________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩/૬-૩૦૮: ૭૧ પ્રશ્નઃ અધોલોકમાં એવા જીવો છે પરંતુ ઊર્ધ્વલોકમાં એવા (નિગોદના) જીવો હોય? કેમ કે ત્યાં તો સિદ્ધ ભગવાન બિરાજે છે!
સમાધાન: સિદ્ધ બિરાજે ત્યાં (પણ) નિગોદના જીવ અનંતા છે. જ્યાં સિદ્ધ ભગવાન આ (આત્માના) આનંદના અનુભવમાં બિરાજે છે ત્યાં એના ક્ષેત્રમાં અનંતા નિગોદ-જીવ છે.
- સિદ્ધ ભગવાન આનંદને વેદે છે. (પરંતુ ) એના ક્ષેત્રમાં (આકાશ-અપેક્ષાએ) રહેલા નિગોદના જીવો દુ:ખને વેદે છે. છતાં ય એ જીવ છે એ તો ત્રણે લોકમાં આવા શુદ્ધ (સ્વરૂપે) છે. પર્યાયમાં ભલે વેદન–અલ્પ-ઘણું-વિશેષ-ગમે તે પ્રકારે હોય.
આહા... હા! [ સર્વે ની:] એમ કહીને “એક જીવ છે” એ વાતને (–માન્યતાને) ઉથાપી. તેમ જ [ નત્રય] (કહીને) “ત્રણ લોકમાં (જીવ) નથી પણ અમુક ઠેકાણે જ (જીવ) છે' એને ય ( એવા મતને) ઉથાપ્યો.
(અહીં) કહ્યું ને..! ઊર્ધ્વ, મધ્ય અને અધો-ત્રણે લોકમાં (અનંતા જીવો છે). નરક સાત છે. એની નીચે નિગોદ છે. આખાય લોકમાં એવા (નિગોદના) જીવ અનંતાનંત છે. ત્રણે લોકમાં એક અંગુલના અસંખ્યાતમા ભાગ (ક્ષેત્ર) માં જીવોની સંખ્યા અનંતાનંત છે. નિગોદમાં જીવની પર્યાય ભલે હીણી-અક્ષરના અનંતમા ભાગે થઈ જાય, પણ ત્રણે લોકમાં એ બધાય જીવ તો આવા (પરિપૂર્ણ “પ્રભુ”) જ છે.
[“ત્રિપિ”] ત્રણે કાળે એ (જીવ) તો આવા જ અંદર “પ્રભુ” છે. વર્તમાન કાળે અથવા થશે ત્યારે, એમ નહીં. પાંચમા આરાનો છેડો એવો આકરો ને છઠ્ઠો આરો એવો ને...! ગમે તે આરો હોય અને ગમે તે કાળ હોય.. પણ ત્રણ લોક-ત્રણ કાળમાં ભગવાનસ્વરૂપે આત્મા” જેવો કહ્યો તેવો શુદ્ધ ચૈતન્યઘન છે. આહા... હા! આ ભગવાન-આત્મા અંદર છે એ તો આવો છે! એ ભગવસ્વરૂપ છે. પર્યાયમાં ગમે તેટલા (ફેરફાર) થાય; પણ “પ્રભુ” પોતે સ્વરૂપમાંથી ત્રણે કાળે હાલતો (ચલિત થતો) નથી. આહા. હા ! એવો એ આતમ દરબાર છે! સમજાય છે કાંઈ ?
[“શુદ્ઘનિશ્ચયેન”] ત્રણ લોકમાં–ત્રણે કાળે કઈ દષ્ટિએ (“આત્મા” એવો ભગવતસ્વરૂપે છે?) - પર્યાયદષ્ટિએ નહીં. શુદ્ધ નિશ્ચયનયે ( આવો છે).
સમયસાર' માં મૂતાઈ આશ્રિત: સમકિત કહ્યું છે ને..! એ (“આત્મા') ભૂતાર્થ છે, એ શુદ્ધ નિશ્ચયનયનો વિષય છે, એમ કહો; અથવા (તેને) શુદ્ધ નય કહો. ૧૧મી ગાથામાં એમ કહ્યું: “મૂલ્યવો તુ” “મૂલ્યો સિવો ટુ સુદ્ધનો”. જે ત્રિકાળ આનંદકંદ પ્રભુ, અનંત ગુણનો પિંડ, સ્વભાવની મૂર્તિ-તે ભૂતાર્થ છે. અને તે જ શુદ્ધનિશ્ચય છે, એ ભૂતાર્થ છે. ભૂત અર્થાત્ છતો પદાર્થ છે, છતી ચીજ છે, અસ્તિ-હાજર છે–એને અહીં શુદ્ધ નય કહ્યો છે. અહીં ત્રીજા પદમાં જરી નયનો અને નય-વિષયનો ભેદ પાડયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com