Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
આત્મ-કાંતિના ઓજસ
પ્રેરણાની પાવનમૂર્તિ વિષયની એટલી સુંદર છણાવટ કરી કે બધાંના દિલદિમાગમાં પ્રભુ મહાવીરની વિચારસરણી ઊતરી ગઈ. બધાં શ્રોતાઓને મંત્રમુગ્ધ થઈને આ વાતો સાંભળી.
ત્યાં હાજર રહેલા પૂનમચંદબાબુ ખૂબ પ્રસન્ન થયા. ઈ. સ. ૧૯૬૮નું ચોમાસું પૂ. મૃગાવતીશ્રીજીને દહાણુમાં જ કરાવ્યું.
આ રીતે વિહારમાર્ગમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં સાધ્વીશ્રીએ ભાયખલા તરફ પ્રયાણ ક્યું, ત્યારે તેઓ મુંબઈમાં લાલબાગ ખાતે બિરાજતા પૂ. આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીને વંદન કરવા ગયા અને મંગલાચરણ સાંભળ્યું. પૂ. આચાર્યદેવે પણ પ્રેમથી આશીર્વાદ આપ્યા. તિથિ બાબતમાં મતભેદો પડતાં સાધુસાધુ વચ્ચે મનભેદ પ્રવેશ્યા હોવા છતાં પૂ. સાધ્વીજીએ મૈત્રીભાવને અનુસરીને જે વાત્સલ્યભર્યો વ્યવહાર કર્યો તેથી શ્રીસંઘની એકતાની વાત સાકાર થઈ શકે તેનો દાખલો બેઠો. શાસ્ત્રોના જ્ઞાતા ધારે તો શાસ્ત્રની વાતોનો જીવનમાં અમલ પણ કરી શકે તેવા ઉદાહરણરૂપ આ પ્રસંગ બાદ ઈ. સ. ૧૯૬૬ના અઠ્યાવીસમા ચાતુર્માસ માટે જેઠ સુદ ૧૦, તા. ૨૯-પ-૬૬ના રોજ ભાયખલા ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો.
સાધ્વીજીના જીવનમાં જેમ અપરિગ્રહ હતો, એ જ રીતે તેઓ સર્વત્ર તાપ્રધાન જૈન ધર્મને અનુલક્ષીને અન્યને ઓછામાં ઓછો ખર્ચ કરાવતા હતા. આ અંગે એમણે કેટલાક નિયમો પણ સ્વીકાર્યા હતા. એમના ચાતુર્માસ પ્રવેશ સમયે શ્રીસંઘને ખોટો ખર્ચો ન થાય, તે માટે બેન્ડવાજા વગેરે બોલાવવા નહીં એમ આગ્રહપૂર્વક કહેતાં હતાં, પરંતુ મુંબઈના ભાયખલા વિસ્તારમાં ‘સાદડી સેવા મંડળના સભ્યોએ મહારાજશ્રીને નમ્રતાપૂર્વક નિવેદન કર્યું કે અમે ખર્ચો કરીને બહારથી બૅન્ડવાજાને બોલાવતા નથી, બલકે અમે સહુ સાથે મળીને ભક્તિભાવથી સ્વયં બેન્ડવાજા વગાડીએ છીએ. તો આપ ભગવાનના દરબારમાં અમને સ્વયં ભક્તિ કરવાની સુવર્ણતક આપો એવી અમારી વિનંતી છે. સાધ્વીજીએ એમની આ વિનંતીનો સ્વીકાર કર્યો. ગોડીજી અને ભાયખલાનાં દેરાસરમાં ‘સાદડી સેવા મંડળના સભ્યોએ પૂરા જોશ અને ઉત્સાહ સાથે પ્રભુભક્તિ કરી.
આ પૂર્વે કોઈપણ સાધ્વીજી મહારાજે મુંબઈ મહાનગરના આ અગત્યના
ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યો નહોતો. સાધ્વીશ્રી મૃગાવતીજીએ અહીં ચાતુર્માસમાં ઠેર ઠેર જાહેર વ્યાખ્યાનોથી આરાધનાની પ્રબળ હવા જમાવી. એક નવી ચેતના જાગી ઊઠી, તેમ જ ધર્મઆરાધના સાથે માનવકરુણાનાં કાયોનો મંગલમય પ્રારંભ થયો. શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈનો રજત મહોત્સવ ઉજવીને મુંબઈમાં મધ્યમ વર્ગનાં સાધર્મિક કુટુંબોને માટે સસ્તાં રહેઠાણો મળે તે માટે ‘જૈનનગર ની યોજના કાર્યાન્વિત કરી. ગુરુવલ્લભ સ્વર્ગારોહણ દિવસ પ્રસંગે પંજાબથી પ00 ભાઈ-બહેનોની સ્પેશિયલ ટ્રેન શ્રી મેઘરાજજી જૈન (અધ્યક્ષ શ્રી આત્માનંદ જૈન મહાસભા), લાલા સુંદરલાલજી (મોતીલાલ બનારસીદાસ, દિલ્હી), પરમ ગુરુભક્ત રાયસાહેબ પ્યારેલાલ (અંબાલા)ની અધ્યક્ષતામાં આવી. વિજયવલ્લભસ્મારકના નિર્માણ માટે પંજાબમાં પધારવાની સમસ્ત પંજાબ તરફથી અત્યંત આગ્રહભરી વિનંતીઓ થઈ. ગુરુભક્તિના હૃદયસ્પર્શી ભજનોએ ભાયખલાની આખી સભાને ગુરુભક્તિના સાગરમાં તરબોળ કરી દીધા. આવી રીતે અનેકવિધ આયોજનો થયાં. અહીં ભારતના પૂર્વ વડાપ્રધાન અને મહાન નેતા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનાં સાદાઈની મૂર્તિ જેવાં પત્ની શ્રીમતી લલિતાદેવી શાસ્ત્રી અને શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પણ વ્યાખ્યાનમાં આવ્યાં હતાં. આ જ ભાયખલા ઉપાશ્રયના પ્રાંગણમાં પ્રત્યેક રવિવારે તેરાપંથી રાકેશમુનિ અને રૂ૫મુનિ સાથે પૂ. સાધ્વીજીના સંયુક્ત વ્યાખ્યાનો યોજાતાં હતાં.
મુંબઈમાં પૂ. મૃગાવતીશ્રીજી તા. ૧પ-પ-૬૭ના રોજ જૈન ઉદ્યોગગૃહમાં પધાર્યા. એટલું જ નહીં, ત્યાં સાત દિવસની સ્થિરતા કરીને ત્યાંની બધી પ્રવૃત્તિઓમાં રસ લઈને તેને તપાસી પણ હતી. પૂ. ગુરુ વલ્લભસૂરિજીની પ્રેરણાથી સ્થપાયેલ આ સંસ્થામાં ત્રણ દિવસના વ્યાખ્યાનોમાં એમણે પરિશ્રમનો મહિમા સમજાવી કામ કરતી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. આટલા બધા ભાઈબહેનો પ્રામણિક પરિશ્રમ કરીને લાચારીથી નહીં પણ સ્વમાનપૂર્વક જીવન જીવે છે એ જોવાની તક મળી તેનો આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો.
ઓગણત્રીસમો ચાતુર્માસ મુંબઈના પાયધુનીમાં થયો અને ૧૯૬૭ની સોળમી જુલાઈએ ચાતુર્માસને માટે પાયધુનીના શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયમાં પધાર્યા અને અહીં ‘શાસનપ્રભાવના', ‘ધર્મજાગૃતિ', ‘સાચી તીર્થયાત્રા’, ‘તપનો