________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮ - ૧૧૭: ૮૭ દ્રવ્ય પોતે વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે, એમ (અહીં લેવું નથી.) અહીં. સ્વદ્રવ્યના વ્યાપક થાઓ (એમ લીધું છે) પર્યાય એ બાજુ વાળ- એ વ્યાપ કથા! જે પર્યાય રાગમાં વ્યાપી છે, જે અવસ્થા રાગ અને પુણ્યમાં રોકાઈ છે એ પર્યાય તો એ જ રહી ગઈ એ પર્યાય તો ત્યાં રહી ગઈ, પણ પછીની પર્યાયને દ્રવ્યમાંવ્યાપક કર! અંદર કર! આહા... હા! આનંદકંદ દ્રવ્યમાં પર્યાયને વ્યાપક કર! આવા ટૂંકા શબ્દો !!
-
સ્વદ્રવ્યના વ્યાપક-વ્યાપન કરનાર, એ દ્રવ્ય કહેવાય. પણ છે પર્યાય વ્યાપક. સ્વદ્રવ્યમાં વ્યાપક-પર્યાયને જલ્દીથી સ્વદ્રવ્યમાં વ્યાપક કર! આહા... હા ! સમજાણું કાંઈ ?
ત્યાં એમ નથી કહ્યું કેઃ પરદ્રવ્ય-દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધામાં રોકા; એની આજ્ઞાનું આરાધન કર. ( એની ) આજ્ઞા તો આ છે કેઃ સ્વદ્રવ્યમાં વ્યાપક થા! મારા તરફ જુઓ, અને મારા તરફ વ્યાપક થાઓ-એમ આજ્ઞા નથી. સમજાય છે કાંઈ ?
સ્વદ્રવ્યના વ્યાપક જલ્દીથી-ત્વરાથી થાઓ. એમાં પ્રમાદ ન કરો, એ નાસ્તિથી ન લીધું. ( પણ અસ્તિથી લીધું કે) “ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.” આહા... હા... હા!
અહીં આમાં (સંપ્રદાયમાં) ચાલે એવું કે: દયા કરો ને વ્રત કરો ને તપ કરો. અશુભથી બચવા માટે શુભભાવ આવે ને... હોય ને? પણ ‘અશુભથી બચવા' માટેનો શબ્દ કોને લાગુ પડે? કેઃ જેણે સ્વદ્રવ્યમાં વ્યાપકપણું કર્યું છે અને એમાં પૂર્ણ વ્યાપક નથી, તેથી એને શુભભાવ આવે, એને ‘ અશુભથી બચવા' (માટે) આવે-એમ કહેવામાં આવે. પણ હજી જેની દૃષ્ટિ જ પર્યાય-રાગ ઉ૫૨ છે, રાગના કર્તા ઉપર છે, ત્યાં તો હજી એની દૃષ્ટિ પરદ્રવ્ય ઉ૫૨ છે. દેવગુરુ-શાસ્ત્રની વ્યવહારશ્રદ્ધા-એવી શ્રદ્ધામાં વ્યાપક થા, એમ નહીં. કારણકે એ તો પરદ્રવ્ય (છે, એના ) તરફનું (લક્ષ ) છોડવાનું છે. ભાઈ! આકરું કામ, બાપા !
અહીં તો ( કહે છે કેઃ) અંદર પ્રભુ બિરાજે છે પૂર્ણ આનંદ શુદ્ધચેતનઘન, ત્યાં વ્યાપક થા ને...! ત્યાં પ્રસરી જા ને...! ત્યાં પર્યાયને ઠાલવ ને...! એ પર્યાયને દ્રવ્ય તરફ ઢાળી દે ને...! પરસન્મુખ છે તેને સ્વસન્મુખ કરી દે ને...! ત્રણ બોલ થયા.
ચોથો: “સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.”
-
સ્વદ્રવ્યના ધારક-ધરનારા (થાઓ) અર્થાત્ સ્વદ્રવ્યને ધારો. સ્વદ્રવ્યને ક્યારે ધરાય ? સ્વદ્રવ્યની દૃષ્ટિ થઈને અનુભવ થયો ત્યારે ધારક થયો. –આ ૧૭ વર્ષ પહેલાં (ની ઉંમરમાં ) કહે છે શ્રીમદ્!
બીજા એમ કહે કે, ‘પણ અમને સમજાય નહીં', ‘અમે ગૂંચાઈ ગયા . પણ હવે ‘ ગૂંચાઈ ગયા ’ ( એમ વિચારવાનું) પડતું મૂક ને..! અત્યારે ગૂંચ તેં ઊભી કરી છે; અને તારે જ ગૂંચ છોડવાની છે. ‘જે જોડે તે તોડે.’ તું રાગમાં જોડાણો છો. ત્યાંથી જોડાણ તોડ ને...! એમ કરીને અહીંયાં ( આત્મામાં) જોડાઈ જા ને...!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com