________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦: પ્રવચન નવનીત ભાગ-૧
ભૂલી જા. થાય ત્યારે પણ ભૂલી જા! આહા... હા! એને (વિકલ્પને ) ધારવાની-રાખવાની (વાત જ નથી ).
ચક્રવર્તીનું રાજ કરવું એ કેવું હશે ? ૩૨૦૦૦ રાજા ભેગા થાય. ઇન્દ્રો તો જેના મિત્રો હોય! ચક્રવર્તી ભરતની વાત લોઃ અષ્ટાપદ પર્વત ઉપરથી ભગવાન ( ઋષભદેવ ) જ્યારે મોક્ષે પધાર્યા ત્યારે ભરતની હાજરી ( હતી ). ક્ષાયિક સમકિતી, મતિ-શ્રુત-અધિ ત્રણ જ્ઞાનના ધરનારા ભરત, જ્યાં ભગવાનને આમ મોક્ષ થયો જુઓ; ત્યાં આંસુની ધારા હાલી જાય છે. ત્યારે તેમના મિત્ર ઇન્દ્ર કહે છેઃ ભરત! અમારે તો હજુ મનુષ્યનો એક દેહુ કરવાનો છે અને તમારે તો હવે આ છેલ્લો દેહ છે. અને ભગવાનના વિરહમાં આ શું ? ભરત કહે છે: હૈ ઇન્દ્ર! બધો ખ્યાલ છે... બધો ખ્યાલ છે. આ મારો છેલ્લો દેહ છે. ભગવાનના વિરહના કારણે નહીં, પણ મારી નબળાઈને કારણે આ રાગ આવે છે. અહીં એમ કહે છે ને...! ભાઈ, સાંભળ ને! (–એવા) રાગના વિકલ્પનો ભાવ આવે ત્યારે પણ એની (ભરતની ) ધારણમાં આ વિકલ્પ મા૨ો છે, એમ નથી. એ વિકલ્પને તો હું અડતો ય, સ્પર્શતો ય નથી. મારું સ્પર્શવું તો ભગવાનઆત્મા ઉપર છે. આહા... હા! પરની (એવી અંતરદશાને ) કોણ ઓળખે ?
અહીં કહે છેઃ ત્વરાથી તે ધા૨ણ ક૨! આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણ અરિહંત પૂર્ણ ૫૨માત્મસ્વરૂપે બિરાજમાન છે એને ધારણ કર ને! એને ધા૨ ને! મેં શાસ્ત્રની આ વાત ધારી, આમાં એમ છે ને તેમ છે, એ બધું ઠીક...; હવે સાંભળ ને...! પોતાનો ભગવાન છે એને ધાર, તે પણ ત્વરાથી ધાર! ( ત્વરાથી ) થાઓ, (અર્થાત્ ) એ (વર્તમાન ) પર્યાયરૂપે (ધરનાર)
થાઓ. એમ કહે છે.
જેમ પ્રભુ કુંદકુંદ આચાર્ય કહે છે ને...! “ તં યત્તવિત્ત વાપુરૂં અપ્પો સવિત્તવેળ ” હું મારા વૈભવથી એકત્વ-સ્વરૂપની એકતા-અને વિભાવની પૃથકતા દેખાડીશ. ભગવાને આમ કીધું છે ને... સાંભળ્યું છે, એમ નહીં. (પણ) હું મારા અનુભવના વૈભવથી દેખાડીશ. પ્રભુ! દેખાડું તો પ્રમાણ કરજો. આહા... હા! અનુભવની પરીક્ષા અનુભવથી કરીને પ્રમાણ કરો, એમ કહ્યું. પ્રમાણ કરજે એટલે હા પાડજે, એમ એકલું નથી ( કહેવું ). ભગવાન અંદર જ્ઞાનસ્વરૂપી ચેતનબિંબ પ્રભુ પડયો છે ને...! એને જો. અમે તને દેખાડીએ (તો પ્રમાણ કરજે). સંતો જેને પ્રચુર આનંદનું વેદન વર્તે છે એ એમ કહે છે ‘હું દેખાડું’... દેખાડવાના બે શબ્દો આવ્યા. એકત્વવિભક્ત ‘હું દેખાડીશ', એમ પહેલાં કહ્યું; પછી કહ્યું ‘દેખાડું તો ' “તું યત્તવિહત્ત दाहं अप्पणो सविहवेण હજી એટલું કહ્યું. (આશંકા-) પણ ભાષા નથી કરી શકતા ને, પ્રભુ! તમે આ શું કહો છો ? –હવે (વિવેક રાખી) સાંભળ ને...! “ નવિ વાખ્ખ” (જો હું દેખાડું તો) જે યથાર્થ કથન આત્મામાંથી આવ્યું... પ્રભુ! તું પ્રમાણ કરજે હોં! (“ પમાાં ” ) પ્રમાણ કરજે
,,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com