________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩/૬-૩૦૮: ૫૯ આગળ લેશે: ત્રણે લોકમાં-ત્રણકાળે બધાય જીવો એવા છે. આહા.... હા ! “ન ત્રયે”— ઊર્ધ્વ, મધ્ય અને અધો; “ત્રિપિ” ભૂત, વર્તમાન અને ભવિષ્ય; “સર્વે નીવા:”—અભવ્ય આદિ બધાય જીવ આવા ભાવ (–સ્વભાવ )વાળા છે. સમજાય છે? કઠણ પડ માણસને.. (પણ) શું થાય આમાં?
(ગઈ) કાલે વાત આવી હતી ને...? કેઃ દષ્ટિ તો ધ્રુવ ઉપર, અને અનુભવ બેઉનો (– દ્રવ્ય અને પર્યાયનો) હોવા છતાં, મારું દષ્ટિનું ધ્યેય તો એકલું સામાન્ય ઉપર જ છે. પર્યાય અને દ્રવ્ય-બેઉનું જ્ઞાન હોવા છતાં, દષ્ટિનું જોર ધ્રુવ ઉપર છે. જે ધ્રુવથી દષ્ટિ ખસે તો, એ વસ્તુ (-ધ્રુવ ) દષ્ટિ માં રહી શકે નહીં. ધર્મીની દષ્ટિના ધ્યેયની ધ્રુવતામાં એક પળ કે એક સમય પણ કદી આંતરો પડતો નથી. આહા... હા ! શરીર-વાણી-મન-પૈસા-લક્ષ્મી તો ક્યાંય રહી ગયાં ! પણ એક સમયની પર્યાય, –ભાવના કરનારો ભાવ અર્થાત “ભાવના” છે પર્યાય, પણ એ પર્યાય, -તે “હું” નહીં; હું તો “આ” (-ધ્રુવ ) ! આહા... હા... હા!
સમયસાર” ગાથા-૩૨૦માં એવું આવે છે ને...! “હું તો અખંડ જ્ઞાયકભાવ છું'. પર્યાય (“મારી') ભાવના કરે છે. પણ એ પર્યાય એમ કહે છે કે હું તો “આ” (-અખંડ જ્ઞાયકભાવ) છું; ખંડજ્ઞાન નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એ છે તો પર્યાય; પણ એ પર્યાય એમ માને છે કે તો ‘આ’ અખંડ છું પર્યાય એમ જાણે છે કે હું તો ‘આ’ છું. પર્યાય એમ ન જાણે કે હું આ (-પર્યાય) છું આહા... હા! “આત્મા” જે નિર્વિકલ્પ અને એકસ્વભાવી છે, એના ઉપરથી, ધર્મીની અંતર્મુખ દષ્ટિ એક સેકંડ-સમય માત્ર પણ ખસતી નથી.
[“ધ્રુવ-ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ ને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે!” ] એ તેર બોલ હમણાં મૂક્યા હતા ને...? ધખતી ધૂણી ધગશ ને ધીરજથી ધખાવવી-એ છે તો પર્યાય; પણ એ (પર્યાય) એમ કહે છે કે હું “આ” (-ધ્રુવ) છું! આહી... હા! કે' દી એવાં વચનો સાંભળે...? અરે. રે! બાકી તો બધી જિંદગી નિરર્થક છે.
પાઠમાં તો “નિર્વિકલ્પોડ૬” શબ્દ છે. એનો અર્થ કર્યો “હું નિર્વિકલ્પ છું” “અભેદ છું'. “નિર્વિવત્વોડ૬” જેમાં વિકલ્પના ભેદ નથી, એમ નાસ્તિથી પણ વાત નથી કરી. અસ્તિથી વાત કરી. “નિર્વિજત્પાS૬” વિકલ્પ–ભેદ નથી એ તો નાસ્તિથી. પણ પર્યાયષ્ટિનો વિષય લઈને (આ) વાત લીધી નથી. સમજાય છે કાંઈ ?
[૩ાસીનોડ૬”] - “હું ઉદાસીન છું'. કાલે આવ્યું હતું ને..! “સમયસાર' (ગાથા૪૯, અવ્યક્તના) છઠ્ઠી બોલમાં કેઃ “વ્યક્ત પ્રત્યે ઉદાસીન છું.
આહા... હા! આવી ચીજ (આત્મા) ને સમજવા માટે, બાપુ! એણે ઘણા આગ્રહો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com