________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭: ૮૫
પર્યાય લક્ષ કર્યુ? -એ પર્યાયનું સ્વતંત્રપણું એવું છે કે લક્ષ કરવાને યોગ્ય પર્યાય હતી, માટે (લક્ષ ) થયું છે. એ પર્યાયને જ્યાં દ્રવ્યનો પણ આશ્રય નથી એટલે કે દ્રવ્યના કર્તા કર્મ ષટ્કારકને કારણે- એને લઈને -પર્યાયનું ષટ્કારક (રૂપ ) પરિણમન નથી. (ત્યાં) હવે એને (સ્વદ્રવ્યને ) પરદ્રવ્યની પર્યાયનું – પરદ્રવ્યનું કારણ માનવું –એ તદ્દન મિથ્યાત્વ સમજાય છે કાંઈ ?
ભ્રમ છે.
(
અહીં તો એવી ચોખ્ખી વાત છે. (લોકોને આ) વાત આકરી પડે, પણ શું થાય ) ? વસ્તુ એવી છે. વસ્તુની મર્યાદા જ એ રીતે છે. એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય સંક્રમ્યા વિના કરે શું? ( એમાં ) આવ્યું ને..! કર્તા કર્મ ( ષટ્કા૨ક ). આહા... હા! આ લૂગડું, આ ધોડી (ઠવણી ) ઉપર સરખું પાથર્યુ છે, તે આ ધોડીને લઈને રહ્યું નથી; ત્યાં આગળ તે સમયની તે પર્યાય, કર્તા કર્મ સાધન ( ષટ્કા૨ક ) થી તે ક્ષેત્રે (તે પ્રકારે) પોતાથી થઈ છે. આહા... હા! આ ચમત્કાર નથી ? કોણે કર્યુ આ (પુસ્તક) તૈયા૨ કોઈ એ ( કર્યુ ) કરાવ્યું નથી, તે એને કારણે થયું છે. ( કોઈ ) કાલે કહેતા હતા (કે) એ આ બધું તમે કરાવ્યું! ( પણ ) કહ્યું: ભાઈ! કોણ કરાવે ? અમે તો કોઈ કહ્યું નથી કે સ્વાધ્યાય મંદિર બનાવો, મંદિર બનાવો કે આ બનાવો; એને કહે માટે બને છે? અને બનાવનાર ત્યાં ઊભો હોય છે માટે બને છે? (– એમ નથી.) આવી વાતું છે!
-
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને જુદાં જુદાં જુઓ, પ્રભુ! તારી પ્રભુતા એમાં છે. તારુ મહાત્મ્ય એમાં છે. સ્વદ્રવ્યને ૫૨ દ્રવ્ય સાથે કાંઈ સંબંધ (છે જ નહીં ).
"
સમયસાર ' શ્લોક –૨૦૧ માં પણ કહ્યું છે “ समबन्ध एव सकलोडपि यतो निषिध्धः " તો એનો અર્થ શું થયો? કેઃ ભાઈ! આ લાકડી છે, નીચે (જમીનને) લઈને રહી છે?- એમ નથી; એને સંબંધ જ નથી. નિમિત્ત - નૈમિતિક સંબંધ-એટલે કે સંબંધ નહીં. સમજાય છે કાંઈ ?
66
‘સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય (ભિન્ન ભિન્ન જુઓ.)” (શ્રીમદે) ૧૭ વર્ષની ઉં૨ પહેલાં ‘આ’ કહ્યું છે! આત્માને ક્યાં ઉંમર લાગુ પડે છે? અને શ્રીમદ્દનો ક્ષયોપશમ તો–એ વખતે તો–મારા હિસાબમાં તો-એના જેવો ક્ષયોપશમ કોઈને તો નહીં. એ એક જ પુરૂષ હતો. ભલે એની જરીક શ્વેતાંબર અને દિગંબરની ભિન્નતામાં થોડી (જાહેરમાં સ્પષ્ટતાની કમી/ક્ષતિ કોઈ ને જણાય ). પણ એનું જોર હતું સ્વભાવ ઉપર ને...! એટલે બહુ બહારમાં પડયા નથી. અને તે વખતે એવો પ્રસંગ પણ નહોતો. બાકી એના જેવો ક્ષયોપશમ કોઈ પુરૂષનો હતો જ નહીં. ભલે બીજા અભિમાની (ભ્રમથી ) માને; પણ ૧૭ વર્ષ તો ‘આ' કહે છે! હજી તો ઊગીને ઊભા થયા છે. બાલક છે..... શરીર હોં!
આહા.... હા! ‘એક જ સિધ્ધાંત' એનો યથાર્થ નિશ્ચય રાખે (કે) એક દ્રવ્યનું બીજાં દ્રવ્ય કંઈ કરી શકે, એ ત્રણ કાળમાં બનતું નથી. આહા... હા ! ‘સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય જુદાં જુદાં જુઓ '. – ( શ્રીમદે ) આ પહેલું મહાભેદજ્ઞાન કરાવ્યું છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com