________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮ – ૧૧૭ : ૭૯ રક્ષક (થાઓ). પરના રક્ષક તો થઈ શકતા જ નથી. કેમકે પરદ્રવ્ય તો સ્વતંત્ર - ભિન્ન છે. એની દયાના ભાવ આવે, પણ એ રાગ છે.
આહા... હા! “પુરૂષાર્થસિધ્ધિ ઉપાય' માં રાગને હિંસા કહી છે. પરની દયાતો પાળી શકાતી નથી; કેમકે એનું આયુષ્ય ન હોય તો મરણ અને આયુષ્ય હોય તો મરણ નહીં. એના કારણે એ છે. તારા કારણથી દયા પળે એવું તો નથી.
અહીં કહે છે કેઃ તારો રક્ષક તું છો. ઝીણું તો છે. પ્રભુ! આ ભાષા ઝીણી છે. બહુ સૂક્ષ્મ છે. અરૂપી ભગવાન અંદર દેહદેવળમાં, ભગવાન ભિન્ન, જિનસ્વરૂપી વીતરાગ મૂર્તિ, અતન્દ્રિય આનંદસ્વરૂપ, અનંત અનંત ઈશ્વરતા શક્તિથી પૂરો ભર્યો પડયો છે.
સમયસાર' માં છેલ્લે ૪૭ શક્તિ છે ને ? એવી તો અનંત છે. પણ નામ ૪૭ આપ્યાં છે. (તેમાં) એક સાતમી પ્રભુત્વશક્તિ છે. જીવત્વશક્તિ, ચિતિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ વગેરે ૪૭ શક્તિ છે. આ પ્રભુત્વશતિનો અર્થ: તારામાં ઈશ્વરશક્તિ પૂર્ણ પડી છે. બીજો કો તારો ઈશ્વર નથી. સમજાય છે કાંઈ ?
સ્વદ્રવ્યના રક્ષક અર્થાત્ રક્ષા કરનાર). રક્ષાનો અર્થ જેવી પૂર્ણાનંદરૂપી વસ્તુ છે; એવી અંદરમાં પ્રતીતિ અને જ્ઞાનની વર્તમાન પર્યાયમાં એ જ્ઞય. જે વસ્તુ છે, તે પર્યાયમાં આવતી નથી. પણ પર્યાયમાં તે જાણવામાં આવે (તો) એ જીવદ્રવ્યની રક્ષા કરી, એમ કહેવામાં આવ્યું છે. આહા.. હા !
બીજો બોલ છે ને....! “સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.” એ આજે જ થાઓ ! એમ કહે છે. “પ્રવચનસાર” મેં છેલ્લે શ્લોક છે તેમાં અમૃતચંદ્રાચાર્યદવ ( એમ કહે છે કેઃ) આજે”. પ્રભુ! તમને જેની રુચિ હોય એને વાયદા ન હોય. પ્રભુ! આ તો તારી જીન અંદર છે ને નાથ ! એ પૂર્ણ આનંદસ્વરૂપ છે. ભગવાન! તારામાં વિદ્યમાન છે. છતી ચીજ છે અંદર, તેની ત્વરાથી રક્ષા કર. રક્ષા અર્થાત્ “છે' એવો અનુભવ કર. જેવડો છે એવડો ન માનીને, “હું એક પર્યાય જેવડો છું', “રાગ જેવડો છું” એમ માનવું એ જીવની હિંસા છે. હિંસાનો અર્થ: જેવી જીવનજ્યોતિ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. “એનો નકાર કરવો ” એ જ એની હિંસા છે. અને “જેવો છે એવો અનુભવમાં – દર્શનમાં – જ્ઞાનમાં લેવો” એનું નામ રક્ષક છે.
આહા... હા! સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, પ્રભુ! જે સાણસે સર્પ પકડાય તેનાથી શું મોતી પકડાય? “પુણ્ય – પાપ અધિકાર' માં તો શુભ – અશુભભાવને સ્થૂળ કહ્યા છે. સ્થૂળ પરિણામથી ભગવાન આત્મા જાણવામાં આવતો નથી. એ શુધ્ધ ઉપયોગથી જાણવામાં આવે છે. પુણ્ય અને પાપના ભાવ અશુધ્ધ ઉપયોગ છે.
ભગવાન! તારી રક્ષા કરવી હોય, તારો રક્ષક થવું હોય તો ત્વરા અર્થાત્ ઉગ્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com