________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬: પ્રવચન નવનીત ભાગ - ૧
આ શરીર તો જડ છે, માટી – ધૂળ છે. અંદર કર્મ એ અજીવ, માટી-ધૂળ છે. પણ પુણ્ય અને પાપના શુભ – અશુભભાવ પણ પરમાર્થથી તો ભગવાને અન્ય દ્રવ્યમાં ગણ્યા છે. કેમકે
મ્યગ્દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી છે. સમ્યગ્દર્શન પર્યાય છે પરંતુ તેનો જે વિષય છે, તે ધ્રુવ છે. એ તો અનંત ગુણનો પિંડ વસ્તુ- દ્રવ્ય છે. આહા... હા ! એને અહીં સ્વદ્રવ્ય કહેવામાં આવ્યું છે. ઝીણી વાત, ભગવાન! એ અન્ય દ્રવ્ય અને સ્વદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.
પ્રશ્નઃ એવું ક્યારે જોવામાં આવે છે?
સમાધાન: નિમિત્તની દૃષ્ટિ છોડીને; રાગનો કિલ્પ જે શુભ – અશુભ છે, એની દષ્ટિ છોડીને; એક સમયની પર્યાયનો અંશ છે, એની દષ્ટિ પણ છોડીને સમ્યક એકાંતરૂપ આનંદકંદ પ્રભુ, અનંત અનંત ગુણ - અપરિમિત શક્તિનો ભંડાર ભગવાન, તેને સ્વદ્રવ્ય જુઓ. તથા રાગ આદિ વિકલ્પને પરદ્રવ્ય જુઓ. એ પોતાની ચીજમાં નથી.
ભગવાન કુંદકુંદાચાર્યના સમયસાર” નો આ પોકાર છે કે પોતાની જીનમાં પુણ્ય અને પાપ, શુભ અને અશુભ રાગ નથી. , એ તો પરદ્રવ્યમાં ગણવામાં આવ્યા છે. કેમકે જેમ પદ્રવ્ય ભિન્ન થઈ જાય છે, તેમ એ રાગ પણ અનુભવમાં ભિન્ન થઈ જાય છે. આહા... હા. હા!
સમ્યગ્દર્શનના અનુભવમાં ભગવાન આત્મા, સ્વદ્રવ્ય ચૈતન્ય ચમત્કાર વસ્તુ (છે). દુનિયાના ચમત્કાર તે બધા (તો) ફોગટ છે. જે ચેતનવતુ એટલા નાના ક્ષેત્રમાં રહે છે. અરે ! નિગોદના જીવ પ્યાજ અને લસણ (માં) અંગુલના અસંખ્યમાં ભાગમાં અસંખ્ય શરીર છે. એક એક શરીરમાં અનંત જીવ છે. જંગલના અસંખ્યમા ભાગમાં જીવ) અહીં બધે ભર્યા છે. ભગવાન ! એક એક કણમાં આ ક્ષણે અહીં અનંત નિગોદ છે. તે એક એક નિગોદ (શરીર) માં અનંત જીવ છે; અને એક એક જીવ વર્તમાન રાગાદિની પર્યાયથી ભિન્ન છે. આહા... હા! તો તમારા દ્રવ્યને પણ એવું જુઓ અને પર દ્રવ્યને પણ એવું જુઓ.
પ્રભુ અંતરઆત્મા આનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યધન, એની દષ્ટિમાં સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. રાગને વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે એ રાગ છે, તેને પણ અહીં તો પરદ્રવ્ય ગણવામાં આવ્યું છે. “સમયસાર” ના અજીવ અધિકારમાં, કર્તા-કર્મ અધિકારમાં – બધામાં “રાગ” ને તો પરદ્રવ્યમાં – પુદ્ગલના પરિણામમાં ગણવામાં આવ્યું છે. આહા.... હા !
ધર્મની-મોક્ષમહેલની પહેલી સીડી... તે “છ ઢાળા” માં આવે છે: “મોક્ષમહલની પરથમ સીડી, યા વિના જ્ઞાન ચરિત્રા”. - એવું સમ્યગ્દર્શન - અનુભવ –આત્માના આનંદનો અનુભવ - આ સમ્યગ્દર્શનનો વિષય છે “દ્રવ્ય”. સમ્યગ્દર્શન છે “પર્યાય'. સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com