________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨: પ્રવચન નવનીત ભાગ-૧
(આત્મા ) છે, એનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની જજે પર્યાય થઈ, તે પણ અક્ષય-અમેય છે! આહા... હા... હા ! એનો ક્ષય ન હોય, નાશ ન હોય. એ તો કાયમ રહેવાવાળી ચીજ ( -પર્યાય )
છે!
66
.
અહીં એ કાયમ રહેવાવાળી ચીજ-પર્યાયને, એક સમયની ગણવામાં આવી છે; એને દ્રવ્ય સ્પર્શતું નથી. -એમ કહે છે. આહા... હા ! વજન તો દ્રવ્ય ઉપર છે. ‘અવ્યક્તને જાણે !' -એમ કહે ને...! ભલે બેયને (–વ્યક્ત અને અવ્યક્તને) જાણીને; પણ જાણવું (તો) છે અવ્યક્ત.” કેમકે ‘વ્યક્ત' ને સ્પર્શતો નથી-એવી વસ્તુ (‘અવ્યક્ત ') –એને જાણ ! આહા... હા! જાણે છે, પાછી વ્યક્ત. પ્રગટ પર્યાય નિર્મળ, અને અપ્રગટ દ્રવ્ય-બેયને જાણવા છતાં, -હૈ શિષ્ય ! દ્રવ્ય, પર્યાયને સ્પર્શતું નથી, એવા ‘અવ્યક્ત' ને તું જાણ! એમ આવ્યું ને..? પણ ‘ જાણ ' –એમાં તો (વર્તમાન) પર્યાય આવી. “ નાળ ” શબ્દ (પાઠમાં) પડયો છે ને...? આહા... હા... હા! દિગંબર સંતોની વાણી તો તીર્થંકર પરમાત્માના ઘરની વાણી છે!! આહા... હા... હા!
,
ત્યાં કહ્યું કે: અમારે તો વેદનમાં આવે છે એ... ‘ આત્મા ’. સામાન્ય જે ત્રિકાળી દ્રવ્ય છે, તે ધ્રુવ છે. ધ્રુવનો અનુભવ (થતો ) નથી. ( છતાં ) એવું પણ કહેવામાં આવ્યું છે કેઃ ‘ધ્રુવનો અનુભવ ' –એનો અર્થ શું? કેઃ રાગ તરફનો જે અનુભવ હતો, તે છોડીને, ધ્રુવ તરફનો અનુભવ કર્યો, તો ‘ધ્રુવનો અનુભવ ’ એમ કહેવામાં આવે છે. પણ ધ્રુવ ચીજ છે તે વેદનમાં આવતી નથી. આહા... હા ! સમજાણું કાંઈ ?
,
‘જ્ઞાયકનો આવિર્ભાવ થયો' એમ પાઠ તો આવે છે ને...? (પણ ) ‘વસ્તુ છે તે તો છે જ’. એમાં-વસ્તુમાં આવિર્ભાવ અને તિરોભાવ, એમ તો નથી જ. ‘વસ્તુ તો ત્રિકાળ છે’. પણ જ્યારે ભાન થયું, સમ્યગ્દર્શન થયું-અહો... હો... હો! આ તો આનંદનો કંદ પ્રભુ, પૂર્ણ, અતીન્દ્રિય આનંદ–૨સકંદ !! આહા... હા... હા ! –એવું ભાન થયું તો, એ જ્ઞાયકભાવ ખ્યાલમાં જે ( પહેલાં નહોતું આવ્યું, તે ખ્યાલમાં આવ્યું. અને ‘જ્ઞાયકભાવનો આવિર્ભાવ થયો ' ‘જ્ઞાયકભાવ પ્રગટ થયો.' (તો ) (શું) જ્ઞાયકભાવ ‘પ્રગટ’ થાય છે? ‘ પ્રગટ’ તો પર્યાય થાય છે. સમજાણું? ( પણ ) ભાષા એવી છેઃ ‘જ્ઞાયકભાવ પ્રગટ થયો '. જ્યાં સુધી ( જીવે ) રાગની એકતા માની છે, અને એક સમયની પર્યાયમાં પણ જ્યાં સુધી (એ ) મૂઢ છે; ત્યાં સુધી દ્રવ્યને જાણતો નથી. દ્રવ્યને જાણતો નથી તેથી ‘દ્રવ્યનો તિરોભાવ' એમ કહ્યું. પર્યાયબુદ્ધિમાં ‘દ્રવ્ય ’ ઢંકાઈ ગયું છે. આહા... હા... હા !
આવી વાત !! ( પણ ) લોકોએ બહારમાં સંકેલીને મૂકી દીધું બધું! ઉપવાસ કરો ને, આમ કરો ને તેમ કરો... ! આહા... હા !
... આ વ્રત કરો ને...
અહીં ૫૨માત્મા કહે છે કેઃ ‘વ્યક્ત ’ ને દ્રવ્ય સ્પર્શતું નથી. (‘ અલિંગગ્રહણ ’)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com