________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૯૧ એટલે અનુભવ કરીને પ્રમાણ કરજે. આત્મા આત્મામાં (-અનુભવમાં) આવે એનું નામ પ્રમાણ છે. આકરું કામ ઘણું, બાપા! આખો સંસાર ઊડી જાય, ભવનો છેદ થાય અને આનંદની-પૂર્ણ સિદ્ધદશાની શરૂઆત થઈ જાય-એ વાતું તો આકરી છે ને, ભાઈ !
લોકોને દુઃખ લાગે. અમે આ વ્યવહાર કરીએ છીએ, એને તો ઉડાવી દે છે. અહીંયાં! (પણ) અહીં કહે છે બાપુ! વ્યવહાર તારી વસ્તુ જ નથી. એ વ્યવહાર ધારવા જેવો જ નથી, રાખવા જેવો નથી. “સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. આહા.. હા! ચાર બોલ થયા.
પાંચમો: “સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ”,
એ સ્વદ્રવ્યની રમણતા કરનાર ત્વરાથી થાઓ. રાગમાં રમણતા તારી અનાદિ કાળની છે, પ્રભુ! એ તો તારી દુ:ખની દશા છે. સ્વદ્રવ્યના રમક-રમણ કરનારા (ત્વરાથી થાઓ). જોયું ભાષા. ‘ક’ શબ્દ છે ને..? પુરુષાર્થની વાત છે. સ્વદ્રવ્યમાં રમક-રમણ કરનારો જલ્દી થા, બીજી રમણતા છોડી દે, પ્રભુ! રાગની રમણતા છોડ. આહા... હા!
એની વિશેષ વાત આવશે...
સ્વદ્રવ્ય અન્ય દ્રવ્યના બોલ [ પ્રવચનઃ તા. ૨૮-૧-૧૯૭૮]
હમણાં એક છાપામાં એવું આવ્યું હતું કે, સોનગઢ “નમો નો સવ્ય રિહંતા” એમ કહે છે! “ધવલા” માં “નમો નો સબ ત્રિશનિવર્સી રિહંતા” અને “નમો નો સળ રિહંતાણ—બે પાઠ છે. પછી ટૂંકું અર્થ કરીને “ખમો અરિહંતા” પણ છે.
“નમો નો સવ્વ સાહુ” એટલે લોકના બધાય સાધુ એટલે જૈનના જે સાધુ છે તે સાધુ-આત્મસ્વરૂપનું-આનંદનું સાધન કરે છે જેને અંતર અતીન્દ્રિય આનંદનો સાગર ઊછળ્યો છે. ભગવાન (આત્મા) અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. ત્રિકાળ સ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિય શાંતિથી ભરેલો પૂર્ણ ભગવાન છે. જેમ દરિયા કાંઠ ભરતી આવે તેમ જેની પર્યાયમાં (પ્રચુર) આનંદની ભરતી આવે છે તેને અહીં સાધુ કહીએ. એવા જેટલા સાધુ હોય તેને મારા નમસ્કાર. પછી વળી વિશેષ જોયું: “નમો નો સવ્ય ત્રિવિર્તી સાદુ” ત્રણ કાળના-ભૂત, વર્તમાન અને ભવિષ્ય (માં થવાના છે) એને પણ હું તો વર્તમાન નમસ્કાર કરું છું. “નો' - સવ’ (અંત) દીપક છે, તે ચારેયને લાગુ પડે છે. અને એનાથી બધારે “ત્રિતિવર્તી' – “ધવલા” માં લખ્યું છે. ભલે એ બધું જ્ઞાન હો, વંદન હો; પણ એને કરવાનું તો (આ છે કેઃ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com