________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૬-૩૦૮: ૬૩
લાવવા માટે આ ભવ છે; એમાં તને ભવના છેડા (લાવવા) ની વાત ન બેસે તો એ ભવ થયોન થયો (બન્ને સમાન ) છે. આહા... હા ! ઢોરને (સાંભળવા) નથી મળ્યું અને તને મળ્યું. પણ (‘આ વાત ’ જો ન બેસે તો ) બેઉને (સ૨ખું ) નિરર્થક છે.
આહા... હા! નિજ નિરંજન, મલિનતા રહિત, અંજન-મેલ વિનાનો, આવરણ વિનાનો, ઊણપ અને અશુદ્ધતા વિનાનો ‘નિજ શુદ્ધ આત્મા', તેનું સમ્યક્ આચરણ, તેનું આ અનુષ્ઠાન,
તેને ચારિત્ર કહીએ.
પુસ્તક ( શાસ્ત્ર ) સામું પડયું છે ને...! આ તો આચાર્યના શબ્દો છે. દિગંબર સંતોના શબ્દો છે. (તેમ છતાં,) એ લોકો (શાસ્ત્રમાંથી) વાંધા ઉઠાવે ! શું થાય, ભગવાન! વાંધો તો એનો (પોતાના ) આત્માની સાથે છે; કોઈ (બીજા) ની સાથે વાંધો શેનો ?
...
‘સમાધિશતક’ માં કહ્યું છેઃ ‘જો કે અમે આત્મા છીએ' એમ જે કોઈ ( અજ્ઞ ) અમને જાણતા નથી તો તે અમારા અરિ (દુશ્મન) અને મિત્ર કઈ રીતે હોઈ શકે? અને ‘અમે આત્મા છીએ ’ એવું જે (પ્રબુદ્ધે) જાણ્યું છે, એવી જેને ખબર પડે છે તે પણ અમારા વૈરી ને દુશ્મન કઈ રીતે હોઈ શકે? મિત્ર કઈ રીતે હોઈ શકે? આહા... હા! સમજાય છે કાંઈ, શું કહ્યું એ ? કેઃ અમે જે આત્મા છીએ, જે રીતે છીએ, તે રીતે અમે જાણ્યું છે, તે રીતે બીજો ( અમને) આત્મા જાણનારો નથી; તો પછી તે અમારો વૈરી ને મિત્ર કઈ રીતે હોઈશકે? અને અમે આત્મા છીએ, જે રીતે અમે જાણ્યો છે, તે રીતે જો એ ( અમને ) આત્માને જાણે છે; તો તે પણ (અમારો) વૈરી કે મિત્ર કઈ રીતે હોઈ શકે? સમજાય છે કાંઈ ?
આહા... હા! “ કરુણા ઊપજે જોઈ.” જુઓ ને...! શ્રીમદ્દમાં (‘આત્મસિદ્ધિ ’ ગાથાઃ ૩-૪માં ) તો એમ આવે છે: “ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ ”. “ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ, જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ ”. કોઈ એકલી ક્રિયાને માને; એકલા (ક્ષયોપશમ) જ્ઞાનના ઉઘાડને (જ્ઞાન) માને, પણ જ્ઞાનતત્ત્વના જ્ઞાનને ન માને, એનો નિષેધ કરે; તો શ્રીમદ્દ કહે છે કેઃ ‘ એ ( જીવ ) તો કરુણાને પાત્ર છે'. ભાઈ! એનાં (તત્ત્વજ્ઞાનના વિરોધના ભાવના) ફળ બહુ આકરાં છે, ભાઈ! કોઈ જીવ દુ:ખી થાય એવું જ્ઞાનીને હોય ? ( ન જ હોય ). અરે! આવા (નિષેધના) ભાવ, એ વિપરીત છે. એનાં ફળ તો પ્રભુ! સાંભળ્યાં જાય નહીં, એવાં દુ:ખો છે. એવા જીવો પ્રત્યે વિરોધ કેમ હોય? એને (વૈરી) તરીકે કેમ મનાય? એવા (વિરોધના ભાવથી પ્રાસ) દુ:ખને ભોગવવું એને આકરું પડશે, ભાઈ ! સમજાય છે કાંઈ ?
"
અહીં કહે છે: “ નિજ નિરંજન શુદ્ધ આત્માના સમયક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય
""
રત્નત્રયાત્મક આ ત્રણેયને નિશ્ચયરત્નત્રય શબ્દ કહ્યો છે. કયા ત્રણને ? – નિજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com