________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦: પ્રવચન નવનીત ભાગ - ૧
થા ને! કાલે કરીશ... પરમ દી કરીશ, એમ નહીં; પ્રભુ! ક્યારે આંખો મીંચાઈ જશે અને દેહ છોડીને ચાલ્યો જશે! અહીં કહે છે: સ્વદ્રવ્યના રક્ષક (ત્વરાથી થાઓ ).
66
અહીં તો ઘટ ઘટ અંતર જિન બસે, ધટ ધટ અંતર જૈન; મતિ મદિરા કે પાનસૌં, મતવાળા સમુ ઝૈન.” ( મતવાળાનો ) અભિપ્રાય જૂઠો છે. આ અંદર જિનસ્વરૂપી વસ્તુ, પ્રભુ બિરાજે છે. જો શક્તિરૂપે જિનસ્વરૂપી ન હોય તો પ્રગટરૂપે દશા આવશે ક્યાંથી? વીતરાગ, સર્વજ્ઞ થાય છે તે આત્મામાં જે સર્વજ્ઞ નામનો ગુણ છે, શક્તિ છે, એના આશ્રયથી ધ્યાનથી - સર્વજ્ઞ થાય છે. વીતરાગસ્વરૂપ જ - જિનસ્વરૂપ જ-ધટ ધટ અંતર (માં) છે. આહા... હા! અમૃતચંદ્ર આચાર્યના કલશોમાંથી ‘સમયસાર નાટક’ (૫૦ બનારસીદાસજીએ ) બનાવ્યું છે. “ધટ ધટ અંતર જિન બસે, ધટ ધટ અંતર જૈન ” પણ મતિ - મદિરાકે પાનસે.” પોતાના અભિપ્રાયના દારૂ પીધેલા–“મતવાળા સમુરૈ ન. ” પોતાના અભિપ્રાયના જોરમાં (એ ) મતવાળા, એ ચીજ (સ્વદ્રવ્ય ) ને જાણી શકતા નથી. અંતરમાં અનેભવ કરી શકતા નથી. એનો (સ્વદ્રવ્યનો તું) અનુભવ કર! સમજાય છે કાંઈ ?
66
=
66
‘સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.” ત્વારા કરો.... જલ્દી કરો. એની વાર શી? પ્રભુ! જેની રુચિ છે તેના વાયદા શા! ‘પ્રવચનસાર' માં છેલ્લા કલશમાં “ આજે ” શબ્દ પડયો છે.
આજ કરો.... આજે જ કરો. આ “ત્યારા શબ્દ લીધો છે. આજે એનું હયાતીપણું પરિણમો. ‘ અધ' શબ્દ છે. બીજા શ્લોકાં પણ છેઃ આ ચિસ્વરૂપ ભગવાન આત્માને આજે અત્યંત અનુભવો, આજે જ અનુભવો.
દિગંબર સંતોની વાણી તો જુઓ ! ( બીજે) ક્યાંય નથી. દષ્ટિ વિપરીત થઈને શ્વેતાંબરમત તો, ભગવાન (મહાવી૨) પછી, ૬૦૦ વર્ષ પછી નીકળ્યો છે. અને આ ( દિગંબરમત ) તો સનાતન સત્ય છે. મહાવિદેહમાં સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ સનાતન બિરાજે છે. (ત્યાં) સમવસરણમાં ઇન્દ્રો જાય છે, સિંહ-વાધ (પણ ) જાય
છે.
66
]]
અહીં અર્મતચંદ્ર આચાર્ય (‘પંવચનસાર’ માં) એમ કહે છે કે “આજે ” પ્રભુ ! આ ‘ત્વરા’ નો અર્થ છેઃ આ આત્માની રક્ષા દયા સ્વદયા ત્વરાથી કરો. સ્વદયા અર્થાત્ અહિંસા. રોગ જે ઉત્પન્ન થાય છે તે હિંસા છે અને અવિકારી અહિંસક-વીતરાગ પર્યાય ઉત્પન્ન થાય તેનું નામ ભગવાન ‘અહિંસા પરમો ધર્મ:' કહે છે. એ અહિંસા તો પર્યાય છે.
પ્રશ્નઃ એ પર્યાય આવી ક્યાંથી, શું બહારથી આવે છે?
સમાધાનઃ લીંડીપીપરમાં ૬૪ પહોચી તીખાશ ભરી છે. કદમાં નાની અને રંગમાં કાળી પણ અંદર ૬૪ એટલે ૬૪ પૈસા, એટગલે ૧૬ આના, એટલે રૂપિયો, એટલે પૂર્ણ તીખાશ ભરી છે; અને અંદર લીલો રંગ ભર્યો છે. અને ૬૪ પહોર લૂંટવાથી બહાર આવે છે. બહાર ક્યાંથી આવી ? અંદર ‘છે’ એમાંથી આવી. લૂંટવાથી આવી હોય તો લાકડી અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com