદર, જલબ્ધર, અમૃતસર, હોશિયારપુર, લુધિયાણા વગેરે શહેરો અને ગામોમાં જ્યાં જ્યાં વિહાર કર્યો, ત્યાં ત્યાં એમણે આ ભૂમિ પરનાં ગુરુ વલ્લભનાં કાર્યોનું, તેમના મહાન ઉપકારોનું ઋણ સ્વીકારીને ગુરુ-કણમુક્તિના પ્રયાસ રૂપે વલ્લભસ્મારક રચવાની ભાવનાનો જયનાદ જગાવ્યો. વિહારમાં સાધ્વીશ્રીને શ્રી આત્માનંદ જૈન મહાસભાના સભ્યો મળવા માટે જતા હતા અને એ અલ્પ સમયમાં તો વલ્લભસ્મારક માટે દાનની ધારા વહેવા માંડી. લુધિયાણાના દાનવીર શ્રી મોહૂરામ પ્રેમચંદજી જૈન અગ્રવાલે અગિયારસો રૂપિયા આપીને શુભારંભ કર્યો અને શેઠ શ્રી લછમનદાસજી ઓસવાલ પણ એટલી જ ધનરાશિ જાહેર કરી. એ પછી તો દાનની ધારા સતત વહેવા લાગી અને થોડા જ સમયમાં બાર હજાર રૂપિયા એકઠા થયા. પંજાબના સમાજની અપ્રતિમ ગુરુભક્તિ જોઈને સાધ્વી-સમુદાયનો ઉત્સાહ વૃદ્ધિ પામ્યો અને આ રીતે એ જમાનામાં કુલ છાસઠ હજાર રૂપિયા એકત્રિત થયા. દિલ્હીના શ્રીસંઘ અને સંસ્કૃતિમંદિરનું સર્જન શ્રી આત્માનંદ જૈન મહાસભાને સૂચવવામાં આવ્યું કે સ્મૃતિમંદિરને માટે ઉચિત વિશાળ ભૂમિની ખોજ કરે. આટલી વિશાળ જમીન મેળવવી કઈ રીતે ? વળી નાની જગામાં સ્મારકની રચના થાય, તે મહત્તરાજીને સહેજે મંજૂર નહોતું. વ્યાપક દર્શનથી ચોમેર જાગૃતિ સર્જનાર ગુરુદેવનું સ્મારક તો ભવ્ય અને વિશાળ ભૂમિ પર જ હોવું જોઈએ. વળી મહત્તરાજી સદૈવ ઉત્કૃષ્ટ અને ઉત્તમનો આગ્રહ રાખતાં હતાં. તેઓ જે કોઈ કાર્ય હાથ પર લે, તેમાં જીવ રેડીને કામ કરતાં ક્યારેય ઉત્તમતાની બાબતમાં કોઈ બાંધછોડ કરતાં નહીં. ‘ચાલશે” અથવા તો ‘ચલાવી લઈએ’ તેવા શબ્દો એમના શબ્દકોશમાં નહોતા. ભૂમિની પસંદગી હોય કે મૂર્તિની રચના હોય - એ સર્વમાં પૂર્ણતા માટે આગ્રહ રાખતાં હતાં. - વલ્લભસ્મારક માટે ભૂમિસંપાદનના પ્રયત્નો ચાલતા હતા. શ્રી જ્ઞાનચંદજી (સબ જજ), શ્રી બાબુરામજી પ્લીડર, લાલા ખેતુરામજી (જીરા), લાલા સુંદરદાસજી , પ્રો. પૃથ્વીરાજજી વગેરે મહાનુભાવો દેશના અગ્રણી નેતા સરદાર સ્વર્ણસિંગને મળીને વખતોવખત ચર્ચાવિચારણા કરતા હતા. એ પછી વડોદરામાં આચાર્ય ભગવંત સમુદ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ બાદ સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની ઇચ્છા મુજબ આ કાર્યને આકાર આપવાની જવાબદારી દિલ્હી શ્રીસંઘને સોંપવામાં આવી. ઈસ. ૧૯૫૫માં માલેરકોટલામાં મહાસભાનું અધિવેશન થયું. એમાં પણ સ્મારક દિલ્હીમાં બને એ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરીને તે વિચાર ઉપર મહોર લગાવી દીધી. ૧૯૫૯માં અખિલ ભારતીય શ્વેતાંબર જૈન કૉન્ફરન્સનું એકવીસમું અધિવેશન લુધિયાણામાં યોજાયું, ત્યારે પણ શ્રી વલ્લભસ્મારકના નિર્માણનો પ્રસ્તાવ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યો. એ પછી આગમોના અભ્યાસ માટે સાધ્વીશ્રી ગુજરાતમાં આવ્યાં અને ગુજરાત પછી અન્ય રાજ્યોમાં વીરવાણી અને વલ્લભસંદેશના પ્રચાર માટે એમનો વિહાર સતત ચાલતો રહ્યો. પૂ. સાધ્વીશ્રી શીલવતીજી મહારાજ તથા સાધ્વીશ્રી મૃગાવતીજી મ. અન્ય રાજ્યોમાં હોવાથી શ્રી આત્માનંદ જૈન મહાસભા થોડી હતોત્સાહ થઈ. વળી વચ્ચેના સમયગાળામાં કેટલાક પીઢ કાર્યકર્તાઓનું નિધન થતાં વાત વિશેષ + ૧પપ -

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161