________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬: પ્રવચન નવનીત ભાગ – ૧
(શ્રીમનો ) ક્ષયોપશમ બહુ હતો. અને એકાવતારી થઈ ગયા છે, એમાં ફેર નથી, એક ભવ કરીને મોક્ષ જશે, એવી શક્તિ-તાકાત લઈ ને ગયા છે. દુનિયા એને પક્ષથી જુએ ન જુએ-એ જુદી વાત છે; વસ્તુસ્થિતિ આવી છે. એનું વળી પ્રમાણ શું? –એમ કોઈ માંગે છે..... અરે ભગવાન ! બાપુ!
આહા... હા! અહીં કહે છે કે “સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ”. “સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ”. શબ્દ ફેરવ્યો હવે. “સ્વદ્રવ્યના રક્ષક” –સ્વદ્રવ્યની રક્ષા કરવામાં તત્પર થાઓ. રક્ષક ત્વરાથી થાઓ. એ (સ્વદ્રવ્ય) જ્ઞાન અને સહજાનંદપ્રભુ છે, એની રક્ષા કરવાને ત્વારા કરો. છે ને... “ત્વરાથી થાઓ” – જલ્દી કરો... જલ્દી કરો. આમ “(ત્વરાથી) થાઓ. જલ્દી કરો” એનો અર્થ થયોઃ “ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ”. -જલ્દીથી તેનું રક્ષણ કરો. સમજાય છે કાંઈ ?
- સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યનું રક્ષણ કરવા માટે જલ્દી કરો. આહા... હા! આનંદકંદપ્રભુ ધ્રુવસ્વરૂપ જે (સ્વદ્રવ્ય), એમાં આ રાગો આવે નહીં, પણ ખરેખર પર્યાય (પણ એમાં આવતી નથી). “આમ કરો” એ તો પર્યાય નકકી કરે છે. “સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ”. “જુઓ” એતો “પર્યાય છે. પર્યાય એમ જુએ છે કે, આ સ્વદ્રવ્ય “આ”, અને આ પરદ્રવ્ય મારામાં નહીં–એમ પર્યાય “નિર્ણય કરે છે પર્યાયમાં. “નિર્ણય' કંઈ દ્રવ્યગુણમાં થતો નથી. દ્રવ્ય – ગુણ તો ધ્રુવ-નિત્ય “એ” સ્વદ્રવ્ય. પણ એને પરદ્રવ્યથી “ભિન્ન જુઓ” એ પર્યાય. એ દ્રવ્યથી બીજી (-અન્ય- ભિન્ન) પર્યાય-બીજી દશા. આહા... હા.... હા ! જેને-પર્યાયને “નિયમસાર' માં પરદ્રવ્ય કહ્યું છે. પણ એ પરદ્રવ્ય (-પર્યાય) સ્વદ્રવ્યનો નિર્ણય કરે છે. આહા... હા! સમજાય છે કાંઈ ?
શબ્દો થોડા, પણ એમાં સિધ્ધાંત તો મોટા ભર્યા છે!! “સ્વદ્રવ્યના રક્ષક' –વસ્તુ ભગવાન પુર્ણ આનંદ-શુધ્ધ ચેતન આનંદ “એ” સ્વદ્રવ્ય, એના રક્ષા કરનારા (થાઓ). ત્યાં પૂરૂષાર્થથી કહ્યું છે: “રક્ષક ત્વરાથી થાઓ. કર્મ માર્ગ આપે તો ( રક્ષા) થશે અને કાળલબ્ધિ આવશે તો થશે, એમ શબ્દ નથી લીધો. “સ્વદ્રવ્યના રક્ષક જલ્દીથી થાઓ. આહા... હા !
ત્રીજો (બોલ ) અધૂરો રહ્યો હતો). “ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ”.
હવે “સ્વદ્રવ્ય' દ્રવ્ય છે, એ વ્યાપક છે અને “પર્યાય' છે, એ વ્યાપય છે. પણ આપણે ચેતના” માં બીજી રીતે લીધું હતું કે: ચેતના જે છે, કાયમ રહેનારી છે, તે વ્યાપક છે અને આત્મા તે વ્યાપ્ય છે. અહીં એ રીતે કહ્યું કે ચેતનાની જે પર્યાય છે તે દ્રવ્યમાં વાળી લે, દ્રવ્યમાં વ્યાપક-પ્રસારી દે! આહા... હા! ઝીણી વાત છે.
સ્વદ્રવ્ય જે જ્ઞાયક ચૈતન્યજયોત, જેના પ્રમતઅપ્રમતનાભાવ પણ તેમાં નથી. એવો જે સ્વદ્રવ્ય-શાકભાવ-તેમાં-સ્વદ્રવ્યમાં સ્વદ્રવ્યના વ્યાપક (ત્વરાથી થાઓ). નહીં તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com