________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨: પ્રવચન નવનીત ભાગ-૧
૫રદ્રવ્ય અને આ રાગ (તથા ) દેવ-ગુરુની ભક્તિનો રાગ (તે તો) પરદ્રવ્ય છે. ( પણ ) ભગવાન એમ કહે (છે કે) તારી અપેક્ષાએ અમે પદ્રવ્ય છીએ. ભગવાનની વાણીમાં એમ આવે કે પરદ્રવ્યની ધારકતા જલ્દી તો. અમારી સામું જોવું જલ્દી તજો. આહા... હા! જીઓ, આ વાણી!!
અત્યારે તો ગરબડ બહુ થઈ ગઈ છે. સાચાને ખોટું ઠરાવે ને ખોટાને સાચું ઠરાવે ! બાપુ! સાચું તો સત્ છે, તે ૨હેશે અને એ કંઈ નવું નથી, ભાઈ!
(અહીં ) પરદ્રવ્યનો અર્થ વ્યવહાર કર્યો. વ્યવહાર એ પદ્રવ્ય છે. એ વ્યવહારની ધારતાને જલ્દીથી તજો. આહા... હા! (હવે કહે છે: ) “પદ્રવ્યની રમણતા ત્વરાથી તજો.” પહેલી ધારકતા કહી હતી-ધારવું-આ આમ છે ને તેમ છે એમ વિકલ્પ (–એને તજો ). હવે ૫રદ્રવ્ય-રાગમાં રમણતા ( –એને તો ). ભગવાનઆત્મા જ્ઞાનાનંદસ્વભાવ, એમાં જે કંઈ વિકલ્પ ઊઠે છે એ પદ્રવ્ય છે, એમાં રમણતા-એ પરદ્રવ્યની રમણતા-ત્વરાથી તો. પહેલાં પાંચમા બોલમાં આવી ગયું: “ સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ ”( હવે ) અહીં નાસ્તિથી વાત કરી છે: “પદ્રવ્યની રમણતા ત્વરાથી તો.”
આ તો શાંતિનો માર્ગ છે, પ્રભુ! એ (માર્ગ) કોઈ ક્રિયાકાંડથી, દયા ને, વ્રત ને, તપ ને, ભક્તિ ને, ઉપવાસ આદિથી (મળે તેમ નથી ). એ (બધાં ) તો વિકલ્પ છે અને પરદ્રવ્ય
છે.
અરે... રે ! ( જીવને) સાંભળવા ય કે દી મળે? અને મનુષ્યપણું ચાલ્યું જાય છે. મૃત્યુની સમીપે બધા સમય જાય છે કારણ કે મૃત્યુનો સમય નક્કી છે. કેવળજ્ઞાનમાં નક્કી છે. એની આયુષ્યની સ્થિતિ નક્કી છે. અને એના જીવની યોગ્યતા અહીં રહેવાને માટે નક્કી છે. શું કહ્યું? ત્રણ વાત કહી. એ જીવને શરીરમાં રહેવાની યોગ્યતાનો કાળ જ નજીક છે. નજીક છે એટલે નક્કી છે. તેમ આયુષ્યની સ્થિતિ એ તો નિમિત્તરૂપે છે. આયુષ્ય પ્રમાણે રહેવું એ તો નિમિત્તથી છે, પણ પોતાની યોગ્યતા (થી) તે કાળે તે તો રહેવાનો તે નક્કી છે. એ સમય પૂરો થઈને દેહ ફડાક દઈને છૂટી જશે; એટલે કે કેવળજ્ઞાનીએ આમ જોયું છે કે આ સમયે દેહ છૂટવાનો, આ ક્ષેત્રે-આ સંયોગે-એ રીતે જ આ થશે. માટે કહે છે કે: પરદ્રવ્યની રમણતા છોડ ને પ્રભુ!
આહા... હા ! (તારે ) સ્વદ્રવ્યની રમણતા કરવામાં ૫દ્રવ્યની રમણતા છોડવી પડશે. એ પણ સમજાવવા ( માટે) એક નાસ્તિથી કથન કર્યું છે. ખરેખર તો જ્યારે સ્વદ્રવ્યમાં ૨મે છે ત્યારે ૫૨દ્રવ્ય છૂટી જાય છે. પણ સમજાવવું હોય ત્યારે કેમ સમજાવે? ટૂંકમાં ન સમજાય ત્યારે વિસ્તાર કરીને સમજાવે કેઃ સ્વ-ચેતનમૂર્તિ, જ્ઞાન અને આનંદનું ધામ, ધ્રુવ ધામ, તેમાં રમણતા ત્વરાથી કરો અને એનાથી વિરુદ્ધ રાગ આદિ એ પરદ્રવ્યને ત્વરાથી તજો. આહા... હા !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com