________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૧૧ તો કીધું: “એક પછી એક છે તે જ તે છે, એનું નામ “ક્રમબદ્ધ ' છે.” સમજાણું કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ !
આ જીવ જ છે “આત્મા”. એની પર્યાય-અવસ્થા, (તે) ક્રમબદ્ધ-ક્રમનિયમ-જે સમયે જે થશે, તે (જ) થશે. પછી જે થવાની હશે તે થશે. પછી થવાની હશે તે થશે. એમ ક્રમસર થાય છે. (તેને) આઘીપાછી કરવાની તાકાત ઇન્દ્ર-નરેન્દ્રની પણ નથી. આહા. હા... હા !
પણ એ “કમબદ્ધ' માં તાત્પર્ય શું છે? તે કહે છે: ગાથા ઉપર જુઓ, કહ્યું ને...! “ આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે.” – “ક્રમબદ્ધ' માં અકતૃત્વ સિદ્ધ કરવું છે. ઝીણી વાત છે, ભગવાન! દરેક જીવની પર્યાય જે સમયે થવાવાળી છે, તે જ સમયે થશે; આઘીપાછી કરવાની તાકાત ઇન્દ્ર-નરેન્દ્ર-જિનેન્દ્રની પણ નથી. અને (તે) પરથી તો થતી જ નથી. આહા... હા... હા... હા! ઝીણી વાત છે. એ કહે છે: “અકર્તાપણું” સિદ્ધ કરવા માટે “ક્રમબદ્ધ” ની વાત કરી છે. “ક્રમબદ્ધ” કહેવા માટે “અકર્તા” અને “અકર્તાપણું' સિદ્ધ કરવા માટે “ક્રમબદ્ધ' કહે છે. આહા... હા... હા! આ ગાથા બહુ કઠણ છે.
જે જીવને જે સમયે જે પર્યાય થવાવાળી છે તે થશે. ભગવાન જુએ છે, માટે થશે, એમ પણ નહીં. ભગવાન તો જ્ઞાયક છે. એ તો સર્વજ્ઞ છે. એ તો થાય છે તેને જાણે છે. પણ દરેક જીવમાં-નિગોદથી માંડીને સિદ્ધ અને બધામાં-જે સમયે જે પર્યાય ઉપજવાવાળી છે તે ક્રમસરક્રમબદ્ધ-નિયમસર ઊપજશે. તો એનું તાત્પર્ય શું?
પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે”. –જીવ પોતાનાં પરિણામોથી ક્રમસરમાં પોતાનાં પરિણામોથી-ઊપજે છે. એ પરિણામ પરથી તો થતાં નથી. પોતાનાં પરિણામથી પરમાં કંઈ થતું નથી. અને પોતાના પરિણામ પણ “ક્રમબદ્ધ' –એક પછી એક થવાવાળાં તે જ-થશે. આહા.... હા ! તો પછી ક્રમબદ્ધ પર્યાય છે, તે થશે, તો એમાં
પુરુષાર્થ” ક્યાં રહ્યો? તો કહ્યું કે એમાં અકર્તાપણું સિદ્ધ કરવું છે. આહા... હા! “અકર્તાપણું” પણ નાસ્તિથી વાત છે; બાકી ખરેખર (તો) જ્ઞાતાને જ સિદ્ધ કરવો છે.
આહા... હા... હા! ઝીણી વાત. બાપુ! ભગવન્! તારી ચીજ જ કોઈ એવી છે! પોતાનો પક્ષ છોડીને ‘સત્ય' શું છે? લોકોએ (એ રીતે) કદી સાંભળ્યું નથી.
પર્યાય ક્રમબદ્ધ થાય છે, તો એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? તો અહીં કહે છે કેઃ ક્રમબદ્ધમાં અકર્તાપણાનો પુરુષાર્થ છે! જે સમયે જે પર્યાય થશે, એનો જ્યારે નિર્ણય કરે છે, તો “જ્ઞાયક' ઉપર દષ્ટિ જાય છે; અને જ્ઞાયક ઉપર દષ્ટિ થવાથી રાગનું (કર્તુત્વ છૂટી જાય છે). ઝીણી વાત છે. ખરેખર તો એ (જ્ઞાયક), પર્યાયનો પણ કર્તા નથી. પણ અહીંયાં એટલી બધી વાત લીધી નથી. (અહીં કહે છે કે, “એ જે સમયે જે પર્યાય થવાવાળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com