________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪: પ્રવચન નવનીત ભાગ-૧ શ્રીમદ્દ એક વાર એમ કહેતા હતાઃ “અરે. રે! આ અમારો નાદ કોણ સાંભળશે?' (તે દી આવી વાત સાંભળવાવાળા) નહોતા. નહોતા. આ વાત સાચી. હવે લોકો સાંભળે છે. લાખો (લોકો ) વિચારમાં પડી ગયા છે કે આ કહે છે કે કંઈ જુદી ચીજ છે.”
આહા.... હા ! પ્રભુ! અહીં કહે છે કે તે પર્યાય પોતાના ત્રિકાળી ભગવાનથી કથંચિત્ ભિન્ન કેમ? (કે.) તે ભાવનારૂપ છે. એ ત્રિકાળી વસ્તુ નથી. વર્તમાન એકાગ્રતારૂપ દશા ભાવનારૂપ છે; વીતરાગ પર્યાયરૂપ છે. અને ત્રિકાળી ભગવાન, વીતરાગ ત્રિકાળી સ્વરૂપ છે. એની દષ્ટિ અને એની એકાગ્રતા, એ વીતરાગપર્યાય છે. વીતરાગપર્યાય છે એ ત્રિકાળી વીતરાગસ્વરૂપથી ભિન્ન છે.
શુદ્ધપારિણામિકભાવ તો ભાવનારૂપ નથી. જો તે (પર્યાય) એકાંતે શુદ્ધપારિણામિકથી અભિન્ન હોય; (એટલે કે, ભગવાન પૂર્ણાનંદના નાથની ભાવના (અર્થાત્ ) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર (રૂપ) એ જે પરિણામ, (જો) ત્રિકાળી દ્રવ્યથી અભિન્ન હોય. અર્થાત્ જેમ ત્રિકાળી અવિનાશી છે, તેમ એ પર્યાય (જો) ત્રિકાળીથી અભિન્ન હોય તો મોક્ષનો પ્રસંગ બનતાંમોક્ષનો પ્રસંગ આવતાં, (આ ભાવનારૂપ મોક્ષ-કારણભૂત પર્યાયનો વ્યય થતાં, ત્રિકાળીઅવિનાશી દ્રવ્ય પણ નાશ પામે ).
આહા... હા ! મોક્ષનો પ્રસંગ આવતાં... એને મોક્ષનો પ્રસંગ આવશે જ. આહા. હા ! જેણે ભગવાન આત્મા-પૂર્ણાનંદના નાથની એકાગ્રતારૂપ ભાગના પ્રગટ કરી, એને અલ્પ કાળમાં મોક્ષપર્યાય પ્રાપ્ત થશે. થશે ને થશે જ. આહા. હા! બીજ ઊગી એ પૂનમે પૂર્ણ થશે. થશે ને થશે જ. એ પડે નહીં. એ ત્રીજ, ચોથ કરતાં કરતાં પૂનમે પૂર્ણ થઈ જશે.
અહીં તો બીજું કહેવું છે. મોક્ષ આવતાં, એ (મોક્ષમાર્ગની) પર્યાયનો નાશ (વ્યય) થશે. એ મોક્ષનું “કારણ” વ્યવહાર ને નિશ્ચયમોક્ષ “કાર્ય'. નિશ્ચયકારણ” તો દ્રવ્ય છે. મોક્ષનો માર્ગ “કારણ” અને મોક્ષ “કાર્ય. તો જ્યારે મોક્ષ થશે એવું “કારણ” પ્રગટયું છે, તો મોક્ષ થશે જ. આહા. હા. હા.. હા! અરે.. રે! એ વખતે- “મોક્ષનો પ્રસંગ બનતાં. ભાષા જુઓ! “મોક્ષનો પ્રસંગ બનનાં' – એ મોક્ષનો પ્રસંગ આવશે જ! આહી.. હા.. હા!
ત્રિકાળીનાથના વીતરાગીસ્વરૂપનો જેણે અંદર વીતરાગભાવથી આદર કર્યો (એને મોક્ષનો પ્રસંગ આવશે જ). ત્રિકાળી પ્રભુ વીતરાગ ચૈતન્યમૂર્તિ છે! આત્મા વીતરાગી ચૈતન્યપ્રતિમા છે! આહા... હા! જેમ પ્રતિમા હાલતી-ચાલતી નથી, તેમ અંદર દ્રવ્યસ્વભાવ હાલતાં-ચાલતો નથી. ત્રિકાળી દ્રવ્ય ચૈતન્યપ્રતિમા છે! એ ભગવાન આત્માની જે પ્રતીતિ જ્ઞાન અને અનુભવદશા થઈ, એ “ભાવના. એને મોક્ષનો પ્રસંગતો આવશે જ. ત્યારે એ (ભાવનારૂપ) પર્યાય (તો) રહેશે નહીં. એ પર્યાયનો વ્યય થશે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com