________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૯૩ જે ચીજ (આત્મા) જેટલી તાકાતવાળી છે, એને એટલી ન માનતાં એને એ (વર્તમાન) પર્યાય ને રાગ જેટલી માની; ( એમાં) પ્રભુને પરમાત્માના સ્વરૂપને મરણ તુલ્ય કરી નાખ્યું છે. હવે એની (અંદરની) રમતમાં એને (આત્માને) જીવતો કર! એટલે જેટલી શક્તિવાળો અને જેટલું એ તત્ત્વ છે તેટલી દષ્ટિ કરીને તેના પ્રમાણમાં પ્રતીતિ-પુરુષાર્થ કરીને સ્વદ્રવ્યમાં રમકરમણનારો થા. રમક-રમણ કરનારો થા. આહા.... હા! આ બારે અંગનો સાર “આ” છે. ગમે તેટલાં (શાસ્ત્ર ) ભણ્યો-વાંચ્યું, ગમે તે કર્યું પણ કરવાનું તો ‘આ’ –સ્વદ્રવ્યમાં સ્વદ્રવ્યનો રમક-રમણ કરનારો જલ્દીથી થા. આહા.... હા ! મુનિઓ પણ એમ કહે છે ને...! “આજે જ કરો”.
પ્રભુ! તમે ઘણા આળસુ થઈને ચેતનની પૂંજીનો-મૂડીનો અનાદર કર્યો છે. આ બહારની લક્ષ્મીને મારી મૂડી ” માની; અરે! રાગનો કણ-શુભરાગ-એને પણ “મારો માન્યો; (એમાં) એણે ચેતના આનંદકંદ જીવતરને મરણ તુલ્ય કરી નાખ્યું છે. જાણે એ ચીજ જ ન હોય. આહા... હા! આવી વાત માણસને આકરી પડે.
અહીંથી તો હજી સમ્યગ્દર્શન શરૂ થાય છે. સ્વદ્રવ્યનો રમક-રમણ કરનારો ત્વરાથી થા. જલ્દી થા. આહા... હા! શુભ-અશુભના બધા વિકલ્પોને છોડી દે; એ પછી કહેશે. પહેલાં અસ્તિથી કીધું છે અને પછી નાસ્તિથી કહેશે.
(“સમયસાર'ના) પહેલા શ્લોકમાં પણ અસ્તિથી આવ્યું છે ને....! “નમ: *IRTય સ્વાનુભૂલ્યા વરસતો વિશ્વમાવાય માવાય સર્વમાવાન્તરચ્છિા ” આ શ્લોકમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય સંત-મુનિ (ફરમાવે છે કેઃ) “નમ: સમયસIRTય” જે સમયનો સાર ભગવાન-સ્વદ્રવ્ય-તેને હું નમું છું, તેમાં હું ઢળું છું, એમાં વળું છું. “
સ્વાનુમૂલ્ય વાસ” એ સ્વદ્રવ્ય સ્વાનુભૂતિથી પ્રગટ થાય એવું છે. –એ આ “રમક' – “સ્વાનુમૂલ્ય વાસસ્વ-અનુભૂતિ-સંવર ને નિર્જરા. સ્વાનુભૂતિ એ સંવર અને નિર્જરા એ અનુભૂતિ-આત્માની રમણતા-એ સંવર-નિર્જરાની અતિ. “જિસ્વભાવાય ભાવાય” જેનો સ્વભાવ ચિત-જ્ઞાનસ્વભાવ અને પોતે તેનો ધરનારો ભાવ. “ભાવાય' માં દ્રવ્ય મૂકયું. “જિન્જમાવાય” માં ગુણ મૂકયા. “સ્વાનુમૂલ્યા” માં પર્યાય મૂકી. આહા.... હા ! (એમ) અતિ કીધી. અને “સર્વમાવાન્તર”િ તેનાથી પૂર્ણ-મુક્ત-મોક્ષ દશા થશે. સર્વ ભાવને જાણનાર થશે–સર્વજ્ઞ થશે. એ પણ અસ્તિથી સર્વશપણું સ્થાપ્યું. એક શ્લોકમાં ચારનું અસ્તિત્વ કહ્યું: ચિત્ ભાવ, ચિત્ સ્વભાવ, સ્વાનુભૂતિ અને પૂર્ણ મોક્ષ. આત્મા, (આત્માનો સ્વભાવ), આત્માનો માર્ગ અને પૂર્ણતા. આત્મા, આત્માનો સ્વભાવ, આત્માની અનુભૂતિની પર્યાય અને એની પૂર્ણ પ્રાસિરૂપ મોક્ષ; (એમ) ચાર અસ્તિ કહી.
અહીં (પણ) પહેલાં અસ્તિથી કહે છે. સ્વદ્રવ્યમાં રમણ કરનારો ત્વરાથી થા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com