________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮: પ્રવચન નવનીત ભાગ-૧ ઉદયનું ફળ–બહારમાં સમવસરણ ને એ બધું એને આવે. તીર્થકરગોત્રનો ઉદય તેરમે (ગુણસ્થાને) આવે, પહેલાં ન આવે. જ્યારે એ રાગથી વિરક્ત થઈને, વીતરાગ ને કેવળજ્ઞાન થયું ત્યારે તીર્થકરગોત્રનો ઉદય આવ્યો. પણ એમાં એણે શું કર્યું? સમજાય છે કાંઈ ?
પરદ્રવ્યથી વિરક્ત થા, નિવૃત્તિ લે, રાગથી નિવૃત્તિ લે. બીજા પરદ્રવ્યનો (તો) ગ્રહણ ત્યાગ ક્યાં છે? -પરદ્રવ્યનો ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહીં. “ત્યાોપાલાનશૂન્યત્વશ”િ પરનો ત્યાગ અને પરનું ગ્રહણ, એનાથી તો ભગવાન (આત્મા ) શુન્ય જ છે.
અહીં તો પરભાવ એટલે રાગ. સ્ત્રી-કુટુંબ-પરિવાર ને ધંધો-દુકાનને ગ્રહણ કે દી કર્યા હતાં (કે) એને તું છોડે! એણે ગ્રહણ કર્યો હતો મિથ્યાત્વભાવ અને રાગ; એનાથી વિરક્ત થા, જેથી તને સ્વરૂપમાં રક્તપણું થાય. –એ એનો સરવાળો છે.
પૂરું થયું.
*
*
*
DO) 999
O) 98
Please inform us of any errors on rajesh@AtmaDharma.com