________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪: પ્રવચન નવનીત ભાગ-૧ ત્વરાથી તજ, પ્રભુ! એ બંધનું કારણ છે. ધર્મીને પણ હજી આસકિતનો રાગભાવ આવે; પણ એ છોડવા જેવો છે. એને છોડ!
પહેલાં દષ્ટિમાં (રાગ-પરદ્રવ્ય) છોડવા જેવું છે અને સ્વરૂપ આદરવા જેવું છે (એમ) નિર્ણય કરી, પછી પરદ્રવ્યને છોડ અને સ્વદ્રવ્યની રમણતા વૃદ્ધિ કર. આમાં તો પંચ મહાવ્રત (વગેરેને) પરદ્રવ્યમાં નાખી દીધું છે.
અરે! “નિયમસાર” શુદ્ધભાવ-અધિકારમાં નિર્મળ પર્યાયને પારદ્રવ્યમાં નાખી છે ને...! ગાથા ૩૮થી “નિયમસાર” નો જે શુદ્ધભાવ અધિકાર છે, એ શુદ્ધભાવ પર્યાયની વાત નથી. એ શુદ્ધભાવ ત્રિકાળી (દ્રવ્ય) ની વાત છે. આહા. હા! શુદ્ધભાવ એટલે “ત્રિકાળી સ્વદ્રવ્ય '. એને શુદ્ધભાવ ત્યાં કહ્યો છે. ત્યાં શુદ્ધ ઉપયોગને શુદ્ધભાવ કહ્યો નથી. એ શુદ્ધ એટલે ત્રિકાળી જ્ઞાયક પવિત્ર પિંડ પ્રભુ! તે સ્વદ્રવ્ય છે. અને એ સિવાય, નિર્મળ પર્યાયને પણ અમે પરદ્રવ્ય કહીએ છીએ. એ પરદ્રવ્યની રમણતા-એકાગ્રતા, એ પણ છોડ. (એમ) કહે છે. સમજાય છે
કાંઈ ?
આહા... હા! આવો માર્ગ!! સાંભળ્યું ન હોય એને એવું (આકરું) લાગે. અને પૂર્વના આગ્રહ પકડી રાખ્યા હોય એને એવું લાગે કે આ શો માર્ગ છે? શું જૈનધર્મ આવો છે? વ્રત પાળવાં ને ભક્તિ કરવી, પૂજા કરવી, દાન કરવું. એ કાંઈ વાતું (છે) ? આ તો (સોનગઢને) વાતું કરવી (છે). અરે ભગવાન ! સાંભળ ને.. પ્રભુ! વાત તો વાતમાં રહેશે. પ્રભુ પ્રભુમાં રહેશે. એ વાતે વડાં થાય” એવું નથી.
અહીં તો કહે છે: પરદ્રવ્યને ત્વરાથી તો. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. “ત્વરાથી તજો ” એ ક્યારે થાય? (ક) સ્વદ્રવ્યમાં પુરુષાર્થનું જોર અંદર જતાં, સ્વદ્રવ્યની રમણતા વધતાં, પદ્રવ્યની રમણતા તજાઈ જાય છે, છૂટી જાય છે. પણ પુરુષાર્થથી સમજાવવું હોય તો એ સમજાવે છે. (ત્વરાથી તો ).
(જીવ એમ વિચારે છે કેઃ) આવું શું આખો દી કરવું? અમારે તો ધંધા કરવાના હોય...... બાયડી-છોકરાંને નભાવવાનાં હોય... પરણ્યાં એને રાખવાં કે શું કરવું- નાખી દેવાં? (પણ એ) તારાં ક્યાં હતાં, બાપુ! એને છોડવામાં રાખો-“પદ્રવ્યની રમણતા ત્વરાથી તજો.” ભારે કામ, બાપુ! જુઓ ને.... ક્ષણ ભરમાં આયુષ્ય પૂરું થઈ જાય છે. થોડી વારમાં ત્રણ લોકનો નાથ જ્યાં દેહની સ્થિતિ પૂરી થઈ ત્યાં એકલો ચાલ્યો જાય છે! કોઈ રજકણ સાથે (આવશે નહીં). કર્મના રજકણ પણ કર્મને કારણે સાથે આવે છે, આત્માના કારણે નહીં.
અહીં કહે છે: પરદ્રવ્યની રમણતા ત્વરાથી છોડ! ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ (હોય) પણ (એ) પરદ્રવ્ય છે. (રાગ) આવે, પણ તેને હેય તરીકે જાણ અને સ્વદ્રવ્યને ઉપાદેય તરીકે શેય જાણ. જ્ઞય તો બન્ને (-રાગ ને સ્વદ્રવ્ય) છે. પણ બન્ને યમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com