________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬: પ્રવચન નવનીત ભાગ-૧
આત્મ-ભાવના [ પ્રવચન: તા. ૨૪-૧-૧૯૭૮]
આ “સમયસાર' વાંચીને શું કરવું? આખું “સમયસાર” વાંચીને-જાણીને કરવાનું શું? સમયસાર' બંધ અધિકારમાં “પંચ વિનાશાઈ”_બંધના નાશને માટે “આ આત્મભાવના' કરવી. એમ છે. તેમ જ “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર” ના આખરમાં છે કે સમયપ્રાભૃત” ને જાણીને “આ” કરવું. અને “પરમાત્મપ્રકાશ” માં છેલ્લે છે કે પરમાત્મપ્રકાશ' જાણીને પણ “આ ભાવના' કરવી. એમ ત્રણ ઠેકાણે છે. (અને) એને લગતું ચોથે થોડુંક (“સમયસાર') ગાથા-૪૧૩માં છે; પણ (ત્યાં) થોડાક શબ્દો ફેર છે. સારમાં સાર “આ” વસ્તુ છે.
પાઠમાં તો એમ છે: [“સહનશુદ્ધજ્ઞાનાન્વેસ્વમાવો૬”] સહજ શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો એક સ્વભાવ છે, એવો છું. “એવો છું” એમાંથી “હું છું... ને! “હું' – “દું” પાઠમાં છેલ્લો શબ્દ છે. “અહું” એટલે “હું છું” એમ એમાંથી કાઢયું. એટલે કે ત્રિકાળ સ્વાભાવિક શુદ્ધ આનંદ જેનો એક સ્વભાવ છે, એવો હું છું. આહા... હા.... હા! સમયસાર” કે “પરમાત્મપ્રકાશ” શાસ્ત્ર ભણીને કરવાનું તો.... “આ” એમ આત્મ-ભાવના માટે ‘આ’ –“સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન (છું )”. સમજવામાં આ કઠણ પડે એવું છે.
સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન; પર્યાય નહીં, ત્રિકાળી સ્વાભાવિક શદ્ધ જ્ઞાન-પવિત્ર જ્ઞાન છું. પાઠમાં શુદ્ધ જ્ઞાનાનંદ છે” એનો અર્થ કર્યો “જ્ઞાન અને આનંદ”. સદન શુદ્ધજ્ઞાના નન્વેસ્વમાવો૬” – સહજ જ્ઞાન અને આનંદરૂપી સ્વભાવ તે “હું છું' એવી આત્મભાવના કરવી. આહા.... હા! શ્રીમમાં (પત્રાંકઃ ૪૭૪માં) પણ એ શબ્દ આવે છે: “ આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” પણ ભાવના “આ.' સમજાણું કાંઈ ?
શુભ ભાવને નપુંસક તરીકે કહ્યો છે ને...? એનો વિરોધ બહુ આવ્યો છે. પણ એને તોશુભ ભાવને તો-નપુંસક જ કહ્યો છે. આહા.. હા! આ કઠણ પડે જગતને..! “વીર્ય (પુરુષાર્થ)' તો એમાં છે કે હું જ્ઞાન અને આનંદસ્વભાવી. તે જેનો ‘એક’ સ્વભાવ... કે જેમાં ભેદ નહીં. રાગ તો નહીં, પણ પર્યાયનો ભેદ પણ નહીં. - “સહજ જ્ઞાન, સહજ આનંદ જેનો એક સ્વભાવ છે, તે હું છું.” “હું” ભલે પહેલો લીધો, પણ “એવો હું છું' એમ લેવું ભાષા સમજાય છે ? કરવાનું તો ‘આ’ (આત્મ-ભાવના) છે.
ચારેય અનુયોગમાં “સાર' રૂપે તો “વીતરાગતા” છે. બીજા (લોકો) તકરાર એમ કરે છે ને...? કે ચરણાનુયોગમાં આમ કહ્યું છે ને તેમ કહ્યું છે. ચારેય અનુયોગનો સાર તો વીતરાગતા છે. અને વીતરાગતા તો ત્યારે પ્રગટે કેઃ “સહજ જ્ઞાનાનંદ હું છું” એવી દષ્ટિ કરે તો પ્રગટે! એનો અર્થ એ આવ્યો કેઃ “સ્વનો આશ્રય કરવો.' આહ... હા! કેવો “સ્વ”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com