Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પરિશિષ્ટ-૭
સ્મૃતિસુવાસ-૧
પૂ. મૃગાવતીશ્રીજી મહારાજની પ્રેરણાથી વચનબદ્ધ થયેલાં
કાર્યોનું મૂર્ત સ્વરૂપ પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજીનું સ્વાચ્ય છેલ્લાં ત્રણ-ચાર મહિના થોડું અસ્વસ્થ રહ્યું. તેઓ વ્યાખ્યાનમાં શ્રીસંઘની સમક્ષ જે કાંઈ ભાવના રજૂ કરતાં તેને લોકો ઝીલી લેતા. તેઓ જેનું નામ લેતાં તે તરત ઊભા થઈને તેમની સૂચનાનો, વાતનો સ્વીકાર કરી લેતા. આ રીતે વલ્લભસ્મારકમાં બે ઉપાશ્રય, બે ઉપાસનાગૃહ, જલપાન ગૃહ, કાર્યાલય વગેરે કાર્યો એમનાં કાળધર્મ પછી થયાં. આ ઉપરાંત તેમણે શરૂ કરેલાં, પણ અપૂર્ણ રહેલાં ધર્મકાર્યો પણ એમના કાળધર્મ બાદ સંપન્ન થયા.
પૂ. મહત્તરાજીએ સાધ્વીશ્રી સુત્રતાજીને કુશળ શિલ્પીની જેમ ઘડ્યાં હોવાથી એમની પ્રેરણાને સહારે શ્રીસંઘ દ્વારા આ કાર્યો સિદ્ધ થઈ શક્યા.
આવાં કેટલાંક કાર્યો નીચે પ્રમાણે છે : (૧) બે ઉપાશ્રય તથા બે ઉપાસનાગૃહ :
વલ્લભ-સ્મારકમાં પૂ. સાધુભગવંતો તથા પૂ. સાધ્વીજી મહારાજો માટે ઉપાશ્રયનું અને ઉપાસના કરનારા માટે બે ઉપાસનાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું.
પૂ. સાધ્વીજી મહારાજ માટે ‘રામપ્યારી તિલકચંદ જૈન ઉપાશ્રય', પૂજ્ય સાધુ મહારાજ માટે ‘પ્રકાશવતી દેવરાજ મુન્હાની જૈન ઉપાશ્રય' તથા આ બંને ઉપાશ્રયની નીચે કમલાબેન જયંતીલાલ શાહ ઉપાસનાગૃહ ’ અને ‘સવાણી ટ્રાન્સપોર્ટ ઉપાસનાગૃહ'નું ઉદ્ઘાટન તા. ૧-૨-૧૯૮૮ના રોજ કરવામાં આવ્યું. આ ચારેય સંસ્થાઓનું બાંધકામ પ્રત્યેકનું ૨૭૮૬ વર્ગફૂટ છે. (૨) કાર્યાલય, ચિકિત્સાલય, જલપાનગૃહ (કેન્ટીન), અતિથિગૃહ :
આ બધાના જે આદેશો અપાયા હતા (જુઓ પૃ. ૨૪૨-૨૪૩) તે સર્વ સંસ્થાઓ તૈયાર થઈ જતાં સ્મારકના પરિસરમાં કાર્યરત થઈ. (૩) બી. એલ. ઇન્સ્ટિટ્યૂટમાં સેમિનાર વગેરે :
સ્મારકમાં બી. એલ. ઇન્સ્ટિટ્યૂટમાં અવારનવાર સેમિનાર, પુસ્તક પ્રકાશન વગેરેનું આયોજન થતું રહ્યું. તેમાંની શરૂઆતની કેટલીક પ્રવૃત્તિઓની વિગત આ પ્રમાણે છે :
(૧) સપ્ટેમ્બર ૨૭, ૨૮, ૨૯ ૧૯૮૬ના રોજ આચાર્ય હરિભદ્રસૂરિ ઉપર ત્રિદિવસીય ગોષ્ઠી રાખવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ ડૉ. લોકેશ ચંદ્ર હતા. આ પ્રસંગે બી. એલ. ઇન્સ્ટિટયૂટના પ્રવચન હોલનું નામ “આચાર્ય હરિભદ્રસૂરિ હૉલ રાખવામાં આવ્યું.
(૨) માર્ચ ૨૧ થી ૨૪ ૧૯૮૭માં ‘અહંતુ પાર્શ્વ” ઉપર ગોષ્ઠી યોજાઈ જેમાં મુખ્ય અતિથિ શ્રીમતી કપિલા વાત્સાયન હતાં.
(૩) સપ્ટેમ્બર ૨પ થી ૨૭ ૧૯૮૭ના રોજ આચાર્ય હરિભદ્રસૂરિ ઉપર બીજી ગોષ્ઠી યોજાઈ તેમાં મુખ્ય અતિથિ પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ ડૉ. ઇરફાન હબીબ હતા.
(૪) ડિસેમ્બર ૧૯૯૦માં ‘જૈનદર્શન અને જ્ઞાનમીમાંસા” ઉપર ગોષ્ઠી યોજાઈ જેમાં ડૉ. દોલતસિંહ કોઠારી મુખ્ય અતિથિ હતા.
આ પછી બીજી કેટલીય ગોષ્ઠીઓ અને શોધગ્રંથોનાં પ્રકાશનો થયાં. આ ઉપરાંત દર વર્ષે સમર સ્કૂલમાં પણ નિઃશુલક આવાસીય શિબિરમાં પ્રાપ્ત વગેરે શીખવવામાં આવે છે. (૪) વલ્લભસ્મારકની પ્રતિમાઓનો પ્રવેશ તથા પ્રતિષ્ઠા :
આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજની દીક્ષાશતાબ્દીના વર્ષને ધ્યાનમાં રાખીને આ. ઇન્દ્રન્નિસૂરિજીની આજ્ઞા અનુસાર પૂ. સાધ્વીજી શ્રી સુત્રતાશ્રીજીની નિશ્રામાં ૩૧ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ પ્રતિમાઓની શોભાયાત્રા કાઢવામાં આવી અને ૧ ફેબ્રુઆરી ૧૯૮૮ના રોજ આ પ્રતિમાઓનો વલ્લભસ્મારકમાં પ્રવેશ કરાવવામાં આવ્યો.
- આ પ્રતિમાઓની પ્રતિષ્ઠા તા. ૧૦-૨-૧૯૮૯ના રોજ કરવામાં આવી. આ નિમિત્તે ૧૧ દિવસનો ઓચ્છવ રાખવામાં આવેલ. ૮૦ સાધુ-સાધ્વીજીઓ તથા વિશાળ જનસમુદાય ઉપસ્થિત હતો. પ્રવેશ તથા પ્રતિષ્ઠાનો લાભ લેનારની વિગત પરિશિષ્ટ-૨ સુવાસિત જીવનપથ (પૃ. ૨૪૨-૨૪૩)માંથી પ્રાપ્ત થશે. (૫) જૈન સંગ્રહાલય :
પૂ. મહેત્તરાજીની ભાવના અનુસાર સ્મારકના પરિસરમાં એક જૈન સંગ્રહાલયની સ્થાપના પૂ. સાધ્વીજી સુત્રતાશ્રીજી મહારાજે કરાવી છે. વર્ષોથી એકઠી કરેલ ચીજો અને પૂ. નિત્યાનંદજી મ. દ્વારા એ કઠી કરવામાં આવેલ સામગ્રીને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે. શ્રી સુમંતભાઈ શાહે તેના