Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ જાન્યુઆરીએ આ ગ્રંથભંડાર ભારતના તત્કાલીન ગૃહમંત્રી જ્ઞાની ઝેલસિંહ દ્વારા શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો.
સ્વપ્નો સાકાર થતાં હતાં. અનેકવિધ પ્રકારનાં કાર્યો આકાર લેતાં હતાં. ૧૯૮૦ની ૨૧મી એપ્રિલે મહત્તરાશ્રી મૃગાવતીજી પ્રત્યે અનન્ય ભક્તિ દાખવનાર શેઠ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે પૂ. વાસુપૂજ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો. એ પછી છાત્રાલયની રચના કરવામાં આવી અને કાર્ય આગળ ચાલવા લાગ્યું.
સમયનો પ્રવાહ વહેતો હતો. સાધ્વીશ્રી એકચિત્ત અને એકનિષ્ઠ બનીને અપૂર્વ એકાગ્રતાથી એક પછી એક આયોજન માટે પ્રેરણા આપતાં હતાં અને એને સાંગોપાંગ પાર ઉતારતાં હતાં. એવામાં ૧૯૮૦માં મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતી શ્રીજી મહારાજ વ્યાધિગ્રસ્ત બન્યાં. મુંબઈ અને દિલ્હીના ડૉક્ટરોએ ઑપરેશન કરીને એમને રોગમુક્ત તો કર્યો, પરંતુ જેવાં સ્વસ્થ થયાં કે તત્કાળ વલ્લભસ્મારકના કામમાં સમર્પિત થઈ ગયાં. સ્મારકના કાર્ય માટે સરકારની અનુમતિ મળવામાં થોડો સમય લાગે તેમ હોવાથી એમણે ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ચાતુર્માસ કરવાનો નિશ્ચય કર્યો.
શરીર સાથ આપતું નહોતું, કિંતુ મનોબળ દૃઢ હતું. લુધિયાણામાં એમના સાધ્વીસમુદાયમાં એક સાધ્વીની અભિવૃદ્ધિ થઈ અને વિશાળ આયોજનની વચ્ચે ચિ. રેણુબહેને ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને એ નૂતન સાધ્વીનું નામ રાખવામાં આવ્યું સાધ્વી શ્રી સુપ્રજ્ઞાશ્રીજી મહારાજ .
લુધિયાણાની ભૂમિ પર મહત્તરાજીનાં કલ્યાણકાર્યોની મહેંક પ્રસરવા લાગી. ‘ઉપાધ્યાય સોહનવિજય ઉદ્યોગકેન્દ્ર'નો પ્રારંભ કરવામાં આવ્યો. એની સાથોસાથ ‘ઉપાધ્યાય સોહનવિજય પ્રિન્ટિંગ પ્રેસ'ની પણ સ્થાપના કરવામાં આવી. લુધિયાણા સિવિલલાઇનના જિનાલયની નજીક સમિતિ કેન્દ્રમાં પૂ. ગણિ જનકવિજયજી તથા પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીની પાવન નિશ્રામાં લુધિયાણાના મહિલામંડળનાં મહામંત્રી શ્રીમતી નિલમબહેન તથા તેમના સહયોગીઓના સહકારથી દસ દિવસની ધાર્મિક શિક્ષણ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ. એમના સાન્નિધ્યમાં લાલા વિદ્યાસાગર ઓસવાલની બાર કરોડની યોજનાવાળી ‘શ્રીમતી મોહનદઈ કેન્સર હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટર 'નો શિલાન્યાસ કરવામાં આવ્યો. શ્રી આત્માનંદ જૈન કૉલેજ અંબાલાને આર્થિક રીતે સધ્ધર
નવી પેઢીનું નૂતન તીર્થ બનાવવાની પ્રેરણા પણ આપી અને ૧૯૮૨માં ચંડીગઢના જિનમંદિર અને ઉપાશ્રયના નિર્માણકાર્યનો શિલાન્યાસ કર્યો.
૧૯૮૩માં કાર્યકર્તાઓની વિનંતીને પરિણામે સાધ્વીશ્રી પુનઃ દિલ્હીમાં પધાર્યા. આ સમયનો એક પ્રસંગ સ્મરણમાં આવે છે. વૈશાખ મહિનાનો ધોમધખતો તાપ હતો. દિલડીની આકરી ગરમીથી ડામરની સડકો સળગી રહી હતી. મહત્તરાજીએ દાદાવાડીમાં થોડો વિશ્રામ કર્યો, ત્યારે સહુએ એમને સાંજે વિહાર કરીને રૂપનગર જવા માટે વિનંતી કરી. એમણે કહ્યું, “મેં રૂપનગરના શ્રાવકોને વચન આપ્યું છે કે માર્ગમાં વધુ સમય રોકાયા વગર તરત જ આવીશ અને મારા કહેવાથી એમણે પાંચ વાગે વલ્લભસ્મારક અંગે એક સભાનું આયોજન કર્યું છે. વલ્લભસ્મારકના વિષયમાં મહત્ત્વની ચર્ચા-વિચારણા કરવાની હોવાથી મને રોકશો નહીં. ફરી ક્યારેક અવસર મળશે ત્યારે દાદાવાડીના આ પરમપાવને સ્થાન પર વંદન કરવા માટે જરૂર આવીશ.”
રૂપનગરના મંદિરના દ્વાર પર પૂજ્યશ્રી મૃગાવતીજી પહોંચ્યાં, તો લાલા ખેરાયતીલાલજી દોડીને મહારાજ શ્રીને ઉપાશ્રયની અંદર લઈ આવ્યા. એમને વિધિપૂર્વક વંદન કર્યા અને કહ્યું, “આપના આદેશ પ્રમાણે અમે બધા ઉપાશ્રયમાં આવી ગયા છીએ અને થોડાક લોકો આપનો સત્કાર કરવા માટે અહીંયાં ઉપસ્થિત છે, પણ ગુરુદેવ, આજે ઘણી ગરમી છે. ભરબપોરનો સમય છે. સઘળું તાપથી શેકાઈ રહ્યું હોય એવું લાગે છે, આથી અહીં ઉપસ્થિત મોટાભાગના શ્રાવકો એમ માનતા હતા કે તમે સાંજે જ આવશો.”
મૃગાવતીશ્રીજીએ ઉપાશ્રય તરફ આગળ વધતાં કહ્યું, “મેં જ આજે પાંચ વાગે મિટિંગ બોલાવી હોય અને હું સ્વયં કશાય કારણ વિના પ્રમાદવશ સમયસર પહોંચું નહીં, તો એ યોગ્ય ન ગણાય.”
મૃગાવતીશ્રીજી ઉપાશ્રયમાં બિરાજમાન થયાં, તો કેટલીક બહેનો ખુલ્લા પગે ભરતડકે આવેલાં મહત્તરાજીની સેવાશુશ્રુષા કરવા લાગી. એમના પગના તળિયા પર પુષ્કળ છાલા પડી ગયા હતા. ઉપસ્થિત શ્રાવકો તો આ જોઈને ધ્રુજી ઊઠ્યા.
રતનચંદજીએ કહ્યું, “મારા ઘેર છાલાની દવા છે. હું હમણાં જ મંગાવી