________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦: પ્રવચન નવનીત ભાગ-૧
છોડવા પડે. શાસ્ત્ર અમે જાણીએ છીએ...! –એ બધાં અભિમાન એણે મૂકવાં જોઈએ. આહા... હા! શાસ્ત્ર જાણ્યાં ને... (આત્મા નહીં.)
અહીં પાઠ તો એવો છે: “સવાસીનોદું ” એનો અર્થ કર્યો: હું ઉદાસીન છું'. હું ભગવાનઆત્મા ઉદાસીન છું. મારું આસન ધ્રુવમાં છે. આહા... હા! મારી બેઠક ધ્રુવમાં છે. પરથી તો ‘હું’ ઉદાસ છું, પણ પર્યાયથી પણ ‘હું’ ઉદાસ છું.
י
આહા... હા... હા ! આવો માર્ગ વીતરાગનો !! (જીવોને ) સાંભળવા મળે નહીં, પ્રભુ! શું કરે ? અરે! એના દુઃખના અનંત દિવસો ગયા (–વીત્યા) છે, ભાઈ! એનાં દુઃખ તો એણે વેઠ્યાં; પણ દુ:ખના દેખનારાની આંખમાંથી પણ આંસુની ધારા હાલી (ચાલી) છે, એવાં દુઃખો સહન કર્યાં... તો પણ એ અહીં ભૂલી ગયો! એ (અનંત દુઃખ ) મિથ્યાત્વને લઈને છે. મિથ્યાત્વ જેવું પાપ નથી. મિથ્યાત્વ જેવો આસ્રવ નથી. મિથ્યાત્વ જેવો કોઈ અધર્મ નથી. એને ( – મિથ્યાત્વને ) તોડવાની આ વાત છે.
[ “ ત્તવાસીનોĒ ” ] ઉદ + આસીન. ‘મારી ' બેઠક તો ધ્રુવ ઉ૫૨ છે. કહે છે: ‘હું’ પર્યાયથી ઉદાસ છું. ‘મારી’ બેઠક પર્યાયમાં નથી. (જેમ ) લોકમાં માણસો આમ નથી કહેતા કેઃ ભાઈ ! અમે લાણા સારા સારા માણસની બેઠકમાં રહીએ છીએ. અમે મોટા મોટા માણસોની બેઠકમાં રહીએ છીએ. અમે સાધારણ માણસોમાં રહેતા નથી. (તેમ ) અહીં કહે છે કેઃ અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, ત્યાં ‘મારી’ બેઠક છે. મારું અસ્તિત્વ તેટલું, તે છે. બાકી ‘હું' તો પર્યાયથી પણ ઉદાસીન છું.
આખાં શાસ્ત્ર ભણીને ‘બંધના નાશ કરવા માટે ’ કરવાનું તો ‘ આ ’ ( –આત્મ-ભાવના ) છે! સમજાય છે કાંઈ ? બીજાને સમજાવતાં આવડે કે ન આવડે, એમાં કંઈ વિશેષતા નથી.
99 66
આહા... હા ! હું ઉદાસીન છું. “નિર્વિોદું પણ એનો અર્થ આ રીતે થાય ને...! કે: ‘હું નિજ [ “ નિતંબનનિનશુદ્ધાત્મ ” ] હું નિજ નિરંજન-મારું જે -શુદ્ધ આત્મા છું. મારા નાથને આવરણ નથી !
‘૩વાસીનો ં ” એમ સંસ્કૃત શબ્દ છે. નિરંજન શુદ્ધ આત્મા છું.' આહા... હા! અંજન વિનાનું, મેલ વિનાનું (સ્વરૂપ )
બહેનશ્રીનું સૂત્ર છે ને...! [ “ જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, એમ જ્ઞાયકસ્વભાવમાં આવરણ ઊણપ કે અશુદ્ધિ આવતી નથી”.) કનકને કાટ ન હોય, અગ્નિને ઊધઈ ન હોય. ઊધઈ ઝીણી ધોળી હોય છે; તે બહુ તડકામાં તરત મરી જાય. પંચોતેરની સાલમાં પાળિયાદમાં આ નજરે જોયું છે. બધું જોયેલું છે. જેમ અગ્નિમાં ઊધઈ ન હોય, તેમ ભગવાનઆત્માના શુદ્ધ સ્વરૂપમાં-શુદ્ધ સ્વરૂપને આવરણ ન હોય. શુદ્ધ સ્વરૂપમાં અશુદ્ધતા ન હોય. શુદ્ધ સ્વરૂપમાં ઊણપ ન હોય. આ બોલ (–૩૮૦) ‘બહેનશ્રીનાં વચનામૃત ’
માં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com