________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા: ૩/૬-૩૦૮: ૬૧ અહીંયાં કહે છે: “હું” તો નિરંજન છું. મારા” માં અંજન-મેલ છે જ નહીં. એ તો આનંદઘન પ્રભુ છે. “હું નિજ નિરંજન છું'. અરે! (લોકોને) (આ) કેમ બેસે..(આ વાત) કયાંય સાંભળી પણ નહિ હોય).
આમ તો “હું નિજ નિરંજન શુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્રય રત્નત્રયાત્મક જે નિર્વિકલ્પ સમાધિ; તેનાથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખની અનુભૂતિમાત્ર જેનું લક્ષણ છે, એવા સ્વસંવેદન જ્ઞાન વડે સ્વસંવેદ-ગમ્ય-પ્રાપ્ય છું” એમ લેવું છે.
પણ અહીં “હું” પહેલાં લઈને “આવો છું', આહા.... હા! “હું નિરંજન છું', અંજન-મેલ છે; એ તો પર્યાયને/રાગને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. (-એમ કહે છે.) વસ્તુને-ભગવાન આત્માના સ્વભાવને-કોઈ અંજન-મેલ છે જ નહીં. એવો વસ્તુનો જે સ્વભાવ તે અંજન વિનાનો, મેલ વિનાનો, ઊણપ વિનાનો, આવરણ વિનાનો છે.
એવો જે “નિજ નિરંજન શુદ્ધ આત્માના સભ્યશ્રદ્ધાન”—એવા શુદ્ધ આત્માની સમ્યક શ્રદ્ધા. જુઓ, ભાષા તો જુઓ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ને પર્યાયની શ્રદ્ધા-એ વાત તો (અહીં) કરી નહીં.
(પરંતુ) ઓલા ( કોઈ ) એમ કહે છે કેઃ “દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરો તો કલ્યાણ થાય !' પણ એ દેવ-ગુરુ-શાસ્ત્ર તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યની ભક્તિ તો રાગ છે. “(જ્ઞાનીની) આજ્ઞા આરાધો !' તો આજ્ઞા તો ‘આ’ છે. આવું શ્રીમમાં આવે છે, લોકો આમ કહે. પણ જુઓ ! “જ્ઞાનીની આજ્ઞા આરાધવી, એટલે આજ્ઞાને માનવી”. પણ (આજ્ઞા) માનવી, એટલે શું? કે: “એ આજ્ઞા માને એની '. તો જ્ઞાનીની આજ્ઞા એ છે કેઃ “તું આવો (શુદ્ધ આત્મા ) છો ! –તેની શ્રદ્ધા કર, અનુભવ કર!” અને “મને પણ માનવું છોડી દે! અને તારી પર્યાયના જેટલો પણ (પોતાને) માનવું છોડી દે!' –એમ જ્ઞાનીની આજ્ઞા છે. સમજાય છે કાંઈ ?
(નિજ) નિરંજન શુદ્ધ આત્મા, એનું સમ્યક શ્રદ્ધાન, એની સાચી શ્રદ્ધા. જોયું! જેવું (આત્મ-) સ્વરૂપ છે, તેવી શ્રદ્ધા. જેવો ત્રિકાળી ઉદાસીન અને શુદ્ધ ચૈતન્યન (આત્મા છે, તેવો) તેનું શ્રદ્ધાન. આહા.... હા! આમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કે છ દ્રવ્યની શ્રદ્ધા કે પર્યાયની શ્રદ્ધા-એવી તો કાંઈ વાત લીધી નથી. નાસ્તિની એ વાત તો એમાં નથી. પરની શ્રદ્ધા આદિ એ વાત નહીં લેતાં, આ વાત સમજવી: નિજ નિરંજન નિરાકાર શુદ્ધ ભગવાન આત્મા–તેની શ્રદ્ધાને, (શ્રદ્ધાન કહીએ).
નિજ નિરંજન શુદ્ધ આત્માનું જ્ઞાન, તેનું નામ જ્ઞાન. શાસ્ત્ર ભણવું, એ જ્ઞાન તે કંઈ જ્ઞાન નથી. “નિજ નિરંજન' એ (પણ) પોતાનું ભગવાનનું જ્ઞાન, એ ય નહીં. તીર્થકર અને એનું જ્ઞાન, એ (પણ) નહીં. એ તો પરદ્રવ્ય છે. આહા.... હા ! આકરું લાગે...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com