________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮: પ્રવચન નવનીત ભાગ-૧
(સ્વ−) ભાવમાં એકાગ્ર થવું. આવા ભાવમાં ‘હું આ છું' (એકાગ્રતા થઈ), પછી એવી (સ્વ-ભાવાકારે ) તો પર્યાય થઈ. આ (વિષય) ‘૫રમાત્મપ્રકાશ' માં છેલ્લે છે. સમજાણું કાંઈ ?
આહા... હા ! જોયા... એમાં કેટલા શબ્દો વાપર્યા ‘સ્વાભાવિક’ –કૃત્રિમ નહીં, કરાયેલો નહીં, નાશ થાય નહીં, એક સમયની પર્યાય પૂરતું નહીં. ‘સ્વાભાવિક’ તે પણ ‘ શુદ્ધ ’. સ્વાભાવિક ચીજ છે એ શુદ્ધ જ હોય. એ (વર્તમાન ) પર્યાયમાં જે અશુદ્ધતા છે તે તો વ્યવહારનયનો વિષય છે. ‘સમયસાર’ માં કહ્યું છે: આ (વ્યવહાર) હૈય છે. આ (સ્વભાવ ) સિવાય બધું ય છે. આ (સ્વભાવ) તે ઉપાદેય છે. આહા... હા! આવો વખત કયારે મળે! અરે સાંભળવાનું... એ ય મુશ્કેલ પડે!
'
แ
‘સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન, સ્વાભાવિક શુદ્ધ આનંદ એવો જેનો એક સ્વભાવ છે, તે આત્મા.' આહા... હા ! ‘જ્ઞાનાનંદ' બે ભેગું છે. એ તો અહીંયાં જુદું પાડીને સમજાવ્યું છે. સહજ જ્ઞાનાનંદ જેનો એક સ્વભાવ... તે હું છું. “સહનજ્ઞાનાનવૈધસ્વભાવો ં ” એમ પાઠ છે. પણ ભિન્ન પાડીને સમજાવ્યું છે કેઃ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન અને આનંદ એવી એકસ્વભાવી વસ્તુ (હું છું). તેની પર્યાયમાં જે વીતરાગતા આવે છે, તે ‘વીતરાગતા અખંડ-અભેદ-એકસ્વભાવના લક્ષે આવે છે. એ સમ્યગ્દર્શન પણ વીતરાગતા છે. (એમાં ) ‘સરાગ ’ અને ‘વીતરાગ' એવા જે ભેદ પાડયા તે તો ચારિત્ર-દોષની અપેક્ષાએ છે. બાકી સમકિત તો સરાગ-વીતરાગ છે જ નહીં. એ (સમકિત ) તો ‘નિર્વિકલ્પ-સહજ-જ્ઞાનાનંદશુદ્ધ ‘હું’ એકસ્વભાવી છું' એવી અંતરમાં-વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ પૂર્ણ (સ્વભાવ ) શેય થઈને-પ્રતીતિ કરવી, તે છે.
-
આહા... હા ! આવો માર્ગ છે!! (તેમ છતાં) કોઈ મશ્કરી કરે બિચારા કેઃ (સોનગઢ) અધ્યાત્મની આવી વાતો કરે ને... તેવી વાતો કરે ! ( પણ ) અરે ભગવાન! બાપુ! પ્રભુ ! અધ્યાત્મ એટલે કેઃ ‘તું પૂર્ણસ્વરૂપ, ’ તે ‘ અધ્યાત્મ.' આત્માના આશ્રયે કથન, તે ‘વાણી ’. અને આત્માના આશ્રયે ભાવ, તે ‘ધર્મ'. એવો ‘હું' છું. ( પણ ) ભગવાન છે ને... બીજા એવા પરમાત્મા છે, તેની સાથે કાંઈ સંબંધ નથી. એક બોલ થયો.
,
,,
બીજો બોલ: “નિર્વિલ્પોહં ‘હું નિર્વિકલ્પ છું’. વિકલ્પ અર્થાત્ ભેદ, જેમાં નથી, ( એવો ) અભેદ-નિર્વિકલ્પસ્વરૂપ છું. ‘ એકસ્વભાવ છું' એમાં (એ) આવી ગયું હતું પણ એને વિશેષ સ્પષ્ટ કર્યું છે. આહા... હા! ભાઈ! આ ઝીણી વાત છે. બીજે સંભળાય તેમ નથી. ભગવાનઆત્મા નિર્વિકલ્પ-વિકલ્પથી રહિત એટલે ભેદથી રહિત (છે). એવી ‘નિર્વિકલ્પ-અભેદ વસ્તુ (હું) છું'. -એવી દષ્ટિ થવી-અંતરમાં પરિણમવું–એને અહીં સમ્યગ્દર્શન અને આત્માની ભાવના કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ ?
પાઠ તો એટલો છેઃ “ નિર્વિન્પો ં ”-નિર્વિકલ્પ ‘હું’ છું. અસ્તિથી કહે છે ‘હું અભેદ છું' પર્યાયનો ભેદ પણ તે સ્વરૂપ-એકતામાં-મારામાં નથી, એવો ‘હું’ છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com