________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૨૫ (અન્તર્નિમગ્ન છે. એમાં “ના” લેવું છે ને...? તો પછી “જાણ” (એ વર્તમાન) પર્યાય વ્યક્ત રહી (-જાણનારી).
ફરીથી, કે. ચિત્સામાન્યમાં શાકભાવ જે ભગવાન ત્રિકાળ ! આહા... હા! તે સામાન્ય છે, એકરૂપ છે, ધ્રુવ છે, અદ્વૈત છે, નિત્ય છે-એવો ચિત્સામાન્ય. ‘ચિત્” અર્થાત્ જ્ઞાન. “સામાન્ય' માં ચૈતન્યની સમસ્ત વ્યકિતઓ, ચૈતન્યની સમસ્ત પર્યાયો, પ્રગટ પર્યાયો, - ચૈતન્યની સમસ્ત પર્યાયો જે વિશેષ (જેમાંથી ભાવકનો ભાવ કાઢી નાખ્યો હતો), ભૂતકાળમાં કોઈ (પર્યાય) મલિન ને નિર્મળ થઈ, ભવિષ્યમાં નિર્મળ થશે–એ સમસ્ત વ્યકિતઓ, પર્યાયો, પ્રગટ પર્યાયો, નિમગ્ર અર્થાત્ અંતર્ભત છે. શું કહ્યું? સમજાયું કાંઈ ?
સામાન્યસ્વરૂપ જે ભગવાન આત્મા એકરૂપ-એમાં, નિર્મળ પર્યાય પણ અંતર્નિમગ્ન છે. ભૂત અને ભવિષ્યમાં અનંત પર્યાય થઈ અને થશે, કેટલીક મલિન પર્યાયોનો અંત આવીને નિર્મળ પણ થઈ, અને નિર્મળ થશે-એ બધી પર્યાયો, સામાન્ય ચેતનામાં નિમગ્ન છે. અંતરમાં નિમગ્ન છે; ભિન્ન નથી. સમજાણું કાંઈ?
આવો ધર્મનો ઉપદેશ !! હવે શું કરવું એમાં? “આ કરવું. ‘આ’ પ્રભુ! કેઃ અંદર મહાન વસ્તુ પડી છે (-વિધમાન છે). એમાં એ બાજુ (અંતર) માં લીન થા! એની સન્મુખ થા! એનો આશ્રય લે! એ ભગવાન પૂર્ણાનંદના નાથનું શરણ લે! ઉત્તમમાં ઉત્તમ કોઈ પદાર્થ હોય તો એ સામાન્ય ચીજ (નિજાભા) છે, તે ઉત્તમમાં ઉત્તમ કોઈ પદાર્થ હોય તો એ સામાન્ય ચીજ ( નિજાભા) છે, તે ઉત્તમ પદાર્થ સર્વોત્કૃષ્ટ છે અને તીર્થંકર પરમાત્માથી પણ તારો સામાન્ય આત્મા સર્વોત્કૃષ્ટ ઉત્તમ છે. આહા.... હા... હા!
આવો ઉપદેશ!! એટલે લોકોને સોનગઢનું એવું લાગે કે...! તો વળી ભાગ્યશાળી જીવો સાંભળવાને લાયક થયા છે ને..! નહીંતર કઠણ પડે એવું છે. આહા.... હા! પ્રભુ! એકવાર સાંભળ તો ખરો ! પ્રભુ! આવા અવસર ક્યારે મળે !
અહીં કહે છે કેઃ ચિત્સામાન્યમાં-ધ્રુવમાં-નિત્યમાં-એકરૂપ ત્રિકાળી સ્વભાવમાં-જેટલી પર્યાયો થઈ ગઈ અને થવાવાળી છે તે બધી-અંતરમાં નિમગ્ન છે, શક્તિરૂપે. સમજાણું કાંઈ? વિકારીપર્યાય અંદર (દ્રવ્યમાં) જાય છે તો યોગ્યતા રહે છે; વિકાર (દ્રવ્યમાં) નથી જતો. વિકારીપર્યાય જે જાય છે તે વિકારીભાવ, તો ઉદયભાવ છે અને (તેને) તો ભાવકભાવમાં કાઢી નાખ્યો. અહીં તો ઉપશમ અને ક્ષયોપશમ ભાવની જે પર્યાય છે, વર્તમાન પર્યાય સિવાય, ભૂત-ભવિષ્યની જેટલી નિર્મળ પર્યાય છે, એ ચિસામાન્યમાં (દ્રવ્યમાં ) જઈને પરિણામિકરૂપે થઈ છે. અંતરમાં ઉપશમ અને ક્ષયોપશમ ભાવ નથી રહેતો. આહા.. હા! સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com