________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦: પ્રવચન નવનીત ભાગ-૧
( અહીં કહે છે: ) “ સર્વ વિભાવપરિણામ રહિત છું, શૂન્ય છું”. એવા (સર્વ વિભાવ ) પરિણામથી તો ‘હું' રહિત છું! હવે (જ્યારે ) વિભાવપરિણામથી રહિત છું (ત્યારે) એને વિભાવપરિણામ કરતાં કરતાં (કેવી રીતે ) સ્વભાવ પ્રાપ્ત થાય ?
બહુ આકરું કામ, ભાઈ! એને (પૂર્વ) આગ્રહ છોડવો મુશ્કેલ પડે છે. (તીવ્ર ) આગ્રહ તો અભવીએ પણ છોડયો હતો. તીવ્ર છોડયો, મંદ રહ્યો હતો-એ કોઈ ચીજ નથી.
અહીં તો વિભાવ નામનો અંશ પણ જેના સ્વભાવમાં નથી એવો આ ‘ભગવાનઆત્મા' પોતે પોતાના અંતરના આનંદ અને જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ત્યાં
6
આ રીતે ' મળી શકે છે, એમ કહે છે. બાકી તો કોઈ રીતે (‘ આત્મા’) મળી શકતો નથી. (ભલે ને ) કરોડોનાં-અબજોનાં દાન આપે; કે કરોડોનાં-અબજોનાં મંદિરો બનાવે; કે અગિયા૨ અંગ, નવ પૂર્વ સુધી શાસ્ત્ર ભણે; તોપણ, આત્માની પ્રાપ્તિ થાય નહીં.
આહા... હા! શ્રીમદે કહ્યું છે ને...! “યમનિયમ સંજમ આપ યિો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો ”. “ સબ શાસ્ત્રનકે નય ધારિ હિ યે, મત મંડન ખંડન ભેદ લિયે; વહુ સાધન બાર અનંત ક્યિો, તપ કછુ હાથ હજુ ન પર્યો. અબ કર્યો ન વિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસેં ?” –૨૪મા વર્ષે શ્રીમદ્દ (‘શ્રીમદ્દ રાજચંદ્ર' પત્રાંકઃ ૨૬૫માં ) કહે છે. આહા... હા ! “અબ કર્યો ન વિચારત હૈ મનસેં, કછુ ઔર રહા ઉન સાધનસેં ? બિન સદ્દગુરુ કોય ન ભેદ લહે,...” આહા... હા! જરીક, જ્ઞાનીમાં નિમિત્તપણું થાપ્યું છે. પણ જ્ઞાની એને ‘આ ’ સમજાવે છે. એની આજ્ઞાનો આરાધનનો અર્થ: એ (જ્ઞાની) આજ્ઞા એ કરે છે કે ‘વસ્તુનો (સ્વભાવનો ) આશ્રય લે ! અને ‘વસ્તુ ’ માં વિભાવનો અંશ નથી, તેને પ્રાપ્ત કર!' જ્ઞાનીની આજ્ઞાનું આરાધન ‘એને ’ કહેવાય. આજ્ઞા તો વાણી છે; પણ એનો કહેવાનો ભાવ-સર્વ જ્ઞાનીનો, તીર્થંકરોનો, કેવળીઓનો કહેવાનો આશય- ‘વીતરાગ ભાવ' છે. અને ‘વીતરાગ ભાવ' પ્રગટ થવાને માટે સ્વદ્રવ્યનો આશ્રય' છે. આહા... હા! ગમે તે કરે... ગમે ત્યાં ફરે... ( પણ કરવાનું તો ‘આ’ છે).
6
અહીં કહે છે કેઃ ચેતન ભગવાન, એ વિભાવપરિણામથી શૂન્ય છે. (ક્યાં?) કે: [ “ નાત્રયે” ] ત્રણે લોકમાં. નરકમાં સાતમી નારકીના જીવો છે, પણ એ ( જીવો ) આવા છે. જીવ ‘ એને ’કહીએ. અરે! નિગોદના એવા અનંતા જીવો છે... પ્રભુ! જે અત્યાર સુધી ત્રસપણું પામ્યા નથી અને હજુ અનંતકાળ-ભવિષ્યમાં ત્રસપણું પામશે પણ નહીં, એવા જીવો છે. પણ છે તો એ ( જીવો ) અંદર ભગવાનસ્વરૂપ જ. પર્યાયમાં ફેર છે. પણ એ ‘ પર્યાય ' અંદર ( - દ્રવ્યસ્વભાવ) માં નથી. ખરેખર તો એ ‘ પર્યાયને ' દ્રવ્ય સ્પર્શતો ય-અડતો ય નથી. આવો જે ભગવાન પૂર્ણ જ્ઞાન (સ્વભાવી ), તે ત્રણ લોકમાં છે, એમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com