________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪: પ્રવચન નવનીત ભાગ-૧
બધી પર્યાયો નિમગ્ન છે; વર્તમાનપર્યાય જાણવામાં છે, એ પ્રગટ છે. પૂર્વ પર્યાય અને ભવિષ્ય પર્યાય નિમગ્ન છે; એ જાણવું (વર્તમાન ) પર્યાયમાં આવે છે, (એ પ્રગટ-બાહ્ય છે); બાકી બધી પર્યાયો અંદર (દ્રવ્ય) માં છે. (ચોથામાંઃ ક્ષણિક વ્યકિત માત્ર નથી માટે અવ્યક્ત છે). પાંચમોઃ વ્યક્ત અને અવ્યક્ત એકમેક મિશ્રિત પ્રતિભાસિત હોવા છતાં પણ તે વ્યક્તતાને સ્પર્શતું નથી, વ્યક્તને સ્પર્શતું નથી. છઠ્ઠો બોલ આઃ બાહ્ય-અત્યંતર પ્રત્યક્ષ અનુભવમાં આવી રહ્યો હોવા છતાં પણ વ્યક્ત-બાહ્ય-પર્યાય પ્રત્યે ઉદાસીન છે. ધર્મીની દષ્ટિનું જોર પર્યાય ઉ૫૨ નથી; દષ્ટિનું જોર દ્રવ્ય ઉપર છે. એણે આસન લગાવ્યું છે દ્રવ્યમાં. આમ છ હેતુથી ‘અવ્યક્ત’ ને સિદ્ધ કર્યું છે.
એ ‘અવ્યક્ત’ કહો કે ઉપાદેય શુદ્ધ આત્મા કહો-એ આદરણીય છે. પર્યાય હૈય છે. જે (વર્તમાન ) પર્યાય એને (-અવ્યક્તને) આદરણીય માને છે, એ પર્યાય પણ હૈય છે. આહા... હા... હા! પર્યાય એનો-ત્રિકાળ જ્ઞાયકભાવનો આદર કરે છે-એને સમ્યગ્દર્શન અને ધર્મની દશા કહેવામાં આવે છે.
- પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com