________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૫૧ “સમતા, રમતા, ઊરધતા”- “નાટક સમયસાર' નો શબ્દ “શ્રીમદ્ (રાજચંદ્ર' ગ્રંથમાં ર૬મા વર્ષ) માં આવે છે. એમાં “રમ્ય' લીધું છે. રમ્યપણે જેને વિષે છે જેને લઈને આત્મા પ્રગટ-પ્રભાસ (-દીતિ-પ્રભાયુક્ત) દેખાય છે. “પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ ( –ફુટ) છૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે.” – (પત્રાંકઃ ૪૩૮માં) છે.
અહીં કહે છે. આત્મા અંતરમાં “સ્વ” ( – “અવ્યક્ત') અને “પર” ( – “વ્યક્ત ') નો, (બેયનો અનુભવ કરે છે). પર્યાયને “પર” પણ કહી છે; “પદ્રવ્ય” પણ કહી છે; નાશવાન' પણ કહી છે; “વ્યક્ત” પણ કહી છે; “એક સમય” ની સ્થિતિવાળીમુદતવાળી' પણ કહી છે.
(“પ્રવચનસાર') ગાથા-૧૦૭માં છે ને...! “સ દ્રવ્ય” , “સત્ પર્યાય' , “સત્ ગુણ” -સત્ત્વનો વિસ્તાર છે! આહા.... હા! દ્રવ્ય જે વસ્તુ છે-અનંત શક્તિનો પિંડ-એ “સત્ છે. ગુણ છે એ પણ “સ” છે. અને પર્યાય પણ “સ” છે. સમયસાર' બંધ અધિકારમાં તો લીધું છે કેઃ ત્રણેય અહેતુક છે. કોઈનો હેતુ કોઈ નથી. આહા... હા ! પરનો તો હેતુ (આત્મા) નથી; પણ ગુણ-દ્રવ્યનો પર્યાયમાં હેતુ નહીં.
આહા.... હા... હા! આવી વાત!! હવે કયાં સમજે ! ચોર્યાસીના અવતાર કરી... આમ ને આમ રખડપટ્ટી કરી કરીને મરી ગયો છે! અહીં મનુષ્યમાં મોટો બ્રહ્મદત્ત ચક્રવર્તી, હીરાના ઢોલિયે સૂતો. સોળ હજાર દેવ તો સેવા કરે ! મરીને તરત સાતમી નરકે ગયો. આહા... હા! આ દેહ છૂટયા ભેગો નીચે સાતમી નરકે! હજી તો થોડાં વરસ ગયાં છે, પંચાસી હજાર. અસંખ્ય અબજ વરસનો તો એક પલ્યોપમ, એવાં દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ, એવા તેત્રીસ સાગરની સ્થિતિએ ગયો છે. અત્યારે નરકમાં પડ્યો છે.
આ વાણિયામાં ય, એ બધા પૈસાવાળામાંથી ઘણા ય તો જવાના ઢોરમાં. જેને સમ્યગ્દર્શન-ધર્મ નથી; નથી સમ્યગ્દર્શનની ખબર નથી દિવસના ચાર-પાંચ કલાક સત્સમાગમમાં પુણ્ય બાંધવાં-એવા ઘણા ય તો ઢોરમાં જવાના. પુણ્ય બાંધે તો સ્વર્ગમાં જાય, મનુષ્યમાં જાય. (પણ) જેને ધર્મના સંસ્કાર નથી, અને જે કોઈ સત્સમાગમ-વાચન-શ્રવણસશાસ્ત્રોનો પરિચય દરરોજ બેચાર કલાક કરતો નથી તેને તો પુણ્ય પણ નથી.
માંડ નવરો થઈને કો” કદી એકાદ કલાક જાય તો માથે (પાટ ઉપર) બેઠો હોય. કહે.. જી હા..! . એનો કલાક લૂંટી લે કુગુરુ. શ્રીમદ્ એમ કહે છે. આખો દી પાપમાં જાય; અને નવરો થઈને જાય, ત્યાં એક કલાક સાંભળવા. તો ઓલો કુગુરુ લૂંટી લે-વ્રત કરો. ઉપવાસ કરોતમારું કલ્યાણ થશે ! –લૂંટી નાંખે. મિથ્યાત્વમાં ! સમજાય છે કાંઇ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com