________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર: પ્રવચન નવનીત ભાગ-૧ પહેલા પદમાં એમ કહ્યું: “વ્યવહારોગમૂલ્યો” પર્યાય માત્ર અભૂતાર્થ છે. ત્રિકાળીદ્રવ્યની દૃષ્ટિ કરાવવા, સમ્યકત્વનું પ્રયોજન સિદ્ધ થવા, ત્રિકાળી ચીજ તે મુખ્ય અને નિશ્ચય છે; અને પર્યાય માત્રને ગૌણ કરી, નથી ને અભૂતાર્થ છે, એમ કહેવામાં આવ્યું છે. પછી કહ્યું: “મૂલ્યો સિવો ટુ સુદ્ધાગોભૂતાર્થ ત્રિકાળ છે, ત્રિકાળ ચીજ છે, એ જ સત્ય છે. પર્યાય અસત્ય છે, એમ કહ્યું. આહા.... હા! સમજાણું કાંઈ ? પછી કહ્યું: “ભૂયસ્થસિવો” એ ત્રિકાળીનો આશ્રય લે; આવો જે (આત્મા) કહ્યો, એનો આશ્રય લે તો સમ્યગ્દર્શન થાય.
ભાઈ ! આવું બહુ ઝીણું છે. અરે... રે! (જીવો) આ દુનિયામાં ક્યાં પૂછીને ક્યાં ને ક્યાં જિંદગી કાઢે? અને મનુષ્યનું આયુષ્ય પૂરું થતાં ક્યાંય ચાલ્યા જાય ! આહા.. હા! જ્યાં જવું છે ત્યાં (–આત્મામાં) જાય નહીં! (તો) નથી જવું ત્યાં પછી જશે ! નરક અને નિગોદના ભવ કરી કરીને, બાપુ! (દુઃખી દુઃખી થઈશ ).
પ્રભુ! અહીં તો કહે છે કેઃ ત્રણે કાળે-ત્રણે લોકમાં શુદ્ધ નિશ્ચયનયે બધાય જીવ આવા પ્રભુ છે ભાષા એકલી નિશ્ચયનયની નથી કરી, કારણ કે અશુદ્ધ નિશ્ચયનયે રાગાદિ છે; અશુદ્ધ નિશ્ચયનયે જીવમાં છે. –એમ પણ (શાસ્ત્રમાં ) કહેવામાં આવે. જીવમાં પુણ્ય-પાપ-સંસાર છે, તે અશુદ્ધ નયે છે. અશુદ્ધ નય એ નિશ્ચયની અપેક્ષાએ વ્યવહારનય થાય છે. અને વ્યવહારનય એટલે પર્યાયનય થાય છે. (એ અશુદ્ધ નિશ્ચયનય, વ્યવહારનય અને પર્યાયનય) –ત્રણેયને કાઢી નાખવા. શુદ્ધ નિશ્ચયનયે એકલો જ્ઞાનરસ અને આનંદરસ, ધ્રુવ-ત્રિકાળ છે, જેને જાણનારો “શુદ્ધ નય' (એમ) જાણે કે એ શુદ્ધ નિશ્ચયનયે “હું આવો છું'. આહા.... હા ! શુદ્ધ નિશ્ચયનયે “હું આવો છું” –એનું નામ “સમ્યગ્દર્શન” અને એનું નામ “આત્મ-ભાવના'. આત્માની “આ” ભાવના. “આવો છું” એવી દષ્ટિ અને અનુભવ તે “(આત્મ-) ભાવના'. આત્માની “આ” ભાવના. “આવો છું” એવી દષ્ટિ અને અનુભવ તે “(આત્મ-) ભાવના'. આહા... હા! આત્માની વસ્તુ આવી છે!
હું” આવો છું, તથા “બધાય” જીવ આવા છે! બધા ભગવંતસ્વરૂપ છે. બધા જીવો એવા પરમાત્મસ્વરૂપ છે. ચાહે તો નિગોદના જીવની પર્યાય અક્ષરના અનંતમા ભાગની (હીણી) હોય, પણ વસ્તુ તરીકે તો આવી ચીજ છે. આહા... હા ! આવા “આત્મા” ને અનુભવવો-એનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન. અને એમાં ઠરવું એનું નામ સમ્યક ચારિત્ર. બાકી તો બધી વાતું છે!
[[સર્વે નીવા:] બધાય જીવ “આવા” છે, પણ તે કઈ રીતે ? તે હવે કહે છે: બધાય જીવ આવા” છે, એમ [“મનોવરનવાર્ય:”] મન-વચન-કાયથી માનવા. મનથી પણ એમ જાણવું. વાણીથી પણ એમ જાણવું અને કાયાથી પણ એ જ કે આવા ( પરમાત્મ-સ્વરૂપે) જ બધા જીવ છે.
[“ઋતવારિતાનુમત્તેશ્વ”] કૃત-કારિત-અનુમોદનાથીય પણ એમ જ કે બધા જીવો શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ, ઉદાસીન. સ્વસંવેદનગમ્ય અને પ્રાપ્ય-પ્રાપ્ત થવા લાયક છે. એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com