________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: પ૩ ખસીને, જ્યાં ત્રિકાળી જ્ઞાયક આનંદકંદ પ્રભુ (છે) ત્યાં રહે છે. ઉદ્ + આસન = એનું (દષ્ટિનું) આસન દ્રવ્ય ઉપર છે-આસન દ્રવ્યમાં લગાવ્યું છે. એનું આસન બહાર મહેલ-મકાનમાં તો નથી; (પણ ) એનું આસન પર્યાયમાં પણ નથી.
અહીં કહે છેઃ એ (ધર્મી) મકાનમાં રહે છે, એ પણ નહીં. શરીરમાં આત્મા રહે છે, એવો પણ નહીં. અને ધર્મી રાગમાં રહે છે, એવો પણ નહીં. ધર્મી નિર્મળપર્યાયમાં રહે, એવો પણ નહીં. આહા.. હાં.. હા! ઉદાસીન છે ને...! પર્યાયથી ઉદાસીન. ત્યાં કાયમ ટકવું નથી. અને આ દ્રવ્યસ્વભાવ બાજુ દષ્ટિનું જોર છે ને.!
આહા... હા... હા! ગજબ વાત છે!! આવી વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે, બાપુ! ભાઈ ! બાકી બધાંને ધૂળ તો ઘણી મળે છે. સાંભળી છે ને...! અમેરિકામાં કરોડપતિ અને અબજોપતિ એટલા પડ્યા છે! બધા બિચારા દુઃખી થઈને, હવે ધર્મ શોધવા જાય છે, પણ ધર્મ મળતો નથી. ત્યાં પરદેશમાં ક્યાં ખબર છે કે “ધર્મ કોને કહીએ?” સ્વદેશમાંના માણસોને ય ખબર ન મળે ધર્મની, તો ત્યાં (વિદેશમાં) ક્યાં ધર્મ હતો?
અહીંયાં તો કહે છેઃ એવો (સ્પષ્ટ અનુભવાઈ રહ્યો) હોવા છતાં પણ “વ્યક્ત અર્થાત્ “પર્યાય” પ્રત્યે ઉદાસીનરૂપથી પ્રકાશમાન છે. આહા... હા ! પર્યાયમાં રહેવું છે એમ નથી; એમાં આસન લગાવ્યું નથી. આહા... હા... હા! ઉદ્ + આસન = ઉગ્રપણે આસન લગાવવું. (ધર્મીની) દષ્ટિ દ્રવ્યમાં પડી છે. વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ. ધ્રુવ (છે) ત્યાં આગળ દષ્ટિનું આસન છે. પર્યાયમાં દષ્ટિ રહેવી, એમ નથી. આહા... હા... હા ! પર્યાય આવે છે; અને (દ્રવ્ય-પર્યાય ) બેઉનો અનુભવ પણ છે; બેઉનું જ્ઞાન પણ છે; પણ એનાથી (ધર્મી). ઉદાસીન છે. ગજબ વાત કરી ને...!! શુદ્ધ ચૈતન્ય ધ્રુવ ઉપર જ આસન લગાવ્યું છે. દષ્ટિનો વિષય જે ધ્રુવ છે, ત્યાં જ દષ્ટિ પડી છે. દષ્ટિ ક્યારેય ધ્રુવ ઉપરથી ખસતી નથી. આહા... હા.... હા... હું !
કહે છે કે આ આત્માએ-એની નિર્મળ પર્યાય અને ત્રિકાળી દ્રવ્ય બન્નેનું જ્ઞાન અને અનુભવ હોવા છતાં, વ્યક્ત-બાહ્ય-પર્યાય (જે છે) ત્યાં-આસન લગાવ્યું નથી. દષ્ટિનું આસન તો “અવ્યક્ત” ઉપર છે. અહીંયાં અવ્યક્ત” કહેવું છે ને...! વ્યક્તપણા પ્રતિ ઉદાસીનરૂપથી પ્રકાશમાન છે. એટલા માટે એને (આત્માને) “અવ્યક્ત” કહે છે. આહા.... હા... હા! ભાષા આકરી ! ભાવ આકરા !
આ રીતે છ હેતુથી (અવ્યક્તપણે સિદ્ધ કર્યું છે. છ હેતુ-છ પ્રકાર કહ્યા ને..? પહેલાં એ કહ્યું: છ દ્રવ્યથી ભિન્ન આત્મા સપ્તમ (દ્રવ્ય) છે, એને “અવ્યક્ત' કહે છે. બીજામાં એમ કહ્યું: કષાયોનો ભાવ જેટલો પ્રગટ છે – દયા, દાન, વ્રત, ભક્તિ આદિના (ભાવ) – એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. ત્રીજામાં કહ્યું: ચિત્સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યકિતઓ નિમગ્ન છે. આહા.... હા! ભગવાન ધ્રુવસ્વરૂપે – એમાં ભૂત અને ભવિષ્યની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com